________________
[૪૮]
શ્રી જિન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ :
માહિતીથી ભરપૂર કૃતિઓ છે એમ નહિ, કિન્તુ એમાં પ્રસંગવશાત વ્યાવહારિક જ્ઞાન પણ અજબ રીતે પીસેલું છે. એક એક આગમનું યથેષ્ટ નિરીક્ષણ કરી આ વ્યવહારિક જ્ઞાનને લગતી હકીકતે તારવી કઢાય તેમ છે અને તેમ થતાં તે ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ ઉપર પણ અનેરે પ્રકાશ પાડશે, તેમાં પણ વળી એ આગમની નિજજુત્તિઓ, ચુણિઓ અને પ્રાચીન ટીકાઓને સર્વાગી અભ્યાસ કરાશે તે એ વિવરણાત્મક સાહિત્ય, વર્તાઓ વગેરેને પણ અખૂટ ભંડારરૂપ હોવાથી તે સમયના લોકજીવન ઉપર પણ દિવ્ય પ્રકાશ જરૂર પડશે.
આ પ્રમાણે અનેકવિધ શિષ્ટતાવાળા આપણા આગમના પર્યાચન પરત્વે, આ વિશેષાંકની મર્યાદાને ખ્યાલમાં રાખી મેં જે કઈ નિર્દેપ કર્યો છે તેને ધ્યાનમાં રાખી, આગમના અખંડ અભ્યાસી બનવા ખાસ કરીને આપણા મુનિવરોને વિનવતા અને વિશેષાંકની જના સફળ બને એમ ઇચ્છતા હું વિરમું છું.
સાંકડીશેરી, ગોમતીપુરા, સુરત, તા. ૨૦-૭-૩૮
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSM
અંજલી
મહાવીર અલૌકિક પુરૂષ હતા, એમના જ જે બીજો કોઇ પુરૂષ થયો નથી. વિચારની એમની પ્રબળતા વિશે, તપશ્ચર્યા વિશે, સાધુ જીવનમાં એમના દુઃખ સહન વિશે, એમના પુરૂષાર્થ વિશે અને માનવજાતિથી દૂર રહેવાની એમની વૃત્તિ વિશે આગળ કહી દીધું છે; વળી માણસને સંસારના બંધનમાં બાંધનાર કર્મ ઉપર એમણે પિતાને ખાસ સિદ્ધાંત એ છે એ પણ કહ્યું છે. એકંદરે અત્યાર સુધી આપણને એક તપસ્વીના આદર્શ રૂપે જ દેખાયા છે. પણ વાસ્તવિક રીતે તે એ ઉપરાંત એમનામાં બીજું ઘણું વધારે હતું. એ મહાન વિચારક હતા, વિચારકોમાં એ અગ્રેસર દર્શનકાર હતા. એમના સમયની સૌ વિદ્યાઓમાં એ પારંગત હતા, પિતાની
તપશ્ચર્યાના બળે એ વિદ્યાઓને એમણે રચનાત્મક સ્વરૂપ આપી S પૂર્ણ બનાવી હતી અને પ્રબળ સિદ્ધાન્તતવની અંદર ગોઠવી કાઢી હતી.
પ્ર. લેયમાન
(જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ) ANANANANANANANNNNNNNNNNNANNNNNNNNNNNN
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org