________________
અંક 9]
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ
[ ૪૨૭ ]
તથા જુઓ નાગમ પ્રજ્ઞાપના સૂત્ર–
“ वेण्टं समंसकडाहं एवाई हवंति एगजीवस्य" આના પરની ટીકા પણ જુઓ
" वृन्तं समंसकडाहंति समांसं सगिरं तथा कटाहं एतानि त्रीणि एकस्य जीवस्य भवन्ति एकजीवात्मकान्येतानि त्रीणि भवन्तीत्यर्थः ।
આ ઉપર જણાવેલ વાગભટ તથા સુશ્રુતસંહિતાના પાઠમાં તથા જૈનાગમ પ્રજ્ઞાપના સૂત્રના પાઠમાં જે “માંસ’ શબ્દ આપેલ છે તેનો અર્થ ફલનો ગલ સિવાય બીજો થઈ શકતો જ નથી, કારણ કે કેવલ વનસ્પતિનો જ અધિકાર છે. આ રીતે વૈદ્યક ગ્રંથમાં અનેક સ્થળે ફલના ગલ અર્થમાં માંસ શબ્દ વપરાયેલ છે. તેવી જ રીતે જૈનાગમમાં પણ આવે છે.
માં -માંસ સદૃશ વસ્તુ, વૈદ્યક ગ્રંથમાં માંસફલા-ગણું, વગેરે સ્થલમાં માંસ શબ્દથી માંસ સદશ અર્થ લીધેલ છે. જુઓ શબ્દોમમહાનિધિત્વ
મા -સ્ત્ર, માંfમર મરું શરું ચહ્યા. વાર્તામ ”
ઉપર્યુકત વિવાદ ગ્રસ્ત શબ્દોના અનેકવિધ અર્થે ઉપરથી વાચકવર્ગ હેજે સમજી શકશે કે–આ શબદો વનસ્પતિ–આહારને અંગે ઘટી શકે છે, છતાં પણ લેખક આ શબ્દો માંસાહાર અર્થમાં જ પ્રસિદ્ધ છે એમ જણાવી અન્ય અર્થોને ઇન્કાર કરે છે એટલું જ નહિ કિંતુ સત્ય સાહિત્યના અંગ ઉપર કુઠારાઘાત કરે છે.
વિવાદગ્રસ્ત શબ્દો વિવિધ અર્થવાળા છે એ વાતનું પ્રમાણ નિરીક્ષણ અમો કરાવી ચૂકયા. આ ઉપરથી યુક્તિવાદને માનનાર તથા શબ્દોના અર્થ કરવાની પ્રણાલિકા અને તેના સાધનને જાણનાર વિવિધ અર્થને ઇન્કાર તે નહિ જ કરી શકે. પરંતુ એક વિચાર અહીં ઉપસ્થિત થાય છે કે આ છ શબ્દમાંથી વનસ્પત્યાહારને લગતે અર્થ જેમ નીકળી શકે છે તેમ માંસાહારને લગતો અર્થ પણ નીકળી શકે છે. તે બેમાંથી કયો અર્થ પ્રસ્તુતમાં લેવો અને યે નહિ, અને તેમાં પણ પ્રમાણુ શું? તથા છુટક છુટક અર્થ બેમાંથી ગમે તે વૃક્ષને લગતા લેવાય, પરંતુ સમય વાકયાર્થ કેને બાધિત અને કોને અબાધિત છે?
આના જવાબમાં જણાવવાનું જ યુકિતવાદને અગ્ર સ્થાન આપનાર તરીકે પંકાયેલ તર્ક ગ્રંથોમાં એ વાત નિત થયેલ છે કે જ્યાં અનેક અર્થવાળા શબ્દો વપરાયા હોય ત્યાં ક અર્થ લે અને ક ન લેવો તેને નિર્ણય કરાવનાર પ્રકરણાદિ છે. જેમ સૈધવ શબ્દના બે અર્થ થાય છે અશ્વ અને લવણ. આ બે અર્થવાળો સૈન્ધવ શબ્દ વાપરીને કેઈએ કહ્યું કે સૈધવાના સૈધવ લાવ, અહિં શ્રોતા વિચારે છે કે મારે અવ લાવ કે લવણ લાવવું. આ વિચાર આવતા જ તે પ્રકરણ જશે. જે ભજન પ્રકરણ હશે તે લવણ લાવશે અને યાત્રા પ્રકરણ હશે તે અશ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org