________________
[૩૪૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
એ છતાં તેને મુખ્ય સ્તંભ કહીએ તે પણ અતિશયોક્તિ નથી. કારણ કે મિથ્યાત્વને સ્તંભ તૂટતાં આખો સંસારપ્રાસાદ જમીનદોસ્ત થઈ જાય છે. બાકીના ત્રણ સ્તંભને સ્થિર રહેવાની શકિત મિથ્યાત્વ જ અર્પણ કરતું હતું. આથી સિદ્ધ થયું કે પાપની સમસ્ત પ્રકૃતિઓમાં આ મિથ્યાત્વ પ્રકૃતિ જ જબરજસ્ત પાપ પ્રકૃતિ છે કે જે અનંતકાળથી અનંતા સંસારમાં રખડાવે છે. પ્રભુના સિદ્ધાન્ત પ્રમાણે તે મિથ્યાત્વનું લક્ષણ નીચે મુજબ બને છે.
तत्त्वार्थश्रद्धाप्रतिबन्धकं कर्म मिथ्यात्वमोहनीयम् । વાસ્તવિક અર્થોની શ્રદ્ધાને રોકનાર કર્મને મિથ્યાત્વ કર્મ કહેવાય છે અને એ બીજા તમામ પાપ પ્રકારની જડ છે. સ્થાવર આદિ દશ પાપ પ્રકૃતિને મેળવતાં પાપના બત્રીશ ભેદ થાય, તે સ્થાવર દશકનાં લક્ષણો નીચે મુજબ સમજવાં
१ प्रातिकूल्येऽपि स्थानान्तरगमनाभावप्रयोजकं कर्म स्थावरनाम ।
२ सूक्ष्मपृथिव्यादिकायेत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम । यथा सर्वलोकवर्तिनां निगोदादीनाम् ।
. ३ एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छ्रासादिपर्याप्त्यपरिपूर्णताप्रयोजक कर्मापर्याप्तनाम । यथा लब्ध्यपर्याप्तानाम् ।
४ अनन्तजीवानामेकशरीरवत्त्वनिदानं कर्म साधारणनामा । यथा જો !
५ प्रयोगशून्यकाले भ्रजिह्वादीनां कम्पनहेतुः कर्म अस्थिरनाम । ६ नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकं कर्माशुभनाम । ૭ ચા માળ પામુક કર્મ સુમનામ | ८ अमनोहरस्वरवत्ताप्रयोजकं कर्म दुस्स्वरनाम । यथा खरोष्ट्रादीनाम् । ९ उचितवक्तृत्वेऽप्यग्राह्यत्वादिप्रयोजकं कर्म अनादेयनाम ।
१० ज्ञानविज्ञानादियुतत्वेऽपि यशःकीर्त्यभावप्रयोजकं कायशःત્તિનામા.
૧ પ્રતિકૂળ સંજોગોમાં પણ સ્થાનાંતર ન કરી શકવામાં કારણરૂપ કર્મ સ્થાવર કહેવાય. પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિયમાં આ કર્મ રહે છે.
૨ સૂક્ષ્મ પૃથ્વી આદિમાં ઉત્પત્તિનું નિદાન કર્મ સૂક્ષ્મ નામકર્મ કહેવાય છે અને સર્વલોકવત્તિ નિગોદ આદિમાં તે હોય છે.
એકિન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના જીવનમાં પોત પોતાની પર્યાપ્તિને પૂરણ ન થવા દેનાર કર્મ અપર્યાપ્ત નામકર્મ છે અને તેની હયાતિ લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં હોય છે.
૪ અનંત જીવોનું એક શરીર નિર્તક કર્મ સાધારણ કહેવાય છે અને તે મૂળા, ગાજર આદિમાં હોય છે.
પ પ્રગ શૂન્ય કાલમાં ભ્રમર, જીભ વગેરેના કમ્પનનું કારણ કર્મ અસ્થિર નામકર્મ છે. પ્રવિહારીનાં જwાતુ: ચર્મ એવું જે લક્ષણ કરીએ તે ઈરાદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org