SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ એ વિવાદીની સાથે વિવાદ કરતા કદાચ તત્વજિજ્ઞાસુ, સત્યવ્રત પુરૂષને વિના છલે જય પ્રાપ્ત થાય તે પણ, એ બિચારા લોકપૂજા કે સન્માનના અથી વિવાદીને ભેંયભારે પડે છે. લેકપુજા આદિ જે પૂર્વે મેળવ્યા હોય છે તે પણ મેળાં પડે છે. સામાન્ય લકાદર તેના પ્રત્યેથી ઘટી જાય છે એટલે એ મહાદરિદ્રી અને અનુદાર વિવાદી, પિતાની હારને કબુલી સત્યને સ્વીકારે એ વસ્તુ એકાન્ત અસંભાવ્ય છે, પણ પિતાના લેકપૂજા આદિને નુકશાન થતું જોઈ, તે પામર અભિમાની, સત્યવ્રત મહાપુરૂષની સાથે વેર બાંધે છે. અને એની-એના ધર્મની નિદા કરવાને તૈયાર રહે છે. એટલે એકન્દરે આવા વિવાદીની સાથે વાદ કરવાથી, જય ભલે તે એના માનાદિની ક્ષતિથી અન્તરાય વગેરેના નિમિત્તભૂત તે તત્વચર્ચાને કરનાર બને છે. ધર્મની અવહેલના પણ આવા અભિમાનીના હાથે થવા સભંવ છે. સર્પને સુધાપાન જેમ વિષરૂપે પરિણમે છે તેમ તત્વ પમાડવાની જ એક ઇચ્છાથી તત્ત્વવાદનું સુધાપાન એવાઓને વિષરૂપે પરિણમે છે. માટે જ શુષ્કવાદની જેમ વિવાદ પણ ધર્મના અર્થ આત્માઓને માટે તદન હેયકોટિ ગણાય છે. ધર્મવાદ એક લેકોપકારી વાદ એકન્દરે શુષ્કવાદ અને વિવાદ એ તત્વચર્ચાના હેતુથી નિખાલસ આત્માઓને માટે વાદ નથી પણ વાળું વિકૃત સ્વરૂપ એટલે વાદાભાસ છે. આ વાદાભાસને આ રીતિયે લંબા શુથી સમજ્યા બાદ, આપણે જે વાદની મહત્તાને અંગે અત્યારે અગાઉ ખૂબ જ વિસ્તૃત વિચારણા કરી, તે વાદનું સ્વરૂપ જાણી લેવું આવશ્યક છે. એ તત્વવાદ કે ધર્મવાદથી ઓળખાતો વાદ ઉપરના બનને વાદથી તદન નિરાળો છે. આ જ વાદ સાચેસાચે તરવ સમજાવનાર વાદ કહી શકાય, એટલે વાદનું સાચું સ્વરૂપ આ જ વાદમાં સમાયેલું છે. આ લોકોપકારી વાદના અધિકારી વગેરેના સ્વરૂપ વિષે શ્રી હરિભદ્રસૂરિજી નીચે મુજબ પ્રતિપાદન કરે છે परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्वेन धर्मवादः उदाहृतः॥ આ લોકની બાહ્ય દષ્ટિ કરતાં, પરલોક અને આત્મદષ્ટિ વિષે જે વધુ મમત રાખ નાર હોય, અપક્ષપાતી-કોઈ પણ પ્રકારને અભિનિવેશ યા બહાગ્રહવૃત્તિ જેના હૈયાને સ્પર્શતી હોય, જે વિચારક ધીમાન અને સ્વકીય શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન ધરાવનાર હેય, આવા વાદીની સાથે વિચારોની આપ લે કરવી, એ વસ્તુતઃ બન્નેને માટે પરસ્પર હિતાવહ અને વસ્તુના સ્વરૂપને હમજવાને માટે અનુકૂલ કહી શકાય. શુષ્કવાદ અને વિવાદ જેમ, એકાન્તતયા અનર્થપ્રદ બને છે તેમ આ ધર્મવાદ સ્વ-પરને એકાન્ત ઉપકારક બને છે. પરલોકપ્રધાનતા જેનામાં હોય જ નહિ, જે આ લેકની અનાત્મ દૃષ્ટિમાં મુંઝાનાર હેય તે કઈ રીતિએ નિખાલસતા પૂર્વક ધર્મચર્ચા યા તત્ત્વચર્ચા કરવાને તૈયાર રહે? માટે જ પરલોકને પ્રધાન માનનાર જ તત્ત્વવેષક બની શકે છે. પણ સાથે એવા તત્વોષકમાં મધ્યસ્થ-અનભિવેશતાની ખાસ અવશ્યકતા છે. મધ્યસ્થતા સિવાય તત્ત્વચર્ચા યા વાદનું અન્તિમ શુભ આવી શકે જ નહિ. “મેં માન્યું તે જ યુકિત યુક્ત છે. આવા પ્રકારને આગ્રહ સેવનાર તત્વચર્ચાને માટે નાલાયક છે. કેમકે આગ્રહી આત્માઓની આન્તર જainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy