________________
[૭૪]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ વર્ષ ૪
છે છતાં બીજા સાધનો અને સમયની ખામી છે. આ લેખ માટે મેં મુખ્યત્યા નિમ્ન ગ્રંથને ઉપયોગ કર્યો છે, તેની સાભાર નોંધ લઉં છું:
૧. ઉ. ધર્મસાગરજીકૃત તપાગચ્છ પાવલી. (પદાવલી સમુચ્ચય ભા. ૧માંથી) ૨. જનસાહિત્ય સંશોધકમાં પ્રગટ થયેલ વીરવંશાવલી. ૭. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરડમાં પ્રકાશિત તપગચ્છ પાવલી.
આ સિવાય પ્રભાવક ચરિત્ર ભાષાંતર (પર્યાલચના સહિત), પરિશિષ્ટ પર્વ, તપગચ્છ શ્રમણ વશવૃક્ષ, પટ્ટાવેલો સમુચ્ચય ભા. ૧, ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિંતામણિ, વિચારણિ (જૈન સાહિત્ય સંશોધકમાં પ્રકાશિત), વીરનિર્વાણુ સંવત ઔર જેનકાલ ગણના, જનસત્યપ્રકાશની પ્રથમ વર્ષની ફાઇલ, હીરસૌભાગ્ય, વિજયકશસ્ત વગેરે ગ્રંથની મેં મદદ લીધી છે. જો સમયની અનુકૂળતા હોત તે આ વિષય માટે આથી વિશેષ લખી શકાત એ હું જાણું છું,
આ એક એતિહાસિક લેખ છે, અને ઇતિહાસનું ક્ષેત્ર જેટલું ખેડાય તેટલું તેમાં વધુ સત્ય મળે છે. વળી આ લેખ ઉતાવળમાં લખ્યો છે એટલે એમાં ક્ષતિ રહેવાની સંભાવના છે. આવી કોઈ ક્ષતિ જેના જવામાં આવે તે મને અવશ્ય જણાવશે તે હું મારી ભૂલ સુધારી લઈશ.
છેવટે-આવા લેખે માટે સદાય સહાયતા આપતા અને પ્રેરણુ કરતા પૂ. ગુરૂ મહારાજશ્રી દર્શન વિજયજી મહારાજને આભાર માની આ લેખ સમાપ્ત કરું છું.
સત્સંગ जे आयओ परओ वा वि णच्चा, अलमप्पणो होंति अलं परेसिं। तं जाइभूतं च सयावसेज्जा,
जे पाउकुज्जा अणुवीइ धम्मं ॥ પિતાની અંદર તેમજ બહાર–એમ બંને રીતે સત્યને જાણીને જેઓ પિતાને તેમજ બીજાને તારવાને સમર્થ છે, તેવા જગતના તિરૂપ તથા ધમને સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનાર (મહાત્મા ) ની સોબતમાં હમેશ રહેવું. (૧૨-૧૯)
સૂતાં સૂત્ર (‘મહાવીર સ્વામીને સંયમ ધર્મ )
Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org