SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૪ લાવશે. પ્રસ્તુતમાં પણ વિચારગ્રસ્ત છ શબ્દો અનેકાર્થક હોવાથી કો અર્થ લેવો તેને નિર્ણય પ્રકરણદિથી કરી શકાય. આ પ્રકરણમાં આ વસ્તુ વિચારવાની છે. (૧) દેનાર કોણ? (૨) લેનાર કોણ? (૩) કેણે લેવા મેકલ્યા? (૮) શા માટે પ્રસ્તુત વસ્તુ લેવા મેકલ્યા? દેનાર કોણ? એના જવાબમાં જણાવવાનું જે પ્રભુ મહાવીરના સમયની સંઘગણન માં ૩૧૮૦૦૦ શ્રાવિકાવર્ગમળે જે બેનાં મુખ્ય અમર નામ છે તેમાંની એક રેવતી નામની પરમ શ્રાવિકા છે. જુઓ કલ્પસૂત્ર– "समणस्स भगवओ महावीरस्स सुलसारेवइपामुक्खाणां समणोवासियाणं तिन्नि सयसाहस्सीओ अट्ठारस सहस्सा उक्कोसिया समणोवासियाणं આ રેવતીએ તીર્થકર નામકર્મ બાંધેલ છે, અને આવતી ચોવીશીમાં ૧૭ મા સમાધિ નામક તીર્થંકર થઈ મેલમાં જશે. વળી સતીઓની નામાવળીમાં એનું નામ અગ્રસ્થાને મૂકવામાં આવ્યું છે. આ રેવતી ન તે પિતાને માટે માંસ બનાવે, યા ન તો બીજાને આપે. પરંતુ કેળાપાક તથા બિજોરાપાકનું કરવું અને આપવું તે જ રેવતી માટે ઉચિત છે. રેવતીએ આ દાનના પ્રભાવથી દેવાયું બાંધી દેવપણું મેળવ્યું હતું એમ ભગવતીજીનું જ પંદરમું શતક બતાવે છે. આથી પણ રેવતી પિતાને ત્યા પરને માટે માંસ કરી યા આપી શકે નહિ, કેમકે માંસાહાર નરકનું સાધન છે. જુઓ ઠાણાંગસૂત્ર " चउहिं ठाणेहिं जीवा नेरइयत्ताए कम्मं पकरेंति तंजहा-महारंभयाए महापरिग्गहयाए पंचिंदियवहेण कुणिमाहारेणं । '' આ પાઠમાં માંસાહાર કરનારને નરકાયુબંધ બતાવેલ છે, તથા ભગવતી સૂત્રમાં પણ નારકીના આયુષ્ય યેય કામણ શરીર પ્રયોગબંધના કારણ તરીકે માંસાહારને જણાવેલ છે. ઔષધને માટે કરેલ પણ માંસાહાર નરકગમનનું કારણ બને છે જુઓ– भेसज्जं पि य मंस देई अणुमन्नई य जो जस्स । सो तस्त मग्गलग्गो वच्चइ नरयं न संदेहो॥ ભાવાર્થ–પધ તરીકે પણ જે માંસ આપે યા આપનારને સારે જાણે તે તેના પથને પ્રવાસી હોવાથી મરીને નરકમાં જાય છે, આ વાતમાં જરા પણ સંદેહ નથી. તથા રેવતીએ શુદ્ધ વરતુ દાનમાં આપી તેથી દેવાયું બાંધ્યું એમ ભગવતીસૂત્રનું પન્નમું શતક જણાવે છે. અને માંસ એ શુદ્ધ વસ્તુ હોઈ શકતી નથી. તેને મહા અશુચિ તરીકે વર્ણવેલ છે. જુઓ – दुग्गंधं बीभत्थं इंदियमलसंभवं असुइयं च । खइएण नरयपडणं विवजणिजं अओ मंसं ॥ આ ગાથામાં માંસને દુર્ગધમય, બીભત્સ અને અશુચિમય પ્રતિપાદન કરેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy