SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ [ s$^ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ એ વિચાર્યાં જેવુ' છે, કેમકે મારે મારૂં હિત કરવું છે એટલે બીજાને રાકવું નકામું છે. તેમ મારા શરીરને રોકવું પણ ઠીક નથી કેમકે આ મુનિએ પણ શરીર શકયું હતું નહિ. તેએ ખેલતા ચાલતા હતા. આમ ઇન્દ્રિઓનાં કાર્યો વિદ્યમાન છતાં કર્મ બંધન થાય એમ બને નહીં ત્યારે મને મુનિએ સવર કરવાના ઉપદેશ શા માટે આપ્યા? માટે હજી આની અંદર કઈક રહસ્ય હાવું જોઇએ એમ વિચાર કરતાં તેને જણાઇ આવ્યું. અરે, આ પાંચ ઇંદ્રિયા અને મનની શુભ અને અશુભ એમ એ પ્રકારે પ્રવૃત્તિ છે, માટે મારે અશુભ મામાં દોડતી ઈંદ્રિ અને મનને રેકવાનાં છે. આવી રીતે તેણે હાથથી ખડગ અને મસ્તક દૂર ફેંકી ને સવર્ આદર્યો. ત્રીજા પદમાં વિવેક છે. વિવેક એટલે પેાતાનું અને પારકું તેની વિશેષતા સમજવી. ત્યારે મારૂં શું છે અને પારકુ શું છે, તે તે મારે અવશ્ય જાવું જો એ. વિચાર કરતાં તેને જણાયું કે-નાનાદિ ગુણવાળા જે આત્મા તે હું, અને મારાથી ભિન્ન જે દેહિંદ તે પારકુ, તેમજ જ્ઞાન દર્શન અને ચરિત્રની ઉન્નતિ યાગ્ય જે કૃત્યો તે અંગીકાર કરવાં. તેનાથી વિપરીત સ્વભાવવાળાં જે કૃત્ય તેના ત્યાગ કરવા એ વિવેક આ પ્રમાણે તે વિવેકમાં આરૂઢ બન્યા. આ બાજુ સુસુમાના લેાહીથી રંગાયેલા તેના શરીર ઉપર કીડીએ ચડીને ડંશવા લાગી. તે પણ એટલી બધી ભેગી થઇને લોહી ચૂસવા માંડી કે થોડા ટાઈમમાં તેનું શરીર શાષાઈ ગયું, એટલું જ નહિ પણ તે શરીરમાં એટલા બધાં છિદ્રો પડમાં કે તેથી શરીર ચાળણીના સરખું થઈ ગયું. છતાં પણ ચિલાતીપુત્ર ઉપશમ, સંવર અને વિવેકમાં આરૂઢ મની કીડીઓનાં ડંશને મીઠા ભાવે સહન કરવા લાગ્યો. અને પોતે કરેલાં ધાર પાપાની પાસે આ દુઃખાને અલ્પ માનીને ક્ષમાધારી બન્યા. આવી રીતે અઢી દીવસ સુધી ત્યાં જ ઉભા રહી આયુષ્ય પૂર્ણ કરીને મહાત્મા ચિલાતીપુત્ર દેવલેાકને વિષે ગયા. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામીને અક્ષય પદને પામશે. આપણે પણ મહાત્મા ચિલાતીપુત્રની જેમ ઉપશય, સવર અને વિવેકના સત્ય સ્વરૂપને ઓળખી આત્માન્નતિમાં ઉદ્યમશાળી બનીને એ જ શુભેચ્છા ! ભૂરિ ભૂરિ વંદના હા, સાત્ત્વિક શિરામણિ ભાવસંયમી માત્મા ચિલાતીપુત્રને ! અભિપ્રાય અમદાવાદમાં શ્રી મુનિસંમેલનના સ્મારકરૂપે આ પત્ર વગર ખંડને અને વિરાધે પ્રગટ થાય છે. વિદ્વાન મુનિમહારાજોના લેખા પણુ આમાં આવે છે, આ પર્યુષણ પર્વ ના વિશેષાંક ખાસ વાંચવા જેવા છે, ભગવાન મહાવીર પ્રભુની ભાવવાહી છબ્બી આ અંકમાં આપી તેની સુંદરતામાં વધારો કર્યો છે. લેખા પણુ મનનીય છે. Jain Education International -શ્રી આત્માનંદ પ્રકાશ ફેબ્રુઆરી ૧૯૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy