SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા [૭૩] આપ્યો છે. એક વીર નિ, સં. ૮૯૯, બીજો ૯૮૦ ને અને ત્રીજે ૮૮૩ને. આ વખતે અન્તિમ કાલિકાચાર્ય થયા. વીર નિ. સં. ૯૮૦ માં દેવદ્ધિગણિ ક્ષમાશમણે વલભીપુરમાં આગામે પુસ્તકારૂઢ કરાવ્યાં. તેઓ આર્યસુવતીની પરંપરામાં થયા. યુગપ્રધાન પટ્ટાવલી પ્રમાણે તેઓ ૨૭ મા યુગપ્રધાન થયા. તેમણે ‘ઉત્તરકાંતાન અથવા પુરતાપિતા– પિતા એટલે વિચ્છેદ ન જાય તે માટે આપેમેને પુસ્તકમાં લખાવ્યા. દિગંબરે આને અર્થ એ કરે છે કે તેમણે આગ લા-એટલે કે નવા બનાવ્યા. પણ એ વાત કેવળ ભ્રમ છે. અહીં તે સ્પષ્ટ ઉલ્લેખ છે કે વિછેર ન થાય તે માટે પુસ્તકારૂઢ કર્યા. આ બ્રમનું મૂળ “લખ્યા નો અર્થ “રચા ” કર્યો એ છે. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં ગંધર્વ વાદવેતાલ શાંતિસૂરિ થયા જેમણે આગમસંકલનામાં તેમને સારી મદદ કરી હતી. આ સમય વીર નિ. સં. ૮૮૦ થી ૯૯૩ને છે. સમુદ્રસૂારેએ દિગંબરાચાર્યને જતી નાગદ તીર્થને બચાવ્યું હતું. ૨૭મા દેવસૂરિ (બીજા) આમને વિશેષ પરિચય નથી મળતું. તેઓ વીર નિ. સં. ૧૦૦ ના આચાર્ય છે અને શ્રીહરિભદ્રસૂરિજીના મિત્ર હતા. આ માટે લખ્યું છે કે : विद्यासमुद्रहरिभद्रमुनीन्द्रमित्रं सूरिर्बभूव पुनरेव हि मानदेवः । मांधात्प्रपातमपि योऽनघसूरिम' लेभेऽम्बिकामुखगिरा तपसोज्जयते ।। વીર નિ. સ. ૧૦૦૦માં સત્યમિત્ર નામના પૂર્વધર અને યુગપ્રધાન થયા. અને પૂર્વજ્ઞાનને વિચ્છેદ થયે. વજસેનસૂરિથી સત્યમિત્ર સુધીમાં છ યુગ પ્રધાને થયાઃ ૧. ના હતી, ૨, રેવતમિત્ર બ્રહ્મદીપ, ૩, નાગાર્જુન, ૪. ભૂતદિન ૫. કાલિકાચાર્ય અને ૬ સત્યમિત્રસૂરિ. યુગપ્રધાન મંત્ર પ્રમાણે સત્યમિત્ર આઠમા યુગ પ્રધાન થયા. ઉપસંહાર આ રીતે પ્રભુ વીરના નિર્વાણ પછીના ૧૦૦૦ વર્ષના પટ્ટપરંપરાના આચાર્યોને સંક્ષિપ્ત પરિચય મેં આપ્યું છે. સમય માટે મતભેદ રહેવાને જ. અનેક ગ્રંથકારોએ એ મતભેદ ચાલુ રાખે છે. એટલે હું પણ તે માર્ગને અનુસર્યો છું. આ સિવાય તે તે વખતના મહાન આચાર્યોના ટ્રેક પરિચય પણ મેં આપ્યા છે. અને મહત્ત્વના પ્રસંગની નેંધ પણ લીધી છે. આ વિષય ઉપર પુષ્કળ લખી શકાય એમ છે. કેટલાંક સાધને ઉપલબ્ધ થયાં ૨૦ હરિભદ્રસૂરિ બહુ જ વિખ્યાત આચાર્ય થયા. તેઓ “યાકિનીમહત્તરાધર્મસૂનુ’ તરીકે ખ્યાત છે. તેમણે ૧૪૪૪ Jથે બતાવ્યા છે. તેમાં મુખ્ય-દશવૈકાલિકસૂત્ર, આવશ્યક, ન્યાયપ્રવેશ, ધ્યાનશતક આદિની વૃત્તિઓ, અનેકાંત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, વદર્શન સમુચ્ચય, સમરાઈચકતા વગેરે ગ્રંથે પ્રસિદ્ધ છે. તેમના સમય-નર્ણય માટે વિદ્વાનોમાં જુદા જુદા મત પ્રવર્તે છે. વિશેષ પરિચય માટે પ્રભાવકચરિત્ર, ચતુર્વિશતિ પ્રબંધ, હરિભદ્રસૂરિ સમયનિર્ણય વગેરે જેવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy