SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૯] મહારાજા કુમારપાળ [ કહ૭ ] ૧૦. ઉપરનાં પ્રમાણે ગુ. કુમારપાળને સમાજુનિયરનું વિશેષણ આપવાના વિરુદ્ધમાં જાય છે, એટલે કુમારપાળ માટે વપરાતું એ વિશેષણ વાસ્તવિક નથી એમ કેમ ન માનવું? “૩ાાતિવરુધારા' વિશેષણનાં કારણે કુમારપાળને માટે સુમતિવરનું વિશેષણ વપરાયું છે તેનાં કારણે નીચે પ્રમાણે હોઈ શકે– ૧. કુમારપાળ સં. ૧૨૧૮ સુધી શેવ ધમાં હતા અને તે લેખકો પણ શૈવ છે, એટલે રાજ્યપ્રાપ્તિમાં સાધારણ જનતામાં પ્રચલિત “ઇશ્વરકૃપાની મહત્તા બતાવવી. રત્નપુરની રાણીએ રાજા માટે અને સિદ્ધરાજે દરેક સોલંકી રાજા માટે આ વિશેષણ વાપર્યું છે. ૨. કવિ શ્રીપાલની ચાર ઉપમા પૈકીની એક ઉપમાએ સાચી ઘટનાનું રૂપ પકડયું અને ત્રણ ઉપમાઓ ઉપમા રૂપે જ રહી. ૩. શિવ રાજાઓ વિશ્વાસુ બની રહે અને અમારિ રૂઢીને શિવ ફરમાન રૂપે જ અપનાવે. ૪. સોમનાથ પાટણમાં સોમેશ્વર કુમારપાળને આપેલ ઉપદેશના આધારે આ વાત ઘડાઈ હોય. પ. ૪થા રાજા તથા પ્રજ્ઞા એ ન્યાયે પ્રજા ઉમાપતિની ઉપાસક બની રહે અને શિવમહાભ્યને પ્રચાર થાય. કેમકે આ વિશેષણને પ્રથમ પ્રાદુર્ભાવ ગુજરાતની બહાર થયો છે. પુષ્પિકાના શબ્દ, તામ્રપત્રના જાપથતિ ઈત્યાદિ અવતરણ રૂપે છે. પુષ્પિકાના લેખકો અજૈન છે. ૬, વલ્લભી વંશના કેટલાક રાજાઓ જૈન તથા બૌદ્ધ હતા છતાં તેને માટે પરમ માહેશ્વર લખાય છે. કુમારપાળ પછીના રાજાઓએ એ નીતિ અખત્યાર કરી હેય. ૭. પરમ માહેશ્વર, નિષ્કલંકાવતાર કે નારાયણાવતાર વિશેષણ વાપરીને રાજાઓને શાન્ત કે ખુશી કરવા માટે બુદ્ધિમાની વાપરી હૈય! ૮. કુમારપાળ જૈન હતા એ વાતને ભૂંસી નાખવા માટે જ ખાસ આ યોજના તૈયાર કરવામાં આવી હોય. ૩મા તિવરને પ્રચાર થવામાં ઉપર્યુકત કોઈ પણ કારણ હોઈ શકે. ઉકતવિશેષણની અવાસ્તવિકતા તત્કાલીન શિલાલેખને સમન્વય કરતાં સમાતિવાદનું વિશેષણ વાસ્તવિક લાગતું નથી. કુમારપાળે એ વિશેષણ સ્વીકાર્યું નથી, તામ્રપત્રમાં ઉતાર્યું નથી, શિલાલેખમાં કોતર્યું નથી, અને પોતે આખર સુધી શૈવ બની રહ્યો નથી. પછી તેનું એ વિશેષણ કેમ હોઈ શકે ? - કુમારપાળનાં ધાર્મિક કાર્યો ગુ. કુમારપાળના સમકાલીન ગ્રન્યકારોએ તેના નૈષ્ઠિક અને ધાર્મિક જીવન પર ઘણું જ પ્રકાશ પાડે છે, જેને સાર નીચે પ્રમાણે છે-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy