SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪]. શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ પ્રેરાયેલ છે તે ખરેખર પ્રભુ મહાવીર પ્રત્યેની તેમની વિષમ મનભાવનાને આભારી છે. વસ્તુતઃ સત્ય શું છે એમ પૂછવામાં આવતાં તેને જણાવવા પ્રભુ મહાવીરને પ્રયાસ હતું. જ્યારે પોતે કરેલી જિન તરીકેની પ્રસિદ્ધિ કેમ ટકાવી રાખવી તેને માટે ગોશાલકને પ્રયાસ હતો. આ વિષયમાં ભગવતીજીનું પંદરમું શતક શું કહે છે તે અમે આગળ બતલાવીશું. તૃતીય સાશને જવાબ–લેખકના લખવા પ્રમાણે જે અશોક રાજા આજીવિક મતને નથી, જેના માનસે બૌદ્ધધર્મને મહત્તવનું સ્થાન આપ્યું છે, તે અશોક આજીવિક મતને તેના જ જેટલું મહત્ત્વનું સ્થાન આપી ગુફાઓ કઈ રીતે આપી શકે ? કિન્તુ અન્ય કોઇ નિમિત્તથી આપેલ હોય. નૃપતિઓ કોઈ પણ વ્યક્તિ યા સમૂહને કારણ વિશેષથી સ્થાન સમપ પટ્ટા કરી આપે તેથી તે વ્યકિત યા સમૂહ તે કાલના અન્ય ધર્મો જેટલું જ મહત્ત્વનું સ્થાન ભેગવતે હતો એમ માની લેવું ઠીક નથી. આજીવિક મત જે જૈન, બૌદ્ધ યા બ્રાહ્મણ ધર્મ જેટલું મહત્ત્વનું સ્થાન ભાગવતે હોત તે આજે નામશેષ નહિ થતાં જિન બૌદ્ધ યા બ્રાહ્મણ ધર્મની જેમ અસ્તિત્વમાં હેત. તથા આજીવિક મતના ઉપાસક તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિના ઉલ્લેખ નહિ મળતાં પુનઃ પુનઃ હાલા હાલા નામની કુંભારણનું નામ ભગવતીજીમાં આવે છે. તેને ત્યાં ગોશાલક રહ્યો હતો અને આજીવિક સંપ્રદાય પણ ત્યાં પુનઃ પુનઃ એકત્રિત થતો હતો. આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે આજીવિકા મત કેટલે દરજજે પહોચેલો હશે. હવે આપણે આજીવિક શબ્દની વ્યુત્પત્તિ તરફ ધ્યાન આપીએ. આજીવિક-એટલે અમુક પ્રકારે આજ વિકા ચલાવનાર વ્યક્તિ વિશેષ. આજીવિકા તે જગતમાં સહુ કોઈ અમુક અમુક પ્રકારે ચલાવે જ છે. તે પછી આમાં વિશેષ શું? આને માટે કહી શકાય કે શુભાશુભ નિમિતાદિ બતલાવીને જે આજીવિકા ચલાવે તે આજીવિક કહેવાય. જ્યારે વિશિષ્ટ આધ્યાત્મિક ગુણેને જણાવનાર જોન શબ્દ જૈનધર્મ સાથે જોડાય છે ત્યારે ઉપર જણાવેલ અર્થવાળ આજીવિક શબ્દ જે મતની સાથે જોડાયેલ છે, તે મતનું તત્ત્વ દૃષ્ટિએ મહત્વનું સ્થાન કેટલું હોય તે પણ સમજી શકાય તેમ છે. તથા પરિગ્રહના પરિહારી, વાયુવત વિહારી જે મુનિગણ તેના સભ્ય તરીકે દાવો ધરાવનાર ભિક્ષુઓને ગુફાઓને નિયત વાસ અને તેના પિતાના નામે પટ્ટાઓ શા માટે ? આ શિલાલેખ જ બતાવે છે કે આજીવિક સાધુઓ પરિગ્રહત્યાગમાં જ્ઞાનદષ્ટિએ કેટલે સુધી પહોંચ્યા હતા. જન ગ્રંથમાં આજીવિક સાધુના વિશિષ્ટ તપનું વર્ણન આવે છે, માટે જૈનદર્શન જેટલું જ મહત્ત્વનું સ્થાન આજીવિક મતનું હતું એવું જે જણાવવું તે પણ વ્યાજબી નથી. આજીવિક સાધુઓના અને જન સાધુઓના તપમાં વિશાળ અંતર છે. જુએ આજીવિક સાધુના તપવર્ણનને પાઠ-- " आजीवियाणं चउविहे तवे पन्नते, तंजहा उग्गतवे, તવે ઉન્નતા, કિમિહિચકિત્રીતા સ્થાનાંગ સૂત્ર, સ્થાન-૪, ઉદ્દેશક-૨, સૂત્ર-૩૦૯ અર્થ. આજીવિક સાધુઓને ચાર પ્રકાર તપ છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy