SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર [૩૫૧] નહિ તો પ્રતિસ્પધી તરીકે તે જરૂર ઉલ્લેખ કર્યા વિના રહે જ નહિ. દા. ત. બૌદ્ધ ગ્રંથોમાં ગૌતમબુદ્ધના પ્રતિસ્પધી શ્રવણ ભગવાન મહાવીરનો ઉલ્લેખ “નિગ્સનાતપુત્ત' તરીકે ઠેકઠેકાણ કરેલે મલી આવે છે. વળી દિગંબર ગ્રંથોમાં તથા શિલાલેખમાં બીજા ભદ્રબાહુને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે ઐતિહાસિક દષ્ટિએ સિદ્ધ થઈ શકતે નથી, એ બાબતના સંખ્યાબંધ પુરાવાઓ “જૈન સત્ય પ્રકાશમાં પ્રસિદ્ધ થએલી “વિવર શાસ્ત્ર ને ને ?' નામની લેખમાળામાં આપેલા છે. વરાહમિહિર અને ભદ્રબાહસ્વામી સંબંધીની ઉપર્યુકત અનૈતિહાસિક દંતકથા ઉપરથી દેટલાક વિદ્વાને એવો મત બાંધે છે કે નિર્યુક્તિઓ તથા કલ્પસૂત્રના રચયિતા પણ મૃતકેવલ ભદ્રબાહુ નહિ, પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ છે. છતાં ખુબીની વાત તો એ છે કે એ વિદ્વાનોમાંથી કોઈએ પણ બીજા ભદ્રબાહુને ગુરૂશ્રીનું અથવા શિષ્ય પરંપરાનું નામ સુદ્ધાં નિર્દિષ્ટ કર્યું નથી. કલ્પનાની ખાતર આપણે એક વખત માની લઈએ કે બીજા ભદ્રબાહુ થઈ ગયા છે, અને તેઓએ આ બધી કૃતિઓ એટલે કે નિર્યુકિતઓ, કલ્પસૂત્ર મૂળ અને ઉવસગ્ગહર તેત્રની રચના કરી હોય તો નાશ પામતાં પામતાં પણ બચી જવા પામેલા સેંકડે શિલાલેખો તથા શ્વેતાંબર માન્ય આગમ ગ્રંથો અને વિપુલ સાહિત્ય રાશિમાં કઈ પણ ઠેકાણે બીજા ભદ્રબાહુ હવામીની સંસારી અવસ્થાનું નામ, તેઓશ્રીના ગુરૂશ્રીનું અથવા શિષ્ય પરંપરાનું નામોનિશાન સુદ્ધાં ન મલી આવે એવું બની શકે ખરું? મારી માન્યતા મુજબ તો જ્યાં સુધી ઐતિહાસિક શિલાલેખો અથવા તામ્રપત્રો અને આગમગ્રંથોમાંથી તે વાતની પુષ્ટિ આપતા પુરાવાઓ ન ભૂલી શકે ત્યાં સુધી તે નિર્યુક્તિઓ, કલ્પસૂત્રમૂળ, તથા ઉવસગ્ગહર સ્તોત્રના કર્તા તરીકે શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામીને જ માનવા ઘટે અને હું તે તેઓને જ માનું છું. આવી ઐતિહાસિક મૂલ્યવગરની દંતકથાઓ ઉપરથી પ્રાચીન ચાલી આવતી માન્યતા ફેરફાર કરવાનું કોઈ પણ સમજુ માણસ કબુલ ન કરે. જૈન સત્ય પ્રકાશ’ના વર્ષ ૩ના ૧ર અંકમાં “શ્રી ભદ્રબાહુ ગણિરચિત ચઉકકસાય’ એ નામને એક લેખ પૃષ્ઠ ૪૩૨ તથા ૪૩૩ ઉપર શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયાએ લખીને એ કૃતિના કર્તા શ્રી ભદ્રબાહુગણિ તે કોણ તેને અંતિમ નિર્ણય કરવાને બાકી રાખે છે, પરંતુ આ ભદ્રબાહુગણિ તે નિયુકિતકાર, કલ્પસૂત્રકાર અથવા ઉવસગહર સ્તોત્રકાર તે ન જ હોઈ શકે. કારણ કે તેઓએ પિતાની કોઈ પણ કૃતિમાં પિતાને નામ નિર્દેશ કરેલો નથી અને પ્રાચીન સમયમાં સ્તોત્રકારે પોતાની કૃતિઓના અંતે મોટે ભાગે નામ નિર્દેશ કરતા ન હતા એટલે મારી માન્યતા પ્રમાણે ચઉકકસાયના રચનાર શ્રી ભબહુગણિ ઘણું કરીને વિક્રમની દસમી સદીની પછીના હેઈ શકે. મારા બીજા પ્રશ્નના જવાબ રૂપે ‘ઉવસગ્ગહર સ્તોત્રના કતી તકેવલિ ભદ્રબાહ જ છે, એ પ્રાચીન પરંપરાને ફેરવવા માંટના જયાં સુધી બીન ઐતિહાસિક સબળ પુરાવાઓ ન મલી આવે ત્યાં સુધી હું પ્રાચીન પરંપરાને વળગી રહું છું. www.jainelibrary.org Jai Sતા For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy