SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨ ] ગુરૂ-પરંપરા [ ૧૮ ] આર્ય સુહસ્તિ વીર. નિ. સં. ૨૮૧માં સ્વર્ગવાસી થયા અને તે પછી બે જ વર્ષે વીર નિ. સં. ૨૪૩માં સંપતિને સ્વર્ગવાસ થયે. સુધર્માસ્વામીથી લઇને આર્ય સુહસ્તિ સુધી નિગ્રન્થગચ્છ કહેવાય. ૯ સુસ્થિતસૂરિ અને સુપ્રતિબદ્ધસૂરિ આ બન્ને આચાર્યો એક જ ગુરના શિષ્ય અને વ્યાઘાપત્ય ગોત્રના છે. બન્નેએ ઉદયગિરિ, અંડગિરિની ગુફામાં કરડવાર સુરિમંત્ર જાપ કર્યો હતો તેથી નિગ્રંથગચ્છનું બીજું નામ કેટિગ પડયું. ૧૦આ ગચ્છત પરિચય હીરસોભાગ્ય (સર્ગ ૪ શ્લોક ૪૪)માં આ પ્રમાણે છે : प्रीति सृजंति पुरुषोत्तमानां दुग्धाम्बुराशेरिव पद्मवासा । ह्रदाजिनं बिभ्रत आविरासीत् तत्मरियुग्मादिह कौटिकाख्यः ॥ આ સૂરિમહારાજે જ્યાં જાપ કર્યો હતો તે સ્થાને મહામેધવાહન રાજા ખારવેલે ૧૧ એક સ્થાન બનાવી ત્યાં શિલાલેખ કોતરાવ્યો હતો. સુસ્થિતિસૂરિ વીર વિ. સં. ૩૭ર માં સ્વર્ગવાસી થયા. આ સમયે આર્ય ખપૂટાચાર્ય વિદ્યમાન હતા.૬૨ ૧૦ આર્ય મહાગિરિજીના બીજા શિષ્યો બહુલ અને બલિસ્સહ થયા. તેમાં બલિસ્સહના શિષ ઉમાસ્વાતિ વાચક થયા. તેમણે તત્ત્વાર્થાધિગમસૂત્ર, પ્રશમરતિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ આદિ પાંચસે પ્રકરણ રચ્યાં હતાં. તેમના શિષ્ય શ્યામાચાર્યજી થયા. તેમનું બીજું નામ કાલિચાય” હતું અને તેમણે ઈંદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવ્યું હતું. તેમણે પન્નવણું સૂત્ર રચ્યું હતું. તેઓ વીરનિ સં૦ ૩૭૬ માં સ્વર્ગે ગયા. તેમના શિષ્ય સાંડિલ્પ થયા, જેમણે આતમર્યાદા ૧૧ મહામેઘવાહન રાજા ખારવેલ, મહારાજા મેડાને વંશજ હતે. નંદરાજ ગષભદેવની જે સુવર્ણ પ્રતિમા લઈ ગયા હતા તેને તે પુષ્યમિત્રના સમયમાં તેને હરે કલ'ગમાં પાછી લાગ્યું હતું અને તેની કુમારગિરિ પર્વત ઉપર આર્યસુસ્થિતસૂરિ પરે પ્રતિષ્ઠા કરાવી હતી. તેના વખતમાં બારદુકાળી પડવાથી આગમજ્ઞાન નષ્ટ થતું જોઇ દુકાળા ઉતર્યા પછી તે વખતના પ્રસિદ્ધ આચાર્યો-આર્ય સુસ્થિતસૂરિ, સુપ્રતિબદ્ધસૂરિ, બકિસ્સહ, બે ધિલિંગ, દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, નક્ષાત્રાચાર્ય, ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વગેરે કુલ પાંચસો સાધુએ; આર્યા પણ વગેરે સાતસે સારીએ, કલિંગરાજ, ભિક્ષુરાજ, સીવંદ, ચૂક, સેલક વગેરે ભાવકે; કલિક મહારાણી પૂર્ણમિત્રા આદિ સાતસો શ્રાવિકાઓ : એમ ચતુર્વિધ સંવે ભેગા મળી પૂર્વધ એ આગમજ્ઞાન સંગ્રહ્યું. આ રીતે આ રાજા દ્વાદશાંગીને સંરક્ષક બન્યો. ખાયેલ વીર નિ સં૦ ૩૩૦ માં સ્વર્ગે ગયા પછી તેને પુત્ર વક્રરાય પણ જનમ થયો. તે વીર નિ સં૦ ૩૬૨ માં સ્વર્ગે ગયે. તેને પુત્ર વિદુરરાય પણ જૈનધર્મી હ. “હિમત પેલાવલી ”ના લેખ પ્રમાણે તે વીર નિ સં૦ ૩૭૨ માં સ્વર્ગે ગયો. ખારવેલને હાથીગુફાને લેખ પ્રગટ થઈ ગયો છે. ૧૨ આર્ય ખપૂટાચાર્યના સમય માટે મતભેદ છે. “વીરવંશાવલી’ અને ‘તપાગચ્છપટ્ટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy