SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મહાવીર નિર્વાણ યજ્ઞ કરવા માટે રાજ્ય માગ્યું. તેણે તેને સર્વસ્વ આપ્યું, અને પિને [ મહાપ ] અંતઃપુરનો આશરો લીધો. આ વખતે સુવ્રતાચાર્ય વિચરતા વિચરતા ત્યાં હસ્તિનાપુરમાં આવી ચતુર્માસ રહ્યા. નવીન રાજ ગાદીએ બેઠેલો જાણી સર્વ દાર્શનિક દર્શનાર્થે આવ્યા. પરંતુ સુવતાચાર્યને નહિ આવેલા જોઈ નમુચિ ક્રોધાયમાન થઈ કહેવા લાગ્યો કે - “મારી આ ભૂમિ તમારે સાત દિવસમાં છોડી ચાલ્યા જવું! અન્યથા મારી નાખીશ. કારણ તમે મને મળવા પણ આવ્યા નહિ. ત્યારે આચાર્યે સકલસંધ એકત્ર કરી, પછી એક આકાશગામિની વિદ્યાવાલા સાધુને બોલાવી આજ્ઞા કરી કે મેરૂચૂલિકા ઉપર સ્થિત રહેલા વિષ્ણુકુમારને તેડી લાવો. મુનિએ કહ્યું કે મારામાં ત્યાં જવાની શક્તિ છે, પણ પાછી આવવાની નથી. આચાર્યે કહ્યું કે તમને તે વિષ્ણુકુમાર તેડી લાવશે. તેથી તે સાધુ ત્યાં ગયા. વિષ્ણકુમારને વાંદી સર્વ હકીકત કહી. તેઓ આ વૃત્તાંત સાંભળી તરત જ આકાશમાર્ગે આવ્યા, આવી ગજપુર નગરમાં ગયા, અને રાજસભામાં ગયા. નમુચિ સિવાય દરેક તેમને વંદન કર્યું. તેમણે નમુચિને ઓળખે અને કહ્યું કે -- સાધુઓને સ્થાન આપ” તેણે ના પાડી. વિષ્ણુકુમારે ત્રણ ડગલા જેટલી જમીન માગી. તેણે તે આપી અને કહ્યું કે – જે ત્રણ ડગલા બહાર કેઈને જઈશ તે મારી નાખીશ.” તેથી વૈક્રિય લબ્ધિથી એકલક્ષ યોજન પ્રમાણે દેહવાળા થઈ વિષ્ણુકુમાર ઋષિએ કુંડલ, ગદા, ચક્ર, ધનુષ્ય ધારણ કરી લાત મારી પૃથ્વીને ધ્રુજાવી. સાગરો પણ ક્ષોભ પામ્યા. કૃત્કારથી ખેચરે પલાયન થયા. નદીઓ પ્રવાહનો રસ્તે તજી દઈ અવળે રસ્તે ચાલી. ગ્રહ નક્ષત્રો ફરવા લાગ્યા. કુલગિરિ પર્વતે ડોલવા લાગ્યા. પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર ઉપર બંને પગ મૂકી, ત્રીજો પગ નમુચિના મસ્તકે મૂકી મહાત્મા સ્થિત રહ્યા. ત્યારે એ અવધિજ્ઞાનથી જાણી દેવાંગનાઓને મોકલી. તેઓ મધુર સ્વરે ક્ષમાને ઉપદેશ ગતિ ગીતે ગાવા લાગી. મહાપદ્મ ચક્ર તિ વગેરે આ બધે વ્યતિકર જાણીને તેમને શાંત કરવા પગ-મન કરવા લાગ્યા. એટલે તે ઉપશાંતમૂળ સ્વરૂપે-સ્થિત થયા. ચક્રવતિએ મહર્ષિને ખમાવ્યા. સંઘે નમુચિને વિષ્ણુકુમાર પાસેથી તેમજ ચક્રવર્તિ પાસેથી કૃપા કરી છેડાવવા કહ્યું. તે વખતે વર્ષાઋતુ (ચતુર્માસ)ના ચોથા માસના પક્ષ-સંધિના દિવસે (અમાવાસ્યાએ) ઉત્પાત શાંત થવાને લીધે લેકે આનંદિત થઈ અન્ય જુહાર કરવા લાગ્યા, વિશિષ્ટ પ્રકારના ઘરેણાં, ભોજન, પહેરવું, ઓઢવું, તાબુલાદિ ઉપભોગની પ્રવૃત્તિ કરવા લાગ્યાં, તે વ્યવહાર આજસુધી પણ ચાલુ છે. વિષ્ણકુમાર કાલાંતરે કેવલી થઈમેક્ષે ગયા, અને મહાપદ્મ પણ અનુક્રમે દીક્ષા લઈ મોક્ષે ગયા. દશપૂવ આર્ય સુહસ્તિસૂરિના મુખથી આવી રીતે સાંભળીને સંપ્રતિ રાજા વિશેષ પ્રકારે પર્વ દિવસમાં પૂજા વગેરે ધર્મકાર્યમાં તત્પર થયા. મધ્ય પાપાનગરીનું નામ પૂર્વે અપાપાપુરી હતું, પછી શકે પાવાપુરી નામ રાખ્યું, કારણ અહીં મહાવીર પ્રભુ કાલધર્મ પામ્યા. For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy