________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८४ શ્રી જૈન સત્ય પ્રકાશ
કાર્તિક અંક તાપસની પાસે જઈને આક્ષેપ પૂર્વક લેક અંતવાળે છે કે અંતવિનાને? જીવ અંતવાળે છે કે અંતવિનાનો? વગેરે કેટલાક પ્રશ્નો પૂછયા, સ્કંદ તાપસ કંઈ જવાબ ન આપી શકો. એમ ધારીને કે પોતે જે જવાબ આપે તે સાચા હશે કે કેમ! પિંગલ નિગ્રંથે બીજીવાર ત્રીજીવાર પણ એ પ્રશ્નો પૂછવા પણ કંઇકે કંઈ જવાબ ન આપે. આવા અવસરમાં શ્રાવસ્તી નગરીના હજારે કેનાં ટોળાં ભગવાનનાં દર્શન કરવાને બહાર જતાં જોયાં. લેકેને પૂછવાથી માલૂમ પડ્યું કે, ભગવાન મહાવીરસ્વામી કૃતંગલા નગરીની બહાર છત્રપલોશ નામના ચેચમાં પધાર્યા છે. કૃદંગલા નગરી શ્રાવસ્તીની પાસે જ હતી. આથી દકે ભગવાનની પાસે જવાનું અને ત્યાં જઈને પ્રશ્નો પૂછી મનનું સમાધાન કરવાનો વિચાર કર્યો. સ્કંદ ત્યાંથી પરિવ્રાજકના મઠમાં ગયો. ત્યાં જઈ તેણે પોતાના તા૫પ વેષનાં ઉપકરણો –- ત્રિદંડ, કુંડી, માળા, વાસણ, આસન, છત્ર, જૂતાં, વસ્ત્ર, વગેરે બધું લઈને, શ્રાવસ્તી નગરીની મધ્યમાં થઈને, કૃદંગલા નગરીમાં જ્યાં છત્રપલાશક ચેત્ય છે, કે જેમાં ભગવાન મહાવીર સ્વામી વિરાજતા હતા, તે તરફ આવવાને પ્રસ્થાન કર્યું.
બીજી તરફ ભગવાન મહાવીરસ્વામીએ, તે જ સમયે શ્રી ગૌતમસ્વામીને કહ્યું કેઃ “હે ગૌતમ, આજે તું તારા પૂર્વના સંબંધીને જઈશ.” ગૌતમે પૂછયું, “ભગવાન હું કોને જઈશ?” ભગવાને કહ્યું: “તું કુંદક નામના તાપસને જોઈશ.” ગૌતમે પૂછયું,
હું તેને કયારે ? કેવી રીતે? અને કેટલા સમયે જોઈશ? ” ભગવાને કુંદકનો પરિચય આપ્યો, અને કહ્યું કે – “તે મારી પાસે આવવા નીકળી ચૂકેલ છે. બહુ માર્ગ વ્યતીત કરી ચૂકેલ છે. રસ્તામાં જ છે અને તેને તું આજે જ જોઈશ.” ગૌતમે પૂછયું, ભગવન, શું તે આપની પાસે અનગારપણું લેવાને શક્તિ છે?” ભગવાને કહ્યું, “હા,' આ વાત ચાલતી હતી, એટલામાં કંદ નજીક આવી પહોંચ્યું. ગૌતમસ્વામી, આસનથી ઉભા થઈ તેની હામે જાય છે. એટલું જ નહિ પરનું ગૌતમસ્વામી, કુંદક તાપસનું સ્વાગત કરે છે. ગૌતમસ્વામી કહે છે:
“દે લંકા, : ચંદ્રા, ફુલાવે! લેવા, હવૈ ! ધંધા, સાયમનુરાગથે ”
અર્થાત – હે અંક, તમને સ્વાગત છે. તમને સુસ્વાગત છે; હે કુંદક, તમને અન્યોગત છે, હે આંદક, તમને સ્વાગત અવાગત છે ! મતલબ કે, હે ર્માદક, પધારે, તમે ભલે પધાર્યા!
વ્યવહારનું કેટલું સુંદર પાલન! ભવિષ્યમાં ભલે તે જૈન દીક્ષા લેવાનો હોય, પરંતુ વર્તમાનમાં તાપસ વેષધારીની હામે ગૌતમસ્વાતી પોતે જાય, અને એનું આટલું સ્વાગત – સન્માન કરે, એ કેટલું વ્યવહારપાલન !
આ પછી શ્રી ગૌતમસ્વામીએ અંદકના આવવાનો હૃદયગત હેતુ કહી બતાવ્યો. આથી દકને આશ્ચર્ય થયું, અને તેણે ગૌતમસ્વામીને પૂછ્યું કે – “તે એવા પ્રકારના જ્ઞાની કેણું છે કે, જેમણે મારા હૃદયની પાત તમને કહી '! શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીનું નામ લીધું. અને ભગવાનને જ્ઞાનનો મહિમા કહ્યો. તે પછી ગૌતમસ્વામીની સાથે, સ્કંદઃ ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે. ભગવાનને
For Private And Personal Use Only