SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા કુમારપાળ [ રહe ] હાર કરાવ્ય (સં. ૧૨૦૮ થી ૧૨૧૧) અને પાર્શ્વનાથનું દહેરાસર પણ કરાવ્યું. કુમારવિહારાદિ જૈન મંદિરો બનાવ્યાં, કર દેરીવાળો ત્રિભુવનવિહાર કરાવ્ય, ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ વગેરે–પ્રતિભાઓ ભરાવી. શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યો (સં. ૧૨૧૬). દાનશાળા ખેલી અને તેની વ્યવસ્થા શ્રીમાલી નેમિનારના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારને હસ્તક સુપ્રત કરી . પિશાળ, ધર્મશાળાઓ બનાવી, દાન આપ્યું. જૈન કુટુઓને મદદ કરી, પના દિવસે શિલ પાળ્યું, મેટો તપ કર્યો નથી, રત્સવ કર્યા, અઠ્ઠાઇ મહેત્સવ કર્યા, શત્રુંજય તીર્થની યાત્રા કરી, કિન્તુ વૃદ્ધાવસ્થાના કારણે ગિરનારની યાત્રા કરી શક્યો નહિં. (સં. ૧૨૨૨-૨૩) ગુ. કુમારપાળ જૈન થયા પછી સવારે નમસ્કાર મંત્રનું સ્મરણ, જિનેન્દ્રવંદન, સત્યવંદન, અષ્ટપ્રકારી જિન પૂજા, ચંદન કપૂર અને સુવર્ણકમળોથી ગુરૂ પૂજા, પ્રત્યાખ્યાન, વ્યાખ્યાન શ્રવણ, ઘરદહેરાસરમાં ભેજન ધર્યા પછી ભેજન કરવું, આઠમ ચૌદશે એકાસણું, બપોરે વિગેઝિ, રાજકાર્ય, સાંજે ભજન, દહેરાસરમાં આંગી, આરતી, મંગળદી, જિનેન્દ્રનાં ગુણગાન, રાત્રે મહાપુરૂષના જીવનની વિચારણું અને નિદ્રા, એ પ્રમાણે સાધારણ દૈનિક કાર્યક્રમ હતે. (કાશ્રય કાવ્ય સંસ્કૃત સર્ગ ૧૬ થી ૨૦, દ્વાશ્રય કાવ્ય પ્રાકૃત, મેહરાજ પરાજય, કુમારપાળ પ્રતિબંધ પૃ. ૫, ૪૧, ૬૭, ૧૪૩થી૧૪૫, ૩૮૬, ૨૧૮, ૧૭૫, ૧૭૯, ૪૨૩.) કુમારપાળની જે સાધારણ જીવન ચર્યા કે દિનચર્ચા હતી તેને જૈન ગ્રન્થકારોએ પ્રત્યક્ષ જોઈને પિતાના ગ્રન્થમાં ઉતારી છે. પ્રત્યક્ષ વસ્તુમાં બીજા પ્રમાણેની આવશ્યકતા રહેતી જ નથી. ગુજરાતના આદ્ય ઈતિહાસ અષ્ટાઓ જૈન વિદ્વાનો જ છે. આજના ઈતિહાસકારો તેના આધારે જ ઇતિહાસ ઘડે છે. તેઓના સાહિત્યને બાદ કરીએ તે ગુજરાત પાસે તત્કાલીન ઈતિહાસ જેવું કશુંય રહેતું નથી. જૈન ગ્રન્યકારો અસત્ય કથનથી જેટલા અળગા રહે છે, તેટલા જ અન્ય-વિદ્વાનની ટીકાઓથી પણ સાવચેત રહે છે. કુમારપાળ જેની રાજા હતે માટે જ તેઓએ બીજા સોલંકી રાજાઓને નહિં કિન્તુ કુમારપાળ રાજાને વિવિધ રૂપે કવ્યા છે, અને તેના જીવનની બારીકમાં બારીક દરેક વસ્તુઓનું યથાર્થ નિદર્શન કરાવ્યું છે. - ગુ. કુમારપાળના ધાર્મિક જીવન પર પ્રકાશ પાડતા આજના સાક્ષરેને જે ફકરાઓ મળે છે તેમાં પણ તેને જૈન તરીકે જાહેર કરવામાં આવે છે રા. બા. ગેવિન્દભાઈ હાથીભાઈ દેશાઈ લખે છે કે “દેવળને પાયો નંખાવ્યો ત્યારે હેમાચાર્યને બોધથી રાજાએ એક વ્રત લીધું કે, દેવળ બંધાવવાનું કામ પૂરું થઈ ૧. શ્રેડી અભયકુમાર એ ક. સ. આ. શ્રી હેમચંદ્રસૂરિના મામાના પુત્ર ભાઈ થતા હતા આ. શ્રી. સેમિપ્રભસૂરિએ, આ શેઠ અભયકુમાર, તેની સ્ત્રી પદમી, પુત્ર હરિચંદ્ર વગેરે અને પુત્રી શ્રીદેવી વગેરે માટે કુમારપાળ પ્રતિબધ બનાવ્યો છે. અને પ્રસ્તુત પુસ્તકની પણ પ્રતિ તે ડીએ લખાવી છે. (૫. ૪૭૮). २. सरवानुकम्पा न महीभूजां स्यादित्येष क्लुप्तो वितथप्रवादः । जिनेन्द्रधर्म प्रतिपद्य येन श्लाध्यः स केषां न कुमारपालः ॥ Jain Education International For Private & Personal મારપરિતિષ, g૦૦૯ www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy