SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ** ૮] જૈનદર્શનમાં વાદનું સ્થાન [ ૪૫૫ ] શુષ્કવાદનું આ સામાન્ય સ્વરૂપ છે. આવા વાદ ઉપસ્થિત કરનાર જેમ સમય અને શકિતના અપવ્યય કરે છે, તેમ આવા શુષ્કવાદીની સાથે સાથે નિખાલસતા પૂર્વક, તત્ત્વ જિજ્ઞાસાથી વાદ કરનાર પણ એક પ્રકારની જીભાજોડી જ કરે છે, અને તેવા નિભતાથી વાદ કરવાને ચ્છિનાર પણ શુષ્કવાદને ઉત્તેજન આપવાની ક્રિયા કરનાર કહી શકાય, કેમકે: अत्यंतमानिना सार्धं क्रूरचित्तेन च दृढम् | धर्मद्विष्टेन मूढेन शुष्कवादस्त्ववस्थितः ।। અત્યંત માની કે જે પોતાની જ વસ્તુને અભિનિવેશ પૂર્ણાંક દૃઢતાથી વળગી રહેનાર, અને ગમે તેવી સત્ય વસ્તુ રજૂ થતી હૈાય તે! પણ, “એક મારૂં હું'ની માન્યતાવાળા, કૂર ચિત્તવૃત્તિવાળા, ધર્માંદ્વેષી મૂઢ આત્માઓની સાથે, વાદ કરનાર સાધુ પુરુષ પશુ શુષ્કવાદીની હરાળમાં આવી જાય છે. એટલે શુષ્કવાદ એ, માની આત્માએથી જેમ ઉદ્ભવે છે; તેમ તેવા નગુણા, આત્માભિમાનીની સાથે નિખાલસતાથી વાદ કરનારા પણ એ વાદના પરિણામે નીપજતા શુષ્કવાદને ભૂલે ચૂકે ઉત્તેજન આપે છે, માટે જ મહારાજા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૂળતા નિર્દેશ કરતા પૂ. સમવાદી આચાય પ્રતિપાદે છે કેઃ~~~~ विजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाप्येष तत्त्वतोऽनर्थवर्धनः ॥ આ શુવાદ કરનાર નિખાલસ પુરૂષા પણ એક ભૂલના પ્રતાપે એ વાદને અન્તે અનેક અર્થીની હારમાળને જન્મ આપે છે. ક્રૂર ચિત્તવૃત્તિવાળા અને પોતાની હારને કદી પણ નિખાલસતા પૂર્વક કબૂલ નહિ કરનાર, શુષ્કવાદીને જીતવા આપણી સાચી વસ્તુ એના ગળે ઉતારવી એ બની શકે જ કેમ ? અને કદાચ તેવા પ્રકારના સયોગામાં ફસાઇ ગએલ તે આત્મભિમાની વાદી, પેાતાની હારને ન છુટકે હૃદયમાં ડંખ રાખવા પૂર્વક સ્વીકારે તો પણ એ શુષ્કવાદી બિચારા ભર સભામાં ભેાંઢા પડી જાય છે. અને કાઈક વખતે, ભય અને માનના ભયંકર ભૂતાવળમાં અટવાતા તે પામર આત્મઘાત-આપધાત કરવાને પ્રેરાય છે. શુષ્કવાદમાં બન્નેની જવાબદારી એટલે એના આત્માતમાં ધર્માંતત્ત્વના ઈચ્ચુિ સાધુપુરૂષો નિરČક નિમિત્તભૂત બને છે, એટલે એવા વાદી સાથે વાદ કરવા એ જાણી બુઝીને સ્વક વ્યથી ભ્રષ્ટ બનવા જેવું છે. Jain Education International જેમ તત્ત્વગવેષા, વાદને અંતે પોતાની હારને કબુલી, સત્ય વસ્તુના વિનીત ઉપાસક બને છે, તેમ આ શુષ્કવાદી બિચારા આત્મધાત કરવાને પ્રેરાય છે. જો કે એનાથી ખની શકે તે। તે કરવાની હદે જાય જ નહિ, પ્રથમ તે સામા આત્મધાત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy