SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધસૂરિજી (ગતાંકથી ચાલુ) જગતને અમાપ પરિતાપ પમાડનાર પાપ તત્ત્વના વીસમા ભેદ તરીકે પ્રભુએ નીચ કુલને વર્ણવ્યું છે. આ કુળમાં પેદા થવાથી જીવને અનેક તરેહનાં કષ્ટ અનુભવવાં પડે છે. આ વાતની સાબીતિ ચિત્ર અને સંભૂતના દષ્ટાંતથી આપણને સારી રીતે મળે છે. મહાન ત્યાગમાં ઝુલી રહેલી એવી આ વ્યક્તિઓ પર પણ, નીચા કુળમાં જન્મ આપનાર નીચ ગોત્ર નામને પાપનો ભેદ, કેવો તિરસ્કાર ઉત્પન્ન કરાવે છે, તે વાતને આ દૃષ્ટાંત આબેહુબ ચિતાર આપે છે. એટલા જ માટે આ ભેદનું લક્ષણ પ્રભુસિદ્ધાન્ત પ્રમાણે નીચે મુજબ કરી શકાય नीचकुलजन्मनिदानं तिरस्कारोत्पादकं कर्म नीचैर्गोत्रम् । નીચ કુળમાં જન્મના કારણરૂપ અને તિરસ્કાર પેદા કરનાર કર્મ નીચ ગોત્ર તરીકે કહેવાય છે. જે તિરરાવ કર્મ નિત્રમ્ એમ કહીએ તે દુર્ભાગ્ય અયશકીર્તિ આદિમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે નીરસ્ટાનિકાનમ એ વિશેષણ આપવામાં આવ્યું છે, અને જે કેવલ વિશેષણ જ મૂકીએ તે ગત્યાદિ કર્મમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય માટે વિશેષણ પદ મૂકયું છે. એકવીસમો ભેદ અસાતા વેદનીય છે. दुःखविशेषोपलब्धिकारणं कर्म असातावेदनीयम् । દુઃખ વિશેષની પ્રાપ્તિનું કારણ કર્મ અસાતા વેદનીય કહેવાય છે. ઉપરના લક્ષણમાં કેવલ ટુ શબ્દ ન મૂકતાં વિશેષ શબ્દની સાથે મૂકે છે, તેનો હેતુ એ છે કે દુઃખ તે દુર્ભાગ્ય, અયશકીર્તિ નીર્ગોત્ર આદિ નામ કર્મો પણ આપે છે. એથી તે તે પાપ ભેદમાં અતિવ્યાપ્તિ ન જાય માટે સુવિાષ શબ્દ મૂક્યું છે. આથી એ અર્થ નીકળે છે કે ઉદર, શીર્ષ આદિના ફૂલ, ભગંદર કાસ, શ્વાસ, જવરાદિથી થતાં વિશેષ દુઃખો લેવાં કે જેથી અસાતા વેદનીયનું લક્ષણ બીજા પાપ તત્ત્વમાં જઈ ન શકે. બાવીશમે ભેદ મિથ્યાત્વ મોહનીય છે. જે આ ભેદને નાશ થાય તે અનંતાપુદ્ગલ-પરાવર્તનાત્મક સંસાર કપાઈ જાય. વધારેમાં વધારે અર્ધપુલ પરાવર્તન જ બાકી રહે. કહે શું બાકી રહ્યું ? અનંત સંસારને અન્ન આવ્યું, અને અનન્ત મુકિતસુખ નકટ આવી વસ્યું. સંસારરૂપ અનાદિના આ મજબૂત મહાલયની સ્થાયી સ્થિતિ મિથ્યાત્વરૂપ સ્તંભના આધારે છે. જો કે આ સંસારરૂપ પ્રાસાદ મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ એ ચાર સ્તંભોથી સ્થિર મનાય છે. | EA For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy