SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ tવર્ષ ૪ રહે ત્યાં સુધી સ્ત્રીસંગ કરે નહિ અને મઘ માંસ ખાવું નહિ. બે વર્ષે દેવળ થયું એટલે વ્રત (બાધા) છોડાવવાની સુરિને વિનંતિ કરી. સૂરિ બોલ્યા, મંદિર તે થયું, પણ શિવજીની યાત્રા થયે વત મૂકવું જોઇએ. રાજાએ આ વાત અંગીકાર કરી અને સેમિનાથની યાત્રાએ નીકળે.” (ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, પૃ. ૧૯૪). આ પ્રમાણે કુમારપાલ સાથે સોમેશ્વરની યાત્રા કર્યા પછી હેમાચાર્યની સત્તા રાજા ઉપર વધતી ગઇ. તેની શક્તિ પ્રકૃતિ અને તેના મનનું મેટાપણું જોઈ રાજાની પ્રીત તેના પર વધતી ગઈ. હેમાચાર્યને હલકો પાડવા બ્રાહ્મણેએ ઘણી ઘણું તજવીજ કરી, પરંતુ તેમનું કંઈ ફાવ્યું નહિ. હેમાચાર્યના બેધથી રાજાએ પિતાને દેવઘરમાં બ્રાહ્મણને દેવની મૂર્તિઓ સાથે શાન્તિનાથ તીર્થકરની મૂર્તિ પણ રાખવા માંડી અને આખરે હેમાચાર્યને અપાસરામાં જઈ તથા જૈન સાધુઓને અગણિત દાન આપી રાજાએ ખુલ્લી રીતે જૈન ધર્મ અંગીકાર કર્યોપછી પોતાના દેવઘરમાંથી બ્રાહ્મણના ધર્મની મૂર્તિઓ તેણે કાઢી નાંખી, અને માત્ર જૈનધર્મની મૂર્તિઓ રાખી. આટલે દરજે ગયા પછી હેમાચાર્યનું અપમાન કરનાર બ્રાહ્મણને રાજા સજા પણ કરવા લાગે.” ( ગુ. પ્રા. ઈ. પૃ. ૧૯૯-૨૦૦ ) કુમારપાળે જૈન દેવળ પાછળ ખર્ચ કરે છે. “સાગલ વસહિકા, કરંબક વિહાર, મુશક વિહાર, ઝાલિકા વિહાર આ સિવાય બીજા ૧૪૪૪ જન દેવળ કુમારે બંધાવ્યાની દંત કથા ચાલે છે.” (પૃ. ૧૮૬). હેમાચાર્યના બેધથી રાજાએ માંસમદિરાને ત્યાગ કર્યો એટલું જ નહિ, પણ લકમાં સાદ પડાવી આજ્ઞા કરી કે કોઈએ જીવહિંસા કરવી નહિ. તેણે માછી, શિકારી, પારધી વગેરે લોકોને પિતાને જીવહિંસાનો ધંધો છોડી બીજા ધંધા કરવાની ફરજ પડી.” (૨૦૦) હેમાચાર્યના બેધથી કુમારપાળે નવારસી મિલ્કત સરકારમાં લેવાનું બંધ કર્યું.” (ગુજરાતને પ્રાચીન ઇતિહાસ, પૃ. ૨૦૧) ૨. . કેશવલાલ હિમ્મતરામ કામદાર જણાવે છે કે “વીસમે સર્ગ (ધાશ્રય) કાવ્યને છેલ્લે સર્ગ છે. તેમાં કુમારપાળ અમારિ ઘોષણા પ્રવર્તાવે છે. નિર્વશ પ્રજાજનના ધનને ત્યાગ કરે છે. કાશીક્ષેત્રને કેશરનાથ મંદિરને પુનરૂદ્ધાર કરાવે છે, સોમનાથના મંદિરને ઉદ્ધાર કરાવે છે. પાટણમાં પાર્શ્વનાથના મંદિરના પ્રાસાદ બંધાવે છે ને કુમારપાલેશ્વરદેવનું (શંકર) મંદિર કરે છે, અને દેવપત્તનમાં પાર્શ્વ ચૈત્ય કરે છે. આ સર્ગમાં ૧. કુમાયુનના ખારાજાએ કેદારેશ્વરનું દેવળ પડી જવા દીધું છે, એવી ખબર જાણું, કેદારેશ્વરનું દેવળ પણ તેણે દુરસ્ત કરાવ્યું. (ગુ, પ્રા ઈ. ૫. ૧૯૬) આ મંદિરને જીર્ણોદ્ધાર કયારે થયો તેની સાલવારી નક્કી કરવી બાકી છે. એ ભૂલવું ન જોઈએ કે સમ્રાટું સંપ્રતિ, કલિંગરાજ ખારવેલ, ગુજ રેશ્વર કુમારપાળ, જગડુશા મંત્રી વસ્તુપાળ વગેરે વગેરે જૈન રાજાઓ અને મંત્રીઓ પરધર્મસહિષ્ણુ હતા. સમ્રા સંપ્રતિ અને ગુ. કુમારપાળે પ્રજાનું પુત્રની સમાન પાલન કર્યું છે, દાનશાળાઓ ખેલી છે, મંત્રી વસ્તુપાળે તે મસીદે પણ બનાવી આપી છે. જગડુશાહે દુકાળમાં સારા ભારતવર્ષને કોઈ પણ જાતના ભેદભાવ વિના મદદ કરી છે. આજે પણ જેના તથા અજેને એક બીજાનાં ધાર્મિક કાર્યોમાં સહયોગ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy