________________
[૫૮]
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
રવાના થયા. સ્કંધ ઉપર સુસુમાને ઉંચકીને દેડતા દાસીપુત્રે તેમને પોતાની પાછળ નજીકમાં આવતા જોયા, એટલે તેણે એકદમ સુસુમાનું મસ્તક કાપી નાખ્યું. અને ધડને ત્યાં જ રહેવા દઈ મસ્તક હાથમાં લઈ પવન વેગે આગળ દોડવા લાગ્યો. એટલામાં તે સૌ ત્યાં આવી પહોંચ્યા. તપાસ કરતાં સુસુમાને કરૂણાજનક દેખાવ નજરે પડે. તેથી શેઠ પિતાના પુત્રો સહિત વિલાપ કરવા લાગ્યા. અને અને સૌની સાથે નગર તરફ પાછા ફર્યા.
પરમ તીર્થંકર પ્રભુ મહાવીર દેવ તે વખતે રાજગૃહીના આંગણે પધાર્યા હતા. સૌ નગરજનેની સાથે શેઠ પણ પિતાના પાંચ પુત્રો સહિત પ્રભુદેવને વંદન કરવા ગયા. તે વખતે પ્રભુદેવે આ પ્રમાણે ઉપદેશ આપ્યો. હે ભવ્ય, જે છેવના ચિત્તને વિષે હમેશાં એવી ચિંતાઓ રહ્યા કરે છે કે મારે જોઈએ તેટલું ધન નથી, મારે પરિવાર પણ મારી ઉપર સસ્નેહિ નથી, મારા રાજવીની પણ મારી ઉપર મીઠી નજર નથી, મારું શરીર વ્યાધિ પ્રસ્ત છે. તે છે આવા પ્રકારની ગડમથલમાં પડી આત્મસાધનમાં પ્રમાદી બને છે. માટે સુજ્ઞ મનુષ્યોએ આ સંસાર સમુદ્રને વિષે દુર્લભ એવો માનવ જન્મ પામીને અવશ્ય ધર્મ ધ્યાનમાં લીન બનવું જોઈએ. વિવેકી મનુષ્યોના ખજાનામાં પૂર્વ જન્મનું પુન્યરૂપ ધન સીલકમાં પડયું હોય છે છતાં નવું ઉપાર્જન કરવા ઉદ્યમી બને છે. અને અવિવેકી મનુષ્ય ધર્મરૂપ ધનથી નિધન છતાં પણ ધર્મ આરાધના કરતા નથી. તેથી દુઃખી બની સંસારમાં ભટકે છે. મનુષ્ય જેમ આ લકને માટે ચોવીસે કલાક પ્રયાસ કરે છે તેમ જે પલકને માટે પ્રયાસ કરે તો તે અનુક્રમે શિવસુખને પામે છે. માટે હે મહાનુભાવો, જ્યાં સુધી જારૂપ રાક્ષસી આવી નથી, વ્યાધિરૂપ ભમરીઓ દંશ દેતી નથી, અને ઇકિઓરૂપ ઘોડાની શક્તિ ક્ષીણ થઈ નથી, ત્યાં સુધીમાં ધર્મ આચરો એ ઉત્તમ છે. આ પ્રમાણે ધર્મદેશના સાંભળી રહ્યા પછી ધનશેઠે પ્રભુદેવને પૂછ્યું–હે પ્રભે મારી પુત્રી સુસુમાની ઉપર ચિલાતી રાગવાળા કેમ થયો? તેના જવાબમાં ભગવાન મહાવીરદેવ આ પ્રમાણે બોલ્યા
ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં યજ્ઞકર્મને માનનાર યાદેવ નામે બ્રાહ્મણ રહેતે હતું. તેમજ તે પંડિતાઈને દાવો ધરાવીને જિનેશ્વરેને ધર્મની નિંદા કરતા હતા. એકદા કઈ બાળ સાધુએ તેને વાદ કરવા બેલા. વાદમાં તે બ્રાહ્મણે આ પ્રમાણે શરત કરી કે જેનાથી હું હારીશ તેને હું શિષ્ય થઈશ. પછી તે બાળ સાધુ તેને પિતાના ગુરૂ પાસે લઈ ગયો. ત્યાં તે ક્ષણમાત્રમાં હારી ગયો અને જૈન મતમાં દીક્ષિત થયો. ત્યારપછી શાસન દેવીએ તેને આ પ્રમાણે કહ્યું કે મુનિ, જેમ નેત્રાવાળો મનુષ્ય પણ સૂર્યના તેજ વિના ખલના પામીને અથડાયા કરે છે, તેમ જીવ પણ જ્ઞાતસહિત છતાં નિર્મલ ચારિત્ર વિના સંસારમાં અથડાયા કરે છે, પણ અક્ષય પદને પામતે નથી. દેવીના શબ્દો સાંભળીને બ્રાહ્મણ મુનિ અન્ય સાધુઓની પેઠે નિર્મળ ચારિત્ર પાળવા લાગ્યા. હવે તેની સ્ત્રી શ્રીમતીએ તેને વશ કરવાને માટે તપને પારણે તેના ઉપર કામણ કર્યું. તે કામણથી તેનું શરીર ક્ષીણ થઈ ગયું. અને સમાધિપૂર્વક મૃત્યુ પામીને તે દેવલોકમાં ગયે. તેની સ્ત્રી પણ તેને દુઃખે દુઃખી થઈને જૈન મતમાં દીક્ષા ગ્રહણ કરીને અને કરેલાં કામણની આચના લીધા વિના મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ સ્વર્ગથી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only