________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદ્રપદ
શ્રી જૈન સત્ય પ્રકાશ “આરાત્રિક' શબ્દ યોગશાસ (પ્ર. ૩, . ૧૨૪) ના સ્વપન વિવરણના ૨૧૧ મા પત્રમાં તેમજ પ્રવચનસારોદ્ધાર (ઠા. ૧, . ૬૯ ) ની વૃત્તિના ૧૩ મા પત્રમાં નજરે પડે છે.
આરાત્રિના પ્રાકૃતરૂપ “આત્તિય નો વિચાર કરીશું તો જણાશે કે એ શબ્દ ચેઈયવંદનમહાભાસ (ગા. ૨૦૫)માં, પ્રાકૃત દુવ્યાશ્રય (સ. ૨, લે. ૭૮, ૮૨)માં, સુરસુંદરી ચરિયા (પ. ૧૦)માં અને આચારદિનકર (પૃ. ૫૮ ) માં પણ જોવાય છે.
નરેશ્વરના બહુમાનાર્થે ઉતારાતી આરતી વિષેનો ઉલ્લેખ પણ જૈન ગ્રંથોમાં મળી આવે છે. જેમ કે તિલક-મંજરી, પ્રાકૃતઃવાશ્રય (સ. ૬, લો. ૩૨) વગેરે.
આવા પ્રસંગમાં ઉતારાતી આરતી વિષેનો ઉલ્લેખ અજૈન સાહિત્યમાં પણ જોવાય છે. દાખલા તરીકે કાદંબરી, વાસવદત્તા, હર્ષાખ્યાયિકા વગેરે.
મંગળદીવો પર્યાય- આપણે જેને ગુજરાતીમાં મંગળ દીવો ” કહીએ છીએ તેને સંસ્કૃતમાં માંગલિક દીપ' અને પ્રાકૃતમાં “મંગલદીવ' કહેવામાં આવે છે. મંદિરમાં આરતી ઉતર્યા પછી આ દીવો ઉતારાય છે.
પ્રાચીનતા- શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાશક (૮, ૨૩)માં “મંગળદવા” વિષે ઉલ્લેખ છે. આ ઉપરથી એ વાત નક્કી થાય છે કે મંગળદીવો ઉતારવાની પ્રથા ઓછામાં–છી લગભગ બાર સૈકા જેટલી તો પ્રાચીન છે જ. અષ્ટપ્રકારી પૂજામાં જે દીપપૂજા ગણાવાય છે તેમાં મંગળદીવાને સ્થાને અપાયેલું છે. એટલે જે દીપક પૂજાના
સ્વરૂપને લગતે પ્રાચીનમાં પ્રાચીન ઉલ્લેખ મંગળદીવાનો નિર્દેશાત્મક મળી આવે તો આ દિશામાં વિશેષ પ્રકાશ પડે.
ઉદ્ભવ- સૌથી પ્રથમ મંગળદીવો ઉતરાતો હશે અને પછીથી આરતીને જન્મ થયો હશે કે એથી વિપરીત ક્રમ હે જોઈએ કે બંનેની ઉત્પત્તિ સમકાલીન હોવી જોઈએ, એમ જુદા જુદા ત્રણ પ્રશ્ન ઉદ્ભવે છે. મંગળદીવાને પ્રકાશ આરતીના જેટલો ઝગઝગતો હોતો નથી એટલે ભક્તિના આવેગમાં મંગળદીવામાંથી આરતીનો ઉદ્દભવ થયો હશે એમ મનાય. જેઓ આરતીમાંથી મંગળદીવાની ઉત્પત્તિ થઈ હશે એમ માને તેમનું કહેવું એ હોઈ શકે કે આરતી ઉતારવા માટે જોઇતે સમય ન હોય ત્યારે તે મંગળદીવો ઉતારીને ચલાવી લે. આ બંને માન્યતાને સમર્થનમાં કોઈ ઐતિહાસિક કે આમિક પ્રમાણ મળી આવતું જણાતું નથી. આથી એમ પણ માનવાનું કારણ રહે છે કે મંગળદીવો અને આરતી એ બંનેને જન્મ સાથે જ થયું હોય.
- ૨. અજૈનો પૈકી વૈષ્ણવે તો પિતાના વિવિધ દશન પૈકી એકને “આરતીના દર્શન એવા નામથી ઓળખાવે છે.
૩. આહત જીવન જ્યોતિને અભ્યાસ કરાવનારા વર્ગને ઉદ્દેશીને એક ગ્રંથ રચતી વેળા આ ટૂંકી નોંધ કરવામાં આવી હતી,
For Private And Personal Use Only