SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ महारंभयाए महापरिग्गहयाए कुणिमाहारेणं पंचिदियवहेणं नेरइयाउयकम्मा सरीराध्पयोगनामाए कम्मस्स उदपणं नेरइयाउयकम्मा सरीरे जाव पयोगबन्धे । ' [ ૩૮૮ ] આ જ વસ્તુ ઠાણાંગસૂત્રના ચેથા ઠાણામાં પણ બતાવવામાં આવી છે. ' चउहिं ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकेरंति तं जहा - महारंभयाए महापरिग्गहयाए पंचेन्दियवहेणं कुणिमाहारेणं || ,, આવી રીતે માંસાહારને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાપ, નારકીના આયુષ્યને યેાગ્ય કમ બન્ધન કરાવનારું પાપ જે જૈન સૂત્રમાં બતાવવામાં આવ્યું ઢાય, તે જૈન સૂત્રેા માંસગ્રહણને આદેશ આપે અથવા માંસંગ્રહણુનું ઉદાહરણ પૂરું પાડે એ કલ્પનામાંયે આવી શકે એવી વસ્તુ નથી. ભગવાન મહાવીર અને તેમના સાધુએ ચુસ્ત અહિંસાના ઉપાસક અને પ્રકાશક હતા એ વાત અધ્યાપક કૌસ'મીજી પણ સ્વીકારે છે. તેમણે પોતાના માંસાહાર સબ ધીના લેખમાં લખ્યું છે કે— “ તે જ પ્રમાણે પોતાથી પરાક્ષ કે અહેતુપૂર્વક થયેલી હિંસા, એ હિંસા નથી, એમ બુદ્ધ ભગવાન કહેતા. દાખલા તરીકે આપણે દીવા કરીએ અને તેના ઉપર પડીને જીવડાં ભરી જાય તે તે હિંસા નથી, એમ તેમનું કહેવું હતું. તે ઉપરથી જન શ્રમણા પણ તેમને નાસ્તિક (અક્રિયાવાદી) કહેતા.” આને અર્થ જ એ છે કે પરાક્ષમાં થતી હિંસાને પણુ જૈને હિંસા તરીકે માનતા આવ્યા છે. જૈન સાધુએ બીજાના ઘરનું આમંત્રણ સ્વીકારવાને પણ તૈયાર ન્હાતા અને નથી, અને સાધુને માટે તૈયાર કરેલું અન્ન, એને પણ નિષિદ્ ગણુતા અને ગણે છે. કારણકે તૈયાર કરતી વખતે અગ્નિને લીધે થાડી ધણી પણ હિંસા થાય, તેમાં અનુમેદન આપ્યાં જેવું થાય. એટલા માટે તેને સ્વીકાર ન્હોતા કરતા, અને અત્યારે પણ નથી કરતા. ‘ આટલી બધી વ્યાપક અહિંસા મહાવીર અને તેમના અનુયાયી માને છે’ એવું વિદ્વાન લેખક સ્વીકારવા છતાં, મહાવીરે માંસ ગ્રહણ કર્યુ હતું એવા અર્થ તરફ લઈ જવા પ્રયત્ન કરે છે, એ બહુ આશ્ચય ઉત્પન્ન કરે છે. માંસ નહિ ગ્રહણ કરવાનું શું કારણ છે? એ કારણ તરફ્ અને તે સંબંધી જૈન શાસ્ત્રામાં આપેલા પાઠો તરફ ધ્યાન આપવામાં આવે તે પણ એ સ્વીકાર્યાં વગર ન રહી શકાય કે ભગવાન મહાવીર કે તેમના સાધુએ પણ માંસ ગ્રહણ કરી શકે નહિ. સૌથી પહેલાં તે। કાઇ પણ જીવના મર્યા વિના માંસ ઉત્પન્ન થતું નથી, અને ખીજું કાઈ પણ સ્થિતિમાં માંસ નિર્જીવ હોતું નથી. કલિકાલસર્વજ્ઞ હેમ ચંદ્રાચાય · ચેાગશાસ્ત્રના ' ત્રીજા પ્રકરણમાં કહે છે કે~~ सद्यः सम्मूर्च्छितानन्तजन्तुसन्तानदृषितम् । नरकाध्वनिपाथेयं कोऽश्नियात् पिशितं सुधीः ॥ ३३ ॥ અર્થાત્ જીવના નાશ સમયે જ જેમાં અનન્ત જીવા ઉત્પન્ન થાય છે, એવા દૂષિત માંસનું કયા બુદ્ધિશાળી ભક્ષણ કરે ? કે જે માંસ નરકના માર્ગમાં ભાતારૂપ થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy