________________
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા
યાને
(ગોપાલદાસ જીવાભાઈ પટેલના લેખને જવાબ
લેખક–આચાર્ય મહારાજા શ્રી વિજયલાવણ્યસૂરિજી
અહિંસા શિખરીના ઉગ શિખરે વિલસતા જૈનદર્શનમાં માંસાહારને સ્થાન ન હેય, એ વિષયને લગતી અમારી લેખમાલા “જૈન સત્ય પ્રકાશમાં ચાલતી હતી. એ દરમિયાન એક મહાશય તરફથી “પ્રસ્થાન” પત્રના વર્ષ ૧૪, અંક ૧ ની એક નક્કલ અમને મોકલવામાં આવી, સાથેસાથ વિનવવામાં આવ્યું જે પ્રસ્તુત અંકમાં મુદ્રિત થએલ ગોપાલદાસ જીવાભાઈ પટેલને લેખ જૈનદર્શનને અશ્લીલ રૂપમાં ચીતરે છે, આપ આને ઉચિત જવાબ આપશે.
પ્રસ્તુત લેખ જે. એની રચના વિચિત્ર અવયથી યોજાએલી હતી. આવા લેખથી ભદ્રિક જનતા વિપરીત વિચારણામાં ન પડે એવી વિચારણાથી જવાબ આપવા ચિત્ત પ્રેરાયું. યદ્યપિ પ્રસ્તુત લેખના પ્રતીકારરૂ૫ કતિય વિચારે અમારી “ સમીક્ષાભ્રમવિષ્કરણ” શીર્ષક લેખમાળામાં આવી ગયા છે અને અવશિષ્ટ પણ તે તે પ્રસંગે આવવાના હતા, છતાં કાલવિલંબ અને પ્રકીર્ણકતાને અંગે તાત્કાલિક અને અલગ જવાબ આપ ઉચિત સમજાય. લેખકનાં વચને ટાંક્યા સિવાય કેવળ તેને જવાબ વાચકવૃંદને ઉભડક જેવો લાગે તેની ખાતર ઉપયુક્ત સ્થળે લેખકનાં વચનો મૂકી જવાબ આપીશું. લેખકનાં વચન–
“સામાન્ય રીતે જોતાં જૈનધર્મે પિતાના ઉદય પછીના સમયમાં વનસ્પત્યાહારના પ્રચારમાં એ અગત્યનો ભાગ ભજવ્યો છે, કે જૈનધર્મગ્રંથોમાં જનસાધુઓ કે જેનધર્મના સંસ્થાપક મહાવીર સ્વામી માંસભિક્ષા કરતા એ ઉલ્લેખ આવતાં જ એકદમ તે ખચવાય. પરંતુ પ્રાચીન જૈન ટીકાકારો કે જેમને તે જમાના સાથે અથવા તે જમાનાની પરંપરાઓ સાથે આપણું કરતાં વધુ પરિચય હો સંભવે છે, તેઓ પણ માંસ શબ્દને અર્થ માંસ જ અને માછલી શબ્દનો અર્થ માંછલી જ કરે તે પછી સામાન્ય અનુવાદકને તે વધુ વિચારવાનું રહે જ નહિ, એટલે જે જે સ્થળે કોઈ પણ પ્રાચીન ટીકાકારે માસ શબ્દને અર્થ માંસ જ કર્યો હોય એવું માલુમ પડે છે તે સ્થલે “શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાલા' ના પુસ્તકમાં માંસને અર્થ માંસ જ કરેલ છે. ”
ઉપરના કથનમાંથી નીચે પ્રમાણે સારાંશ તરી આવે છે–
૧ જેનધર્મે પિતાના ઉદયકાલમાં વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ ભજવ્યો ન હતો.
૨ જૈનધર્મે પિતાને ઉદય થયા બાદ ઘણુ સમયે એટલે કે માંસ અર્થ કાયમ રાખનાર ટીકાકારોના કાલ બાદ વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ ભજવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org