SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ--વિશેષાંક વિર્ષ ૪ સાબિત થાય છે કે “ આ ગુફા અર્વતની કૃપાથી ઉશના રાજાની મુખ્ય પટ્ટરાણીએ બનાવેલ ? હાથી ગુફાના અતિહાસિક લેખ પરથી આપણને ઘણું જાણવા મળી શકે તેમ છે. મૌર્ય રાજ્યના પતન પછી કલિંગ દેશે વિરોધ જાહેર કરેલ તેમાં એક સ્વતંત્ર રાજ્ય સ્થપાઈ ગયેલ, જેને સમય લેખ પરથી ઇ. સ. પૂર્વ ૧પ૮થી ૧પ૩ ને જણાઈ આવે છે. શિલાલેખમાં ચેદીશના મહારાજા ખારવેલનું રાજકીય જીવનવૃત્તાંત બતાવેલ છે. આ રાજ્યકર્તાના સમયમાં જનધર્મ પૂર્ણ જાહોજલાલીએ હતું. તેમણે સકળ હિંદના વિદ્વાન જૈન યતિઓ, શ્રમશે, ભિખુઓ અને તપસ્વીઓને આમંત્રણ કરી જન આગમે (સાહિત્ય)નું લખાણ કરાવેલ જે તેમના શિલાલેખ પરથી સ્પષ્ટ જાણવામાં આવી શકે છે. ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દોને એક શિલાલેખ ખંડગિરિ પર્વત પરની “વ્યાઘગુફા” માં કુતરાએલ છે, તેમાં જણાવેલ છે કે આ ગુફા “ નગરનારજભૂતિ ” એ બનાવેલ છે. ઈ. સ. પૂર્વે અને તે પછીના સમયમાં આ સરાક જાતિના પૂર્વજે તે સમયના રાજ્યકર્તાઓના સમયમાં લશ્કરી ખાતામાં તેમજ નૈકા ખાતામાં યુવીર અને સેનાપતિ તરીકે કામ કરતા, જેમની ઓળખ વર્તમાનમાં તેમનાં નામે સાથે તેમના પૂર્વજોએ કરેલ રાજદારી કામની ઉપાધિ “સેને પતિ ”સેનાપતિ નામથી ઓળખવામાં આવે છે. આમાંની કેટલીક પ્રજા સિંધપારની વતની હતી, જેમાં વર્તમાનમાં “સિંધુ પારિ” તરિકે ઓળખાય છે. ઈ. સ. પૂર્વે ૭૫ માં કલિંગથી નીકળે એક લશ્કરી સૈન્ય જાવા સર કર્યું. (એસાઇકલે પીડીઆ ઍફ ઇન્ડીયા. પુ. ૨, સ. ૧૮૮૫) - ઈ. સ. બીજી શતાબ્દીમાં આ પ્રદેશ પર અંબ્રિોનું રાજ્ય શાસન ચાલતું, જેઓ ધર્મને માનનારા હતા. તે સમયમાં મહાયાન પંથના બાદ્ધ ભિખુઓના ઘણા ઉપદેશકોએ ઓરિસ્સાની કેટલીક પ્રજાને બોદ્ધધર્મમાં લીધેલ. . સ. ત્રીજી શતાબ્દીમાં આધ્ર રાજકર્તાઓને ભગાડી કલિંગ (ઓરિસ્સા) પર પ્રાચીન ગંગવંશવાળાઓએ રાજ્ય સ્થાપિત કર્યું, જે માદસોરના પ્રાચીન ગંગવંશના કુટુંબી તેમજ જનધર્મને માનનારા હતા. ઇ. સ. ૬૪૦માં પ્રખ્યાત ચીનાઈ યાત્રી હુએનસાગ જ્યારે હિંદના પ્રવાસે આવેલ તે સમયે આ કલિગ દેશની નેંધ તેમના યાત્રા વિવરણમાં નીચે મુજબ લીધેલ છેઃ અહીંના લોકો લાંબા અને રંગે કાળાશ પર છે. સાહસિક તેમ ઓછા કપટી છે સભ્યતાની બુદ્ધિ રાખે છે. આ બ્રહો નથી. દેવમંદિર સે છે. નિગ્રંથ ધર્મને માનનારાની સંખ્યા દશ હજારથી અધિક છે.” નેટ-આ નેધ કલિંગની રાજ્યપાની કંચણપુર હતું તેની લીધેલ જણાઈ આવે છે. ઈ. સ. આઠમા સૈકાની મધ્યમાં રાષ્ટ્રકૂટના રાજા દંતીદુર્ગે કલિંગ દેશ જીતી લીધેલ. . સ. નવમા સિકાની શરૂઆતમાં જૈન ધર્મના પોષક પ્રખ્યાત મહારાજા અકાલવર્ષે આ પ્રદેશ જીતી લીધેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy