SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : નિખાલસ અને સત્યના પૂજારીને ગમે તેમ કરીને અટપટા સંગમાં ચૂંથી જ નાખે, છતાંયે જ્યારે આ સામે પિતાના મન્તવ્યમાં ખૂબ જ અટળ અને અડગ બને ત્યારે તે શુષ્કવાદીને અન્ય ઉપાય ન જડે, એટલે એ ઘવાતા માનને અને આબરૂને અખંડિત રાખવા આત્મઘાતના પ્રત્યાઘાતી માર્ગને પકડે છે. તીવ્ર વૈરને અનુબન્ધ કરીને નાહક સંસાર ભ્રમણ કરે છે. એટલે આ એકેક કરતા ચઢિયાતા અનર્થો શુષ્કવાદથી જન્મે છે, અને એ શુષ્કવાદમાં બન્નેની જવાબદારી છે, એ વસ્તુ આપણે પૂર્વે સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. કદાચ એ શંકા અનિવાર્ય બને કે “જ્યારે આપણે નિખાલસતાથી વિચારેની આપ લે કરીએ અને આપણું વાદને ધર્મવાદમાં પરિણમતે જોવાની ઈચ્છા ધરાવીએ, છતયે જ્યારે સામે શુષ્કવાદના જ સ્વરૂપમાં વાદને ઘસડી જાય તેમાં સત્યની વેષણ માટે વિચારણા યા ધર્મવાદને કરનાર આપણે દેષ શાનો? એ સઘળાય અનર્થોને જવાબદાર તે અયોગ્ય આત્મા જ કાં નહિ? એમાં આપણી ભાગદારી કેમ હોઈ શકે?” આ મતલબનું કાંઇક સમજનાર, શંકિત હૃદયના આત્માઓની આ સમજણ, કેટલેક અંશે જરૂર આપણને મૂંઝવણમાં પડે. આપણને પણ એમ જ થાય કે “વાત સાચી છે. અયોગ્ય આત્માઓ પિતાની ભૂલને ભોગવે એમાં અન્ય કેમ જવાબદાર બને?” પણ આ એક સમજ ફેર છે. અયોગ્ય આત્માઓ પિતાની ભૂલથી પોતે અનર્થોની હારમાળને ઉભી કરે પિમાં અન્ય દેષિત નથી એ વાત જેટલી સહેલાઈથી આપણે સમજીએ છીએ, તેટલી જ સહેલાઈથી આપણે એ વસ્તુ પણ સમજવી રહી કે “અગ્ય વસ્તુને જાણી બુઝીને ચૂંથી નાખનારાઓને અપરિવર્ત્ય સ્વભાવને ઓળખી, ફોગટ પિતાની સત્ય વસ્તુ સામાના ગળે ઉતારવાનો આગ્રહ સેવો એ સત્યાગ્રહ નથી પણ દુરાગ્રહનું અનિષ્ટ પરિણામ છે. માટે જ શુષ્કવાદી જેવા અગ્ય અને સાચા ધર્મવાદને માટે મન્દ હજરી ધરાવતા રોગીને જાણી જોઈને ધર્મવાદના મિષ્ટાને પીરસનાર બને રીતિએ દૂષિત બને છે. એક તે ધર્મવાદના સ્વરૂપને જનસમાજમાં કંગાલ બનાવે છે, તેમજ નાહકની તે વાદી દ્વારા થતી ધર્મનિન્દાનું નિમિત્ત પણ બને છે. શુષ્કવાદીની હારથી થતા અનર્થો આપણે અત્યારે જાણ્યા, પણ કદાચ એ ધર્મ દેષી શુષ્કવાદી, સામાને એવા જ ૫ર સંગમાં મૂકી, સાચા વાદીને મૂંઝવણમાં મૂકીને પિતાની છત કબૂલ કરાવે તે એકાન્ત ધર્મની અવહેલના થાય, જનસમાજ ધર્મવાદની અને ધર્મની નિન્દા કરવાને પ્રેરાય, એટલે એ રીતિયે પણ શુષ્કવાદી સાથે વાદ, ધર્મના અર્થિ માટે અને ધર્મ માટે, પૂ. હરિભદ્રસૂરિવરના શબ્દોમાં જ કહીએ તે “ઉપાડશેષ તરવતોડનથaધનઃ' બન્ને રીતિએ વાસ્તવિક અનર્થોને વધારનાર જ છે. માટે શુષ્કવાદ એ સર્વને માટે અને વિશેષતઃ ધર્મના અર્થી સત્યના ગષકો માટે વર્ય અને તદ્દન કંગાલ કોટિનો છે. એના પડખે પણ ઉભું રહેવું એ અનર્થપ્રદ છે. Jain Education International For Private & Personal Use Only | (ચાલુ.), Waw.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy