SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ વસહિની પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી વિદ્યમાન રહે અને પ્રતિષ્ઠા કરાવે એ વાત બિલકુલ માની શકાય તેવી નથી.૧ . (૬) ખરતરગચ્છીય શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિક્રમની ચૌદમી શતાબ્દીના ઉત્તરામાં રચેલા “ શ્રી વિવિધતીર્થંકલ્પ ’માં શ્રી ‘અર્બુદકલ્પ ' પણ બનાવેલા છે. તેમાં સેનાપતિ વિમળના ઉપદેશક તરીકે અથવા તો વિમલવસહિના પ્રતિષ્ઠાપક તરીકે શ્રીમાન વ માનસૂરિજીના ઉલ્લેખ કર્યો જ નથી. જો વિમલવસહિની પ્રતિષ્ઠા શ્રી વ માનસૂરિજીએ કરાવી હત, તેા પોતાના ગચ્છના મૂળ પુરૂષ તરીકે તેમના નામને ઉલ્લેખ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ અર્બુદાદ્રિ કલ્પ ’માં જરૂર કર્યાં હત. " (૭) ખરતરગચ્છ પટ્ટાવલિ ગાથા ૧૪-૧૫-૧૬, ( અ. ભ. નાહટા સંપાદિત · અતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ ' પૃ. ૪૫ )માં શ્રી વર્ધમાનસૂરિજીના પટ્ટધર શ્રી જિનેશ્વરસૂરિજીએ ગુજરાતના મહારાજા દુર્લભરાજની સભામાં વિ. સ. ૧૦૨૪માં ‘ખરતર’૨ બિરૂદ મળ્યાનું લખ્યું છે. તેા એ શ્રી જિનેશ્વરસૂરિજીના ગુરૂ શ્રી વર્ધમાનસૂરિજી વિસ’૦ ૧૦૮૮ સુધી એટલે પેાતાના શિષ્યને પેાતાની પાર્ટ પટ્ટધર સ્થાપ્યા પછી ૬૪ વર્ષ સુધી વિદ્યમાન રહે અને વિમલવસહિની પ્રતિષ્ઠા કરે એ પ અસ`ભવિત જ છે. (૮) ‘શ્રી વિજય ધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર' આગ્રાની શ્રી ખરતરગચ્છ પટ્ટાવલિ'ની એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિ, જેની દહેગામનિવાસી ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ વ્યાકરણ તીથે પ્રેસ કાપી તૈયાર કરી છે, તેમાં શ્રીમાન વ માનસૂરિજીના વનમાં તેમણે વિમલ સેનાપતિને ઉપદેશ કર્યાનું કે વિમલવસહિની પ્રતિષ્ઠા કર્યાંનું લખ્યું જ નથી. વળી તેમાં શ્રીમાન્ જિનેશ્વ સૂરિજીએ મહારાજા દુર્લભરાજની સભામાં ચૈત્યવાસીઓની સાથે વાદ કરીને તેમને જીત્યાનું લખ્યું છે, પરન્તુ તે વખતે તેમને ખરતર બિરૂદ મળ્યા સબધીને કરશે ઉલ્લેખ નથી. ૧ જૈન શ્વે. કા. હેરલ્ડ (એપ્રીલ-ન સન ૧૯૧૮)માં છપાએલી એક પદાવલિમાં લખ્યું છે કે: “જેમને પછીથી શ્રી વર્ધમાનસૂરિજી નામ આપવામાં આવ્યુ હતુ, તેઓ ચૈત્ય વાસી શ્રી જિનચંદ્રસૂરિના શિષ્ય હતા. પછી તેએ શ્રીમાન્ ઉદ્યોતનસૂરિજીના શિષ્ય થયા’ શ્રીમાન્ ઉદ્યોતનસૂરિજીએ વિ. સ. ૯૯૪માં આજીની તળેટીમાં શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ આઠ આચાર્યોને સ્વપદે સ્થાપ્યા. ત્યાંથી વિહાર કરી સ્નુક્રમે અજારી ગામે આવ્યા. ત્યાં તેઓશ્રીએ પેાતાના ડૉકરા શિષ્યને યેગ્ય જાણીને આચાય પદ આપી મારી ગામમાં શ્રી વમાન સ્વામીના જિનાલયના નામથી શ્રી વર્ધમનસૂરિ” એવુ નામ આપ્યુ.” જૂઓ—ીરવ”શાવળી, જૈત સાહિત્ય સંશોધક, ખ'ડ ૧, અંક ત્રણ. ૨ ખરતરગચ્છની ઉપયુ ત પટ્ટાલમાં મહારાજા દુ'સરાજની સભામાં માન્ જિનેશ્વરસૂરિજીને વિ॰ સ’૦ ૧૦૨૪માં ખરતર બિરૂદ મળ્યનું તેમજ કોઇ પદ્માવતિમાં ૧૦૮૦માં અને ક્રાઇમાં ૧૦૮૮માં ખરતર બિરૂદ મળ્યાનું લખ્યું છે પણ ‘ ખરતર ' બિરૂદ માટે તે બધા સંવત્ ખેાટા ઠરે છે. કેમકે પાટણના મહારાન દુર્લભરાજ એ સવતામાં ગાદી પર કે વિદ્યમાન હતા જ નહિં, મહારાજ દુલ ભના રાજ્યકાળ વિ॰ સ૦ ૧૦૬૬ થી ૧૦૭૮ના અતિહાસિા હૃષ્ટિથી સિદ્ધ થએલ છે, અને તેની પછી તેની ગાદી પર આવેલ મહારાજા ભીમદેવ પહેલા )ને રાજ્યકાળ ૧૦ સ૦ ૧૦૭૮ થી ૧૧૨૦ને નિશ્ચિત થએલ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy