________________
[૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ : ૧૦ ઇદ્રદિવસૂરિ
આમને વધુ પરિચય નથી મળતા. વીર. વિ. સં. ની પંચમી શતાબ્દીના આ મહાપ્રતાપી જૈનાચાર્ય થયા. એમના સમકાલીન બીજા કેટલાય પ્રસિદ્ધ આચાર્યો થયા છે : વીર નિ. સં. ૪૫૩માં ગદ્ધભિલ્લને નાશ કરાવનાર કલિકાચાર્ય, ઉ. ધર્મસાગરજીના મત પ્રમાણે આર્ય ખપૂટાચાર્ય; વીર નિ. સં. ૪૬૭માં આર્યમંગુ, વૃદ્ધવાદીસૂરિ, સિદ્ધસેન દિવાકર, પાદલિપ્તસૂરિ વગેરે. ઇંદ્રદત્નસૂરિજીના નાના ગુરૂભાઇ કિયગ્રંથસૂરિ થયા. તેમણે અજમેર પાસેના હર્ષપુર નગરના બ્રાહ્મણોને પ્રતિબધી યજ્ઞમાં થતા બકરાને બલિ બંધ કરાવ્યું હતું અને જૈનશાસનની પ્રભાવના કરી હતી. તેઓ કાશ્યપ ગોત્રના હતા. વિશેષ માટે જુઓ 'કલ્પસૂત્ર સુબાધિકા.” “વાર વંશાવલીમાં પણ સંક્ષિપ્ત પરિચય મળે છે.
કાલકાચાર્ય સંબંધી ખુલાસે–આ નામના ચાર આચાર્યો થયા તે આ પ્રમાણે
૧-ઇંદ્રપ્રતિબંધક, પ્રજ્ઞાપના સૂત્રના કર્તા અને જે સ્વાભાચાર્યના નામથી પ્રસિદ્ધ છે તે કાલિકાચાર્ય વીર વિ. સં. ૩૨૦ થી ૩૩૫ સુધીમાં થયા.
૨–અવિનીતશિષ્યત્યાગી, આજીવિકા પાસે નિમિત્ત શાસ્ત્રનું અધ્યયન કરનાર, ગદંભિલ્લ રાજાને નાશ કરાવનાર, ઇંદ્રના પ્રશ્નના ઉત્તરદાતા-ઇંદ્રને નિગોદનું સ્વરૂપ સમજાવનાર, પાંચમના બદલે એથની સંવત્સરી પ્રવર્તાવનાર કાલિકાચાર્ય, જેમને ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યા છે તે. તેઓ ખપુટાચાર્ય અને પાદલિપ્તસૂરિજીના સમકાલીન હતા. તેમણે પંજાબમાં ભાવડાગચ્છ સ્થાપ્યો હતો. તેઓ વીર વિ. સં. ૪૫૩માં થયા.
૩–વિષ્ણુસૂરિજીના શિષ્ય કાલકાચાર્ય.
૪–દેવદ્ધિગણિ ક્ષમાશમણુના સમકાલીન, ભૂતદિન્નસૂરિજીના શિષ્ય, માધુરી વાચનામાં સહાયક, આનંદપુરમાં સભાસમક્ષ-ચતુર્વિધ સંઘ સમક્ષ ચોથના દિવસે કલ્પસૂત્રનું વાચન શરૂ કરનાર આ કાલકાચાર્ય વીર નિ. સં. ૯૮૦માં, વાચના ભેદથી ૯૯૭માં થયા.
( ઉત્તરાધ્યયન નિર્યુક્તિ; વિચારશ્રેણિ, રત્નસંચય પ્રકરણ,
કાલસપ્તતિકા, પટ્ટાવલી સમુચ્ચય પૃ, ૧૯૮ના આધારે.) ઇંદ્રદિન રિના સમકાલીન ઉપર લખેલ આચાર્યોને ટેક પરિચય આ પ્રમાણે છે :
આયમંગુ–નંદીસૂત્રની ગુર્નાવલીના લખવા પ્રમાણે તેઓ આર્ય સમુદ્રના શિષ્ય હતા. તેઓ વીર નિ. સં. ૪૬૭માં થયા. જિનપ્રભસૂરિ મથુરાકલ્પમાં તેમના માટે લખે
વલી'માં તેમને આર્ય સુસ્થિતસૂરિજીના સમયમાં બતાવ્યા છે. ઉપાધ્યાય ધર્મ સાગરજી તેઓ વીર નિસં૦ ૪૫૩ માં થયાનું લખે છે. “ પ્રભાવક ચરિત્ર'માં વીર નિ, સં૪૮૪ ને હલેખ છે. તેઓ મહાપ્રાભાવિક આચાર્ય હતા. “પ્રભાવક ચરિત્ર માં તેમને પાદલિપ્તાચાર્યના વિદ્યાગુરૂ તરિકે વર્ણવ્યા છે. નિશીથચૂણિ'માં તેમને વિદ્યાસિદ્ધ તરીકે વર્ણવ્યા છે. પાટલીપુત્રને રાજા દાહડ જે જૈન સાધુઓને હેરાન કરતે હવે તેને તેમણે યોગ્ય શિક્ષા આપી જનધર્મી બનાવ્યા હતે. ( વિશેષ માટે “પ્રભાવક ચરિત્ર' જેવું )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org