SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં વાદનું સ્થાન લેખક—મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાય' મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય ) [ ગતાંકથી પૂર્ણ ] વિવાદના સ્વરૂપ વિષે શુષ્કવાદની કાંઇક સમકક્ષાને કહી શકાય એવે, વાદાભાસ કે સામાન્ય વાદ તરીકે સંખાધાય છે, તે વિવાદ છે. વિવાદ એ, જેમ અભિમાનના અતિરેકથી જન્મે છે તેમ એ વિવાદને કરનારની ખીજી બૂરી ને લેકપૂજા છે. એટલે એ વિવાદી લબ્ધિ, ખ્યાતિ આદિ લોકપૂજાને ઇચ્છતા દ્વાવાથી, ઉદાર ચિત્તના બની શકતા નથી. એની લેાકપૂજાની વાસના, તે પામર વાદીને અનુદાર ચિત્તવૃત્તિને બનાવે છે. એટલે સામાન્ય રીતિયે કહીએ તેા વિવાદને કરનાર મહાદરિદ્રી જ બને છે. એ પેાતાની ખ્યાતિ યા લેકપૂજાની લાલસાને પોષવા ખાતર જ સ્હામા નિર્દોષ, સત્યના અએિની સાથે વાદ કરવાને આતુર રહે છે. તે પોતાના વાદને પેાતાના જયમાં પરિણમતા જોવાને ઇચ્છે છે. પેટલે એકન્દર અવા વિવાદીઓની મુખ્ય. તેમ વિજિગીષા જ રહે છે. વિજિગીષાવૃત્તિથી વાદને કરવા ઇચ્છતા તે વિવાદી અવસરે પેાતાની જયની કામનાને પૂર્ણ કરવા છલ, કપટ વગેરેને આશ્રય શોધી સ્દામાને ઉતારી પાડવાને યા પરાજિત કરવાને અતિ ઉત્સુક રહે છે. પૂજ્ય હરિભદ્રસૂરિજી આ વિવાદના રવરૂપને આલેખતા પ્રતિપાદે છે કે— लब्धिख्यात्यर्थिना तु स्याद्दुः स्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ॥ એટલે આવા અમહાભા–અનુદાર અને લોકપૂજા ખ્યાતિ વગેરેના દરિદ્રી વિવાદીએની સાથે તત્ત્વજિજ્ઞાસાથી પણ વાદ કરવા, તે નિરર્થક અને અનપ્રદ બને છે. કેમકે આવા વિવાદના કુલમાં અનર્થોની હારમાળા સિવાય કાંઇ જ તત્ત્વના જિજ્ઞાસુને સાંપડી શકતું નથી. એ વિવાદના અન્તિમ પરિણામને હમજાવતા સૂરિવર જણાવે છે કે— विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादि दोषोऽदृष्टविघातकृत् ॥ વિવાદમાં, નીતિ પૂર્ણાંકનેા જય એ પ્રાયઃ દુર્લભ છે, કેમકે જે એકાન્ત વિજગીષા વૃત્તિથી વિવાદને કરવા પ્રેરાય એ ચેકકસ છલના આશ્રય શોધે છે. અને એવા છલપ્રધાન વાદમાં, તત્ત્વની જિજ્ઞાસાથી, વિચારેની આપ-લે કરનાર, સરળહૃદયીને પણ છલના આશ્રય લેવા જ પડે, કેમકે સ્તામા વિવાદી એવી જ પરિતિ ઉભી કરે કે સત્યના અનેિ પોતાનું સત્યતત્ત્વ અખડિત રાખવાને છલના આશ્રય બલાતુ લેવા જ પડે. માટે જ એવા વિવાદ કરનારની સાથે નિખાલસ આત્માઓએ વાદ કે ચર્ચા ઉપસ્થિત કરવી જ ન જોઇએ, એટલે એ વિજગીષુ વાદી આપમેળે ઠંડે! પડી જાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy