SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ક ૭] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા [ ૧૭ ] ગાશાલકને મળ્યા હતા તેમના સહવાસ કહી શકાય. આ છ દિશાચરા ટીકાકાર ભગવન્તના અભિપ્રાય પ્રમાણે પ્રભુ મહાવીરના શિથિલ થયેલા શિષ્યા હતા. આ શિષ્યા પ્રભુના કૈવલ્યુ પછીના હોવાથી સિદ્ધ થાય છે કે પ્રભુ મહાવીર્ પ્રથમ જિન અને સના થયા હતા અને ગોશાલક પાછળથી જિન અને સન કહેવરાવવા લલચાયા હતા. સૂ-િ કારના વ્યાખ્યાન પ્રમાણે આ છ દિશાચરાને પ્રભુ પાર્શ્વનાથના શિષ્ય તરીકે ગણીએ તે પણુ અડચણુ નથી, કારણકે પ્રભુ મહાવીરના કૈવલ્ય જીવનખાદ ધણા કાળ સુધી પ્રભુ પાર્શ્વનાથના શિષ્યા હતા. કદાચ એમ કહેવામાં આવે કે ગેાશાલકને તેજોદ્વેશ્યા સિદ્ થયા બાદ થોડા સમયના અંતરે છ દિશાચા મળ્યા હોય અને તેની પાસેથી તત્કાળ ગેાશાલકે જાણી લીધું હોય તે। પ્રથમ જિન કહેવરાવવા કેમ ન લલચાય ? આના જવાબમાં જણાવવાનું જે આ ધટના, ઉપર જણાવ્યા પ્રમાણે બે વર્ષના કાળની અંદરની છે. જિન અને સત્તુ કહેવરાવવાની હુંક આપનાર અષ્ટાંગ નિમિત્તનું અધ્યયન સાધારણ કાટીનું તે ન જ હેાય. ઉચ્ચ કોટીનું અધ્યયન વિશેષકાલ માગે તે સ્વાભાવિક છે. તેમાં પણુ ગાશાલક જેવા ચપલને તેા ધણા લાંબે કાલ જોઇએ તેમાં તે કહેવું જ શું? અર્થાત્ આ રીતે પણ ગાશાલક પ્રથમ જિન કહેવરાવા લલચાઇ શકે તેમ નથી, તથા ભગવતી સૂત્રમાં ગેાશાલકે પોતાની જિન તરીકેની પ્રસિદ્ધિ કર્યાંનું સ્થાન શ્રાવસ્તી નગરી જણાવી છે અને તે સમય ગાશાલકની પ્રવ્રજયાનું ચાવીશમું વર્ષ હતું અને ભગવાન મહાવીરને જિન અને સત્તુ થયાનુ તેરમા વર્ષની ઉપરનું દલ હતું. આની પૂર્વે જિન તરીકે ગેાશાલકે પ્રસિદ્ધિ કર્યાંના કાળ અને સ્થાન જોવામાં આવતું નથી. સક્ષમ સારાંશના જવામ—પ્રભુ મહાવીરના જિનપણામાં ગેાશાલકને સંદેહ હતા નહિ, કારણે પ્રભુ મહાવીર જિન છે, એ વાત તેણે પેતે કબુલ કરી છે. ગોશાલક જિન છે કે નહિ તેવા સ`દેહ ભગવાન મહાવીરને હતા જ નહિ. તેમને તેા ગાશાળક જિન નથી એવા નિષ્ણુય જ હતા. વળી ગાશાલકે પણ પ્રાન્તે એ વાત કમુલ કરી છે. આ હકીકત ભગવતીનું ૧૫ મું શતક સ્પષ્ટ બતાવી આપે છે. આગળ ચાલતાં લેખકે પરમાત્મા મહાવીરને માંસાહાર સિદ્ધ કરવા શ્રી ભગવતી સૂત્રના પંદરમા શતકને સામે રાખી તેના સારરૂપે કેટલુંક લખાણુ કરેલ છે. આ લખાણમાં કેટલાએ અગત્યના મુદ્દાઓ જતા કરવામાં આવ્યા છે અને કેટલાએક પોતાના ઘરના મૂકવામાં આવ્યા છે. હાલ એ બાબતમી ચર્ચા જતી કરી શ્રી ભગવતી સૂત્રનાં ૧૫ મા શતકમાં જે આવે છે, તેને અનુસરીને, કેટલુંક ઉપયોગી વર્ષોંન નીચે પ્રમાણે જણાવીએ છીએ— શ્રાવસ્તી નગરીના ઈશાન કાણુમાં કાષ્ટક નામનું ચૈત્ય હતું. આ નગરીમાં આજીવિક મતની ઉપાસિકા હાલાહાલા નામની કુંભારણ રહેતી હતી. એકદા મ ખલિપુત્ર ગાશાલક, કે જેની પ્રવજ્યાને ૨૪ વર્ષ થયાં છે તે, એ કુંભારણની સપળમાં ( વિક્રય ઠામ રાખવાની શાલામાં) આવીને ઉતર્યાં, અને આજીવિક સમુદાય સહિત આજીવિક મતથી પેાતાના આત્માને ભાવતા હતા. પૂર્વે એકદા ગાશાલકની પાસે છ દિશાચરા આવ્યા હતા. જેનાં નામ-(૧) સાણુ (૨) કંદલ (૩) કર્ણિકાર (૪) અછિદ્ર (૫) અવૈિશ્યાયન અને (૬)ગામાયુપુત્ર અર્જુન, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy