SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૦ ] શ્રી જન સત્ય પ્રકાશ આ વસ્તુને જે તે સમજ્યા હોત તો પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોને અને વનસ્પતિ તથા જાનવરને એક સરખા ન ગણત. લેખક કહે છે કે “વારંવાર શરીર પ્રાપ્ત કરાવનાર કર્મના ક્ષયમાં જ જે પ્રયત્નશીલ થવાનું શરૂ કરવામાં આવે તે હિંસામાંથી અહિંસામાં એક પગલું ચેકસ ભર્યું કહેવાય.” પરંતુ લેખક ભૂલે છે કે કર્મક્ષયને પ્રયત્ન કરવા માટે જ જીવહિંસા ત્યાગવાની છે. એટલે જેટલે અંશે હિંસાને ત્યાગ થાય છે, તેટલે તેટલે અંશે સંયમની પાલના અને આશ્રવનો વેધ થાય છે. સાધુ વિહાર કરે કે ગોચરી જાય, દરેક ક્રિયામાં લેખક હિંસા જરૂર જોઈ શકતા હશે. પરંતુ હિંસાજન્ય કર્મનું બંધન ઉપગ પૂર્વક ક્રિયા કરનાર સાધુને થતું નથી, એ વાત પણ તેમણે ભૂલવી જોઈતી નથી. कह चरे कुहं चिढे कहमासे कहं सये । कहं भुंजन्तो भासन्तो पावं कम्मं न बंधइ ।। કેવી રીતે ચાલવું? કેવી રીતે ઉભવું? કેવી રીતે બેસવું? કેવી રીતે સુવું ? કેવી રીતે ખાવું અને કેવી રીતે બેસવું કે જેથી પાપ કર્મ ન બંધાય ? શિષ્યના આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુએ જે એક માર્ગ બતાવ્યું, તે ખૂબ ધ્યાનમાં રાખવા જેવો છે – जय चरे जयं चिट्टे जयमासे जयं सये। नयं भुजन्तो भासन्तो पावं कम्म म बंधइ । યતનાથી ચાલો, યતનાથી ઉભા રહે, યતનાથી બેસે, યતનાથી સૂઓ, યતનાથી ખાઓ અને યતનાથી બેલો જેથી પાપ કર્મ ન બંધાય. સંયમની રક્ષામાં ઉપયોગ એ પ્રધાન ચીજ છે. સંયમના નિર્વાહ માટે શરીરને નિર્વાહ અને શરીરના નિર્વાહ માટે બ્રાહ્ય ક્રિયાઓ જરૂરી છે. અને ક્રિયામાં કર્મ રહેલું જ છે. જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે. પરંતુ કર્મનું બંધન અંતઃકરણ-મનના પરિણામ ઉપર આધાર રાખે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે -ઉપગે ધર્મ, ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, ચાલવાની અને બીજી બધી ક્રિયાઓ સાધુ ઉપયોગ પૂર્વક કરે છે, સંયમના રક્ષણ માટે કરે છે, તે તેને બંધ નથી કારણ કે એ ક્રિયાઓ અનિવાર્ય છે, અશક્યપરિહાર્ય છે. પરંતુ આવી ક્રિયા સાધુ કરે છે એટલે તેને હિંસાનું પાપ લાગે છે એ માનવું નિતાઃ અજ્ઞાનતાનું સૂચક છે. આવું માનનારા સૌથી પહેલાં તો જૈન શાસ્ત્રોમાં બતાવેલ સ્થૂલ અહિંસા, સૂક્ષ્મ અહિંસા, દ્રવ્ય અહિંસા, ભાવ અહિંસા, વરૂપ અહિંસા, પરમાર્થ અહિંસા, દેશ અહિંસા, અને સર્વ અહિંસાઈત્યાદિ અહિંસાના ભેદેને, અને હિંસા-અહિંસાની વ્યાખ્યાને જ સમજ્યા નથી. યદ્યપિ એ વાત સાચી છે કે મુનિઓને પણ ચાલવાની, ખાવાની, પીવાની, બેલવાની વગેરે ક્રિયાઓ કરવી પડે છે, અને તેમાં સૂક્ષ્મ જીવહિંસા થાય છે, પરંતુ તેમને આત્મા હિંસાના સંકલ્પ વિકલ્પથી દૂર હોવાને કારણે તેનાથી અલિપ્ત રહે છે. શ્રમણોના શરીર માત્રથી થવાવાળી હિંસા દ્રવ્ય હિંસા કિંવા સ્વરૂપ હિંસા કહેવાય છે,WW.jainelDTal) For Private & Personal lain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy