SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક થાકીને શાંત પડી ગયો ત્યારે ભગવાન મહાવીરે, દિવસ ઉગવાને એક મુદ્દત (૪૮ મિનીટ) જેટલો સમય બાકી રહ્યો ત્યારે. જરાક નિદ્રા લીધી. તે સમયે ભગવાન મહાવીરે દશ સ્વપ્ન દીઠાં. તે સ્વપ્નાં તેમના વર્તમાન તથા ભવિષ્યના જીવન સાથે સંબંધ ધરાવનાર હોવાથી તે વિષે વિચાર કરવો જરૂરી છે. કયાં કયાં દશ સ્વપ્નને ઉલેખ છે: જે વખતે હું આ લેખ લખી રહ્યો છું તે વખતે મહાવીરચરિત્ર વિશે મારી સામે પાંચ ગ્રંથ છે. તેનાં નામ આ છે : १. कल्पसूत्रमूल--सुबोधिकाटीका साथे. ૨. ,, રાષિા સાથે. ३. आवश्यकसूत्र--भद्रबाहुनियुक्ति-भाष्य-उपोद्घातयुक्त. છે. મવીશ્વરિય (પ્રા.) શ્રી ગુણવંત્રમૂરિd, 5. મહાવીરચરિત્ર (સં.) શ્રીમચંદમૂરિકૃત, આમાં પહેલાંના બે ગ્રંથોના મૂળ પાઠમાં તો દશ સ્વપ્નાં વિષે કાંઈ પણ ઉલ્લેખ નથી. પણ આવશ્યકનિયુક્તિ જે આજથી લગભગ ૩૦૦ પૂર્વે બનેલી છે તેના કર્તા શ્રી ભદ્રબાહુ સ્વામી (ચૌદ પૂર્વધારી) છે, તેમાં દશ સ્વપ્નાને. ઉલ્લેખ મળે છે, તેમ તેના ભાષ્ય-ઉપોદઘાત-ટીકામાં પણ છે. આવશ્યક આદિ ઉપર દશ નિર્યુકિતઓના કર્તા અને કલ્પસૂત્રને નવમા પૂર્વમાંથી ઉદ્દધત કરી દશાશ્રુતસ્કંધના આડમા અધ્યાય તરીકે બનાવનાર શ્રી ભદ્રબાહુ સ્વામી એક જ છે, એટલે કલ્પસત્રના મૂલ પાઠમાં ભગવાનનાં આ દશ સ્વમાં ન હોય તો પણ ૨૦૦૦ વર્ષ પહેલાં તે દશ સ્વપ્નો વિશે માન્યતા દત હતી તેમાં વાંધા જેવું કશુંય નથી. તેના કરતાંય જૂના મૂળ-અંગ-ઉપાંગ સાહિત્યમાં તે વિશે ઉલ્લેખ છે કે નહિ તેની શોધ કરવાનું કાર્ય અત્યારે હું મૂકી દઉં છું અથવા બીજા લેખકો ઉપર નાખું છું. આવશ્યક નિર્યુક્તિ અને ભાષ્યમાં મહાવીર–ચરિત્ર વિષે બહુ જ સંક્ષેપમાં લખ્યું છે. પાછલા ગ્રંથમાં જે કેટલીક ચમત્કારિક ઘટનાઓ છે, તે પૈકી કેટલીક १. “ तत्थ सामीदे सूणे चत्तारि जामे अतीय परितावितो पभायकाले मुहुत्तमेत्तं निहापमायं गतो તથિ વા મટામિને વારાફ ના – આવશ્યક ઉપદ્રવાત પૃવ ર૦. * " चतुर्दशपूर्वधारिश्रीभद्रबाहुस्वामिभि: प्रत्याख्यानप्रवादाभिधनवमपूर्वात श्रीदशा. ધૃતર્પેટમાઘયત્વેન કરવહિતાર્થે સમુહૂત : || કલ્પસૂત્રની દીપિકા, ટીકા, પૃ. 9, (જયવિજયજી કૃત) श्रीभद्रवाहुर्वः प्रीत्यै सूरिः शौरिरिवास्तु सः ।। થરમાન્ શાનાં નમાલિત નિર્ગુનામૃવામિવ છે મુનિર. આર્ય ભદ્રબાહુ સ્વામીની સત્તા, વીરની બીજી શતાબ્દીમાં હતી. અર્થાત વિક્રમની ૩૦૦ પૂર્વે તેઓ જીવતા હતા. તેમનું નિર્વાણ, વીર સંવત ૧૭૦ વર્ષે થયું છે. જુઓ – वीरमोक्षाद् वर्षशते सप्तत्याने गते सति । મgવશ્વામી ચ વ સમાધિના . પરિશિષ્ટ પર્વ, સર્ગ ૯, શ્લોક ૧૧૨, For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy