SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ અફ૭] જૈનદનમાં માંસાહારની ભ્રમણા [ ૪૨૯ ] આવી અશુચિમય માંસ જેવી વસ્તુ શુદ્ધ દ્રવ્ય હાઇ શકે નહિ અને ભગવતીસૂત્ર શુદ્ધ વસ્તુ દાનમાં આપી હતી તેમ જણાવે છે માટે માંસ લઈ શકાય નહિ. તથા રેવતીએ કઈ રીતે દાન આપ્યું તેના સંબંધમાં ભગવતીજીનુ ૧૫મું શતક જણાવે છે કે ‘ પત્ત મોતિ' પાત્ર કુંવૃત્તિ પ્રથમ ભાજનને છેડે છે, અર્થાત્ સીકેથી નીચે ઉતારે છે અને પછી દાન આપે છે. તે આવી આહાર તરીકેની નહિ પરંતુ વિશિષ્ટ કેળાપાક યા બિજોરાપાક જેવી વસ્તુ હોવી જોઈએ. લેનાર કાણુ ? આના જવાબમાં જણાવવાનું જે સિંહ નામના અણુગાર હતા, જે મહા તપસ્વી હતા, નિર્જલ છઠ્ઠને પારણે છઠે કરી માલુકા વનની પાસે ઉંચા ભાગમાં ઊર્ધ્વબાહુ કરી સૂર્યની આતાપના લેતા હતા. જ્યારે સામાન્ય મુનિને પણ માંસવાળા સ્થળમાં ગોચરી જવાના નિષેધ છે તેા પછી આવા પવિત્ર અણુગાર માંસવાળા ઘેર જાણી બુઝીને ગાચરી જાય અને તે લાવે એ વસ્તુ બિલકુલ સંભવિત નથી, કિન્તુ બિજોરાપાક માટે ગયેલ એમ માનવું પડશે. માંસવાળા સ્થળમાં સાધુને ગેાચરી માટે જવાન નિષેધ કરનાર જુઆ આચારાંગ સૂત્રના પાઢ—— " से भिक्खू वा० जाब समाणे से जं पुण जाणेजा मंसाइयं वा मच्छाइयं वा मंसखलं वा मच्छखलं वा ना अभिसंधारिज गमणाए । " લેખક એક સ્થળમાં જણાવે છે કે માહિંસાવાળા યજ્ઞ સ્થાનમાં જૈન સાધુ ગોચરી જતા હતા, પરંતુ તેમને ઉપરને પાઠે જોવાની જરૂર છે, તથા ઉત્તરાધ્યયનના પાઠ પણ ખરાખર વિચારશે તેા સમજી શકશે કે તે સ્થળમાં માંસ હતું એવા ઉલ્લેખ નથી. નામમાત્રથી નહિ ચમકતાં શું ધ્યેય હતું અને માગ શુ છે તે વિચારવાની જરૂર છે. કાણે લેવા માકલ્યા ? આના જવાબમાં જણાવવાનું જે અહિંસાને ગગનવ્યાપી નાદ કરનાર પ્રભુ મહાવીરે મેકલ્યા હતા, કે જેના જીવનના પ્રત્યેક પ્રસંગને અગણ્ય માનવી આદશ રૂપે તલસી તલસીને નિહાળતા હતા. અંત એવ એકદા સૂના પ્રચણ્ડ કિરણાના તાપથી નિર્જીવ થયેલ જલાશય અને તલ હાવા છતાં તેમજ દાતા પણ દેવા તૈયાર હોવા છતાં અને પેાતાની સાથેને મુનિગણુ પણ ક્ષુષિત અને તૃષિત હતા છતાં પણ પ્રભુ મહાવીરે તે લેવાને નિષેધ કર્યાં હતા. વળી જે પ્રભુ મહાવીર અનેક નિરવદ્ય ઔષધના જ્ઞાતા હતા, અલૌકિક શકિતના દિવ્ય ખજાના હતા એ માંસ જેવી હિંસક વસ્તુ લેવા મેકલી શકે જ નહિ, પરંતુ બિજોરા પાકને માટે મેકલ્યા હતા. યદ્યપિ આ વ્યાધિ મટાડવાની પરમાત્મામાં અનેક આત્મલબ્ધિ હતી, છતાં પણ વીતરાગ ભાવમાં લબ્ધિના ઉપયાગ નહિ થતા હેાવાથી બિજોરાપાકને ઉપયેાગી ગણ્યા હતા. શા માટે પ્રસ્તુત વસ્તુ લેવા માકલ્યા ?આના જવાબમાં જણાવવાનું જે રુધિરપાન, દાડુ અને પિત્તને શમાવા માટે અર્હત્ તેના ઔષધ તરીકે વસ્તુ લેવા મેાકળ્યા હતા હવે ઉપર જણાવેલ રાધિતા ઔષધ તરીકે કઇ વસ્તુ કામમાં આવે તે વિચારવાનું રહ્યું. માંસ ઉષ્ણુ પ્રકૃતિવાળાં વસ્તુ હોવાથી તે તે કામ આવી શકે જ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy