SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૂલપાણિયક્ષને ઉપસર્ગ ૨૩૩ બીજો મત ઉપલી વાતને સ્વીકારવાની તદ્દન ના પાડે છે. તેમના મત પ્રમાણે ભગવાન મહાવીરને તમામ વિહાર પૂર્વ દેશમાં થયો છે. ભગવાન્ મારવાડ કે ગુજરાતમાં વિચર્યા જ નથી, કેમકે ભગવાન મહાવીર વિષે લખાએલા પ્રાચીન–વિશ્વાસુ ગ્રંથમાં ભગવાન મહાવીર શત્રુંજય, વઢવાણ કે આબુ તરફ આવ્યાનું લખ્યું નથી. એ હિસાબે બંગાળમાં અત્યારે વધમાન નામનું મોટું શહેર છે તે પૂર્વનું અસ્થિક-યા વધમાન ગામ હોવું જોઈએ એમ મનાય છે. પણ આમાં નિણત સત્ય શું છે તે હજી કહી શકાય નહીં.+હજીય આમાં ભગવાનના વિવારના તમામ ગામો માટે બહુ ઉંડીગંભીર શોધખોળની આવશ્યકતા છે, તે માટે જૈન સમાજે એક કમિટી નીમી નવી પદ્ધતિએ ખૂબ પરિશ્રમ કરવું જોઈએ. ઉપસર્ગ: શુલપાણિના મંદિરમાં જે કંઈ ઉતરતું–રાત્રે રહેતું તેને તે બહુ પજવતે, તેથી સેંકડો લોકોને ત્રાસ થતો. મહાસરવશાળી પુરુષો જગતને ત્રાસ મટાડવા જન્મેલા હોય છે. તેઓ ગમે તે ભોગે બીજાનાં દુઃખ દૂર કરે છે. તે માટે ભગવાને, વિહાર કરી વધમાન ગામમાં જઈ તે જ યક્ષના મંદિરમાં ઉતરવા જગ માંગી; પૂજારી અને ગ્રામવાસીઓએ ઉપસર્ગ થતો હોવાથી ત્યાં ઉતરવા ના પાડી, છતાં ભગવાન તેમને સમજાવી તે મંદિરમાં રાત્રે રહ્યા. રાત્રે યક્ષે બહુ ભયંકર રૂપ બનાવી; મહાન ભયંકર હાસ્ય કર્યું. તે પછી હાથી અને સાપનું રૂપ બનાવી ભગવાનને બીવડાવવા, દુઃખી કરવા ઘણી ચેષ્ટાઓ કરી પણ શું પવનથી મેરુ ચલાયમાન થઈ શકે ? તે પછી તે યક્ષે પિતાને વધુ પુરુષાર્થ (!) બતાવવા ભગવાનના કાન, નાક, દાંત, નખ, આંખ અને પીઠમાં સાત પ્રકારની કપરી યાતનાઓ ઉત્પન્ન કરી. ભગવાન તે મહાવીર હતા. દુ:ખ સહવા માટે અને શાંતિથી તેને વશ કરવા માટે જ તેઓ ત્યાં આવ્યા હતા. તેઓ જરાય ચલાયમાન થયા નહિ કે ગભરાય નહિ. આત્મશક્તિની આગળ બંદુક, તલવાર કે તે તે શું પણ ઇન્દ્રનું વજ અને બળ પણ કુંઠિન થઈ શકે છે. પેલો યક્ષ વીરના આત્મતેજથી ગભર, શાંત થયો અને શરણમાં આવી નમ્ર થઈ મારી માગવા લાગ્યો; ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યો. તેણે જાણ્યું કે મેં સૂર્યની સામે ધૂલ ઉડારી છે. ભગવાન તે કરુણસમુદ્ર હતા, મહાશક્તિસંપન્ન હોવા છતાં ક્ષમાના નિધાન હતા, જ્ઞાની છતાં મૌની હતા. તેથી તેમણે માફી આપી. આખી રાત દેવકૃત ઉપસર્ગો-કોની પરંપરા સહન કર્યા પછી, યક્ષ જ્યારે | શ્રી લાલવિયજીના શિષ્ય પં. સભાગ્યવિજ્યજીએ વિ. સં. ૧૫ માં તીર્થમાલા બનાવી છે. તેમાં લખ્યું છે કે – शूलपांण जक्ष ठांम कहेतां अस्थिप्रांम हो । બવ વર્ષનાર વિદ્યાતા ગાળે તેવી વાતi દો . હાલ સાતમી, પૂ. ૮૪. અર્થાત તેઓ બંગાલમાં આવેલ બધમાનને પ્રાચીન વર્ધમાન માની નિર્ણય કેવળીને સોંપે છે. ૧. યક્ષે જે વેદનાઓ ઉપજાવી હતી તે કેટલી ભયંકર હતી તે વિષે આવશ્યક ઉપોદઘાત ટીકામાં લખે છે કે – વેળા કાચનાલ્લુ વિચં સંમિ સમરણા, વુિળ હાવીરમેયામ પૃ૦ ૨૬૯, આગમેદય સમિતિની આવૃત્તિ પહેલી, For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy