SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર લેખક:શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ ( ક્રમાંક ૩૬ના પૃષ્ઠ ૪૨૦થી ચાલુ) ભદ્રબાહ અને વરાહમિહિર એ બે ભાઈઓ હતા, તેવી રીતને ઉલ્લેખ પ્રબંધચિંતામણિ તથા શ્રીજિનપ્રભસૂરિ વિરચિત અર્થકલ્પલતા’ નામની વૃત્તિના રચના સમય પહેલાંના કોઈ પણ ગ્રંથમાં કરવામાં આવ્યો હોય એવું મારા ખ્યાલમાં નથી. બીજી બાજુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ પણ પિતે રચેલા પરિશિષ્ટ પર્વ” નામના ગ્રંથમાં તે બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. મારા આ મતને ભલતે જ અભિપ્રાય જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી સ્વર્ગસ્થ ડે. હર્મન જેકોબીએ પણ “કલ્પસૂત્ર'ની અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં દર્શાવ્યો છે જે અક્ષરશઃ નીચે મુજબ છે.* ભદ્રબાહુ અને વરાહમિહિર વચ્ચે થયેલી સ્પર્ધાના સંબંધમાં હેમચંદ્રસૂરિ સિવાય ઘણા અર્વાચીન જૈન મંથકારેએ એક દંતકથા આવેલી છે. આ દંતકથા ઉત્પન્ન થવાનું કારણ મને નીચે નીચે મુજબ લાગે છે – એક તે ભદ્રબાહુસ્વામીએ સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા અને ભદ્રબાહરી નામની સંહિતા એમ બે ખગોળ વિદ્યા વિષયક ગ્રંથે તથા “ઉવસગ્ગહર' નામનું સ્તોત્ર રચ્યું છે એમ જે મનાય છે. તેથી, અં બીજું, જૈન જ્યોતિષ શાસ્ત્રને અન્ય જ્યોતિવિંદે જે ધિક્કારતા હતા ( જુઓ સિદ્ધાન્ત શિરોમણિ ૩-૧) તેથી, ભદ્રબાહુ અને જૈન જ્યોતિષ શાસ્ત્રની મહત્તા દેખાડવાની લાલસાના પરિણામે એ દંતકથા જન્મ પામી છે. આ ઉપર આપેલી કથા દેખીતી રીતે જ કાંઈ પણ ઐતિહાસિક ઉપયોગિતાવાળી જણાતી નથી. તેમજ હેમચંદ્રસૂરિએ તેને ઉલ્લેખ સુદ્ધાં પણ કરેલ નહિ હેવાથી તે અર્વાચીન હોય તેમ ભાસે છે. તેથી આ સંબંધમાં આપણને કોઈ પણ જાતને વિચાર કરવાની જરૂર નથી.” ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી એટલું તો જરૂર સિદ્ધ થાય છે કે પંડિત શ્રી બહેચરદાસ તથા ઇતિહાસપ્રેમી મુનિમહારાજ શ્રી કલ્યાણવિજયજીએ ભદ્રબાહુ અને વરાહમિહિર એ બંને ભાઈઓ હોવાની જે કલ્પના કરી છે, તે અનૈતિહાસિક દંતકથાના આધારે છે, જ્યારે વરાહમિહિર પિતે પણ પિતાના ગ્રંથમાં ભદ્રબાહુને ઉલ્લેખ કરતા નથી, જે તેઓ બંને પ્રતિસ્પધી હોય અને ગૃહસ્થપણામાં સગા ભાઈઓ હોય તે પછી મિત્ર તરીકે ડૉ. હર્મન જે કેબીએ લખેલ અંગ્રેજી કલ્પસૂત્ર દુપ્રાપ્ય હોવાથી આ અવતરણ શ્રીયુત સુશીલે કરેલા તે પ્રસ્તાવનાના ગુજરાતી ભાષાંતર ઉપરથી આપ્યું છે. આ પ્રસ્તાવના ગુજરાતી ભાષાંતર, ૨૦, જૈન બુકસેલર મેધજી હીરજીએ છપાવેલ કલ્પસૂત્ર સુખબાધિકા”માં છપાવેલ છે, ૧ આ દંતકથા જૈન સત્ય પ્રકારના વર્ષ ૭ અંક ૧ના ૨૨મા પાને આપી છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy