________________
|[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
ઉપરના આચારાંગના પાઠને સારાંશ એ છે કે બહટકમય મત્સ્ય કે બહુ અસ્થિમય માંસ મળે તે સાધુ સાધ્વીએ લેવું નહિ, અને એવી રીતે બહુ કંટકમય મત્સ્ય કે બહુ અસ્થિમય માંસ આપનાર ગૃહસ્થને કે ગૃહસ્થિનીને નિષેધ કરે, અને કેવળ અસ્થિ કંટક સિવાયનું મત્સ્ય કે માંસ માંગવું. તેમ છતાં તે જો જબરજસ્તીથી પાત્રમાં નાખે તે આરામમાં કે ઉપાશ્રયમાં ગમે ત્યાં એકાન્તમાં જઈને માંસ ને ભસ્યને ઉપભોગ કરીને કાંટા તથા હાડકાં કોઈ બાળેલી જમીન પર, હાડકાંના ઢગલા પર, કાટ ખાઈ ગએલા જૂના લેઢાના ઢગલા ઉપર અથવા એવી નિર્દોષ જમીન ઉપર જગ્યા સાફ કરીને સંયમ પૂર્વક મૂકવાં.
ઉપરની દશવૈકાલિકની ગાથાઓને અર્થ એ છે કે –
“બહુ અસ્થિમય માંસ, બહુ કંટકમય મત્સ્ય, અસ્થિવૃક્ષફળ, બિલ્લીપત્રનું ફળ, શેરડી, શાલ્મલી–આવી જાતના પદાર્થો જેમાં આવતો ભાગ છે અને ફેંકી દેવાનો ભાગ વધારે હોય તે આપનારીને “તે મને એગ્ય નથી' એમ કહીને નિષેધ કરે.”
જન સૂત્રોના માંસાહારના સમર્થનમાં માત્ર આ જ પાઠ આગળ કરવામાં આવે છે.
સૌથી પહેલી બાબત તે એ છે કે-આવા પાઠોના અર્થ કરતી વખતે આગળ પાછળના અધિકારને પ્રસંગ જેવાની ખાસ જરૂરત છે. જૈન સૂત્રે માંસાહારને માટે સન્તમાં સખ્ત રીતે નિષેધ કરતાં હોય અને અધ્યાપક કોસંબીના કહેવા પ્રમાણે જે જૈન શ્રમણે પિતાથી પક્ષ થએલી હિંસાને પણ હિંસા માનતા હોય, તે જૈન શ્રમણો માંસ યા ભાછલી સ્વીકારે એ બિલકુલ અસંભવિત વાત છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે આ એક અપવાદિત પ્રસંગ છે. એટલે કે મહા વિકટ પ્રસંગમાં આ વસ્તુઓ ગ્રહણ કરવા માટે લખ્યું છે. વિધિ નથી અપવાદ છે. અને તે પણ બહાર પરિભેગને માટે, શરીર ઉપર લગાવવાને માટે, ખાવાને માટે નહિ.
લેખક ટીકાઓને માન્ય રાખતા હોઈ ટીકાકારના આ શબ્દો ઉપર તેમને જરૂર ધ્યાન આપવું ઘટે છે
“ यस्य चोपादानं क्वचित् लुताद्युपशनार्थ सद्वैद्योपदेशतो वा बाह्यपरिभोगेन स्वेदादिना, ज्ञानाद्युपकारत्वात, फलवद् दृष्ट, भुजिश्चात्र बहिः परिभोगाथै, नाभ्यवहारार्थ, पदातिभोगवत् ।"
અર્થાત ક્યારેક ભૂતાદિ રોગની શાંતિને માટે કુશળ વૈદ્યના આદેશથી બહાર લગાડવાને માટે માંસ-મસ્ય ગ્રહણ કરે, પરંતુ તે ખાવાને માટે નહિ. અહિં ભુજ’ ધાતુ પરિગ અર્થમાં છે. જેવી રીતે કે “પદાતિભેગ' આદિ શબ્દોમાં “ભુજ ' ધાતુને અર્થ “ખાવું' એવો નહિ પણ કામમાં લેવું-લગાવવું એ ગ્રહણ કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org