SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા વિમલવસહી(આબુ)ના પ્રતિષ્ઠા૫ક કેણુ? લેખક–મુનિરાજ શ્રી જયન્તવિજયજી “શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ક્રમાંક ત્રીસમાં શ્રીયુત અગરચંદજી ભંવરલાલજી નાહટાને “શ્રી અબુદાચલ' નામનો લેખ પ્રગટ થયો હતો. તેમાં આબુ ઉપરના વિમલવસહી મંદિરના ઉપદેશક અને પ્રતિષ્ઠાપક વિષે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. એ જ વખતે તે સંબંધી ખુલાસો કરવાને માટે વિચાર થયો હતો, પરંતુ સાહિત્યકારોના જાણવામાં કે જોવામાં આવે તેને આધારે તેઓ કંઈ લખે તે સંબંધી ટીકા-ટિપ્પણી કરવાની શી જરૂર છે?-એવા વિચારથી તે સંબંધી કંઈ પણ લખવાને વિચાર મેં મુલતવી રાખ્યો હતો. પરંતુ એ લેખમાં પિતાના ગચ્છ પરત્વેના મમત્વભાવથી, કંઈ પણ આધાર વગરનું લખાયું હોય તે એ સંબધીને સત્ય ખુલાસે પ્રકટ કરે જ જોઈએ; એ પ્રમાણે કેટલાક સજ્જનો તરફથી પ્રેરણા થવાથી, વિલંબથી પણ આ લેખ લખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને સજજનો તેમજ વિદ્વાનો આ લેખને નિષ્પક્ષપાત દૃષ્ટિથી વાંચશે એવી આશા રાખવામાં આવે છે. શ્રીયુત નાહટાજીએ ઉકત લેખની પહેલી પંક્તિમાં “આબૂ ઉપરના જૈન મંદિરમાં શ્રી વિમલ દંડ નાયકે બંધાયેલું વિમલવસહી મંદિર સૌથી પ્રથમ છે” એમ લખ્યું છે, પરંતુ તેમાં “અત્યારના વિદ્યમાન મંદિરમાં ” એટલું વાક્ય ઉમેરવામાં આવવું જોઈતું હતું. કેમકે વિમલવસહીના પહેલાં પણ આબૂ ઉપર જૈન મંદિરે હોવાને અને તેની યાત્રા કરવા માટે કેટલાક આચાર્ય મહારાજ ગએલા હોવાનો ઉલ્લેખ કેટલાક ગ્રન્થમાં મળે છે. એ જ પેરેગ્રાફની અંદર શ્રીયુત નાહટાછ “આબુ રાસ’ દંતકથાઓના આધારે લખાએલ હોવાનું કહે છે, પરંતુ ઉકત રાસમાં આપેલા સંવત પ્રમાણે તે રાસ આબુ ઉપરના લુણાવસહી મંદિરની પ્રતિષ્ઠા થયા પછી બે જ વર્ષે એટલે વિ. સં. ૧૨૮૯માં બનેલ હેવાથી તેમાં લુણવસતીની ઘણે ભાગે સત્ય હકીકત આપવા ઉપરાંત કેટલીક નહિ જાણવામાં આવેલી નવી હકીકતો પણ આપવામાં આવી છે. આ રાસમાં વિમલવસહી ની હકીકત થોડીક જ આપેલી છે. જો કે તે ગુરૂપરંપરાથી સાંભળવા પ્રમાણે અને બીજા ગ્રન્થને આધારે લખી હશે, છતાં “વિમલવસહી' પછી ફક્ત બસો જ વર્ષને અંતરે રચાએલ હોવાથી અને વિમલવસહિના વર્ણનવાળા બીજા ગ્રન્થો કરતાં પ્રાચીન હોવાથી વિશ્વસનીય માની શકાય. ઉકત લેખમાં ત્યારપછી શ્રીયુત નાહટાજી “વિમલવસહી” મંદિર બંધાવવા માટે વિમલ સેનાપતિને ઉપદેશ દેનાર અને વિમલવસહીના પ્રતિષ્ઠા કરાવનાર તરીકે શ્રીમાન વર્ધમાનસૂરિજીનો ઉલ્લેખ કરે છે, પણ તેમાં તેમની ભૂલ થાય છે. વિમલવસહીની પ્રતિષ્ઠા શ્રીમાન વર્ધમાનસૂરિજીએ કર્યાનું કોઈક ખરતર ગચ્છની પદાવલિના આધારે પ્રોફેસર એફ. કલેહેને એપીગ્રાફિયા ઇન્ડિયાના દસમા ભાગમાં વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy