SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ] વાટ નગરીને મામીન શિલાલેખ [ oyદ] સંઘપતિ ઇન્દ્રરાજના ત્રણે ભાઈઓનું કુટુમ્બ આ પ્રમાણે છે. તેમનું ગોત્ર રાયાણ હતું. રાયાણ ગેત્રમાં આજે દિલ્હીના સુપ્રસિદ્ધ ઝવેરી લાલા ખેતીલાલજી છે. તેમની બહુ જ ઈચ્છા હતી કે વૈરાટના આ મંદિરને હું જીર્ણોદ્ધાર કરાવું. પાંચ સાતસોમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ શકે તેમ છે. રાજ્યાણ ગોત્રની યશપતાકા ફરકાવતું આ મંદિર ઉભું છે તેને સ્થિર રાખવું, એ રાWાણું ગોત્રના વંશજોની પ્રથમ ફરજ છે. લાલા ખેરાતીલાલજી ગયે વર્ષે સ્વર્ગસ્થ થયા પરંતુ તેમના ભાઈઓ અને પુત્રો વિદ્યમાન છે તેઓ આ કાર્ય જરૂર સંભાળે. વૈરાટની વર્તમાન પરિસ્થિતિ હું સંક્ષેપમાં જણાવી ગયું છે. જયપુર સ્ટેટની અન્તિમ સરહદનું આ સ્થાન છે. ચોતરફ પહાડે, જાણે તાંબુ પાથર્યું હોય તેવી લાલ માટી વગેરે છે. જ્યાં જૈનોનાં ૩૦૦ ઘર હતાં, ત્યાં છે. જેનાં પાંચ સાત ઘર છે. તેઓ ઈચ્છે છે કે મંદિરને જીર્ણોદ્ધાર થાય. તેઓ સેવા પૂજા કરવા જિનવરેન્દ્રની ભકિત કરવા તૈયાર છે. એક જ મંદિરને કે જેમાં મોટે શિલાલેખ છે તેને જ જીર્ણોદ્ધાર થાય તેમ છે. શિલાલેખ જોવા આવનાર પુરાતત્વવિદે પણ આ લેખને બહુ જ મહત્ત્વને ગણે છે. જયપુર સ્ટેટ આ જીર્ણ મંદિરને સંરક્ષણીય સ્થાન તરીકે પિતાના કબજામાં રાખવા ઈચ્છે છે. પણ ત્યાંના જૈને ના જ પાડે છે. કોઈ ધર્મપ્રેમી દાનવીર સગ્રુહસ્થ આ બાજુ લક્ષ આપી જગગુરૂજી શ્રી હીરવિજયસૂરિશ્વરજીની યશપતાકા ફરકાવતા આ જિન મંદિરને જીર્ણોદ્ધાર કરે એ ખાસ જરૂરનું છે. સાધુઓના વિહારની પણ ઘણું જ અગત્ય છે. છેલ્લી બે સદીમાં સાધુ તરીકે અમે જ ચાર સાધુઓ પ્રથમ ત્યાં ગયા હતા. રસ્તા વિકટ છે. અડચણ ઘણી છે છતાંયે સાધુ મહાત્માઓએ પધારવાની જરૂર છે. અહીંથી બે માઈલ ગયા પછી અવર રાજ્યની સરહદ શરૂ થાય છે. ત્યાંથી ગાજીના થાણું થઈ અનુક્રમે અલ્વર થઈ દિલ્હી જવાય છે. આ રસ્તે ન નીકળે છે. જંગલી પ્રાણીઓને ડર છે, પરંતુ ધીમે ધીમે આ રસ્તે જાહેર રસ્તે બની જશે પછી ડરનું નામ નહિ રહે. વચમાં વસ્તી મે અને મીયાણાની આવે છે. સાવચેતી પૂર્વક અને સમુદાય સાથે વિહરવામાં ડર જેવું નથી. જેમણે જીંદગીમાં પહેલી જ વાર સાધુઓનાં દર્શન કર્યા એવા ત્યાં અને ભાવિક અને શ્રદ્ધાળુ છે. અન્તમાં–આ ઐતિહાસિક શિલાલેખનું સત્ય સમજી તે વખતના જૈન સંઘની મહત્તા વાંચી તેવું પ્રભુત્વ જૈન સંઘને પુનઃ પ્રાપ્ત થાઓ એ શુભેચ્છા પૂર્વક વિરમું છું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy