________________
[૪૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
" नागेन्द्रचन्द्रनिर्वृत्ति-विद्याधरप्रमुखसकलसंघेन ।
अर्बुदकृतप्रतिष्ठो युगादिजिनपुङ्गवो जयति" ॥ १॥
(૭) “તપાગચ્છીય જુની પટ્ટાવલિ' (જેન છે. કોહેરલ્ડ મહાવીર અંક સચિત્ર, પૃષ્ઠ ૩૫૪ જુલાઈ-ઓકટોબર સન ૧૯૧૫)માં લખ્યું છે કે – ' ધર્મઘોષસૂરિ અને નાગેન્દ્ર આદિ ચાર આચાર્યોએ વિમલવસહિની વિ. સં. ૧૦૮૮માં પ્રતિષ્ઠા કરી. આ વગેરે ગ્રન્થ પરથી એ સિદ્ધ થાય છે કે વિમલવસતિના પ્રતિષ્ઠાપક શ્રીમાન વર્ધમાનસૂરિજી નહિ પણ ઉપર્યુક્ત ચાર ગચ્છના આચાર્યો જ છે. ઉપર્યુંકત પ્રમાણે વિ. સં. પંદરસેથી પહેલાંના હોવાથી તે વધારે વિશ્વસનીય ગણાય, તેમજ આ પ્રમાણે ઉપર વધારે વિશ્વાસ રાખવાનું બીજું એ પણ કારણ છે કે–વિમલ સેનાપતિ અને તેના કુટુંબીઓની સાથે વિદ્યાધર અને નાગેન્દ્ર ગચ્છના સુરિ સાથે ઘનિષ્ઠ સંબંધ હતે. દાખલા તરીકે
(૧) વિમળ મંત્રીના વંશના પૂર્વ પુરૂષ મંત્રી નીનાએ પાટણમાં વિદ્યાધર ગચ્છમાં આદિનાથનું મંદિર વનરાજ ચાવડાના સમયમાં બંધાવ્યું હતું. (જુઓ નાગેન્દ્ર ગચ્છીય શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ લગભગ વિ. સં. ૧૨૫૦માં રચેલા શ્રી મલ્લીનાથ ચરિત્ર, શ્રી ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર, અને સનકુમાર ચરિત્રની પ્રશસ્તિઓ અને વિમલ ચરિત્ર લોક ૪૧)
(૨) વિમલ સેનાપતિના મોટા ભાઈ મહામાત્ય નેઢના વંશજ મહામાત્ય પૃથ્વીપાલે લગભગ ૧૨૦૦માં પાટણમાં વિદ્યાધર ગચ્છના ઉપર્યુકત મંદિરમાં મંડપ કરાવ્યો હતો. (જુઓ વિમલ ચરિત્ર' એક ૬૯)
(૩) ઉપર્યુક્ત મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાલની વિનંતિથી નાગેન્દ્ર ગચ્છીય શ્રીમાન હરિભદ્રસૂરિજીએ વિ. સં. ૧૨૫૦ની આસપાસમાં શ્રી ચન્દ્રપ્રભ ચરિત્ર, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર, શ્રી મલ્લીનાથ ચરિત્ર અને સનકુમાર ચાવર્તિ ચરિત્રની રચનાઓ કરી હતી. અને તે ચારે ચરિત્રને અંતે તેમણે વિમલ સેનાપતિના કુટુંબની પ્રશસ્તિઓ વિસ્તારથી આપેલી છે.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે વિદ્યાધર ગચ્છ અને નાગેન્દ્ર ગચ્છના આચાને વિમળ મંત્રીશ્વરના કુટુંબ સાથે ઘનિષ્ઠ સંબંધ ઘણુ કાળ સુધી રહ્યો હતે. તથા શ્રીમાન્ ધમષસૂરિજી ચંદ્રકુળના અને વડ (બહ૬) ગચ્છના હતા. એટલે ઉક્ત ચાર ગછના ચાર આચાર્યોમાં ચંદ્ર ગચ્છના હિસાબે તેમને પણ સમાવેશ આમાં થઈ જાય છે. વિમળ મંત્રીને આબુતીર્થને ઉદ્ધાર કરવા માટેનો ઉપદેશ આપનાર શ્રી ધર્મષસૂરિજી હોવા છતાં ચાર આચાર્યોએ મળીને પ્રતિષ્ઠા કરી હોવાથી, કેટલાક ગ્રન્થમાં શ્રીમાનું ધર્મ છેષસરિજી અથવા કોઇ ૫ણ આચાર્યનું નામ પ્રતિષ્ઠાપક તરીકે નથી આવ્યું, એ બનવા છે. (નિવૃત્તિ ગચ્છના આચાર્ય સાથે વિમળ દંડનાયકને શો સંબંધ હતો તે મારા જાણવામાં આવ્યું નથી.)
વિમળ મંત્રીશ્વરે આબુ ઉપર કરોડો રૂપીઆને વ્યય કરીને બંધાવેલા વિશ્વવિખ્યાત,
અનુપમ વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા વખતે પિતાના કુટુંબની સાથે ગુરૂ તરીકે in Educatiઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉકત ચારે ગળાના આચાર્યોને તેઓ બોલાવે અને તેઓને
www.jainelibrary.org