SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] શ્રી જન સત્ય પ્રકાશ E વધે, તેમજ સામાન્ય પ્રકારે જે હેઓ આપણે જોયા તે સંબંધમાં પણ વિશેષ ચર્ચાત્મક જાણવાનું મળે તે એ હેતુઓની વાસ્તવિકતા આપણામાં દઢ રીતે ઠસી જાય. આપણે તે પરત્વે કાંઈક વિચાર કરીએ. અરિહંત ભગવાન મેક્ષના હેતુ હોવાથી પૂજ્ય છે એમ કહેવાયું છે. પરંતુ મેક્ષના હેતુ તે સમ્યગદર્શનાદિ છે, એ હોય તે મેક્ષને સદ્દભાવ છે, અને એના અભાવે તેને અભાવ છે. અરિહંત ભગવાન તે સમ્યગદર્શનાદિ માર્ગને ઉપદેશ આપે છે તે એમને મેક્ષના હેતુ શા માટે માન્યા ? આના ઉત્તરમાં જણાવવાનું કે સમ્યગુદર્શનાદિ માર્ગ જ મેક્ષને હેતુ છે એ વાત તે સત્ય છે, પરંતુ તે માર્ગના ઉપદેશકપણથી તે ભાગે તેમના આધીન હોવાથી તેઓ તેના હેતુ કહી શકાય. અથવા બીજી રીતે પણ સમાધાન થઈ શકે તેમ છે. કારણમાં કાર્યને ઉપચાર થઈ શકે છે. એટલે કે કારણમાં કાર્યનું આરોપણ થઈ શકે છે. જેમકે કૃતિ માગુઃ ધૃત-ઘી એ કાંઈ આયુષ્ય નથી, પણ આયુષ્યનું કારણ છે. છતાં કારણમાં કાર્યને ઉપચાર કરીને ધૃતને જ આવું કહેવામાં આવે છે. તે પ્રમાણે મોક્ષનું હેતુપણું સમ્યગુદર્શનાદિ માર્ગમાં રહેલું છે, અને સમ્યદર્શનાદિ માર્ગ બતાવનાર અરિહંત ભગવાન હોવાથી અરિહંત ભગવાન સમ્યગદર્શનાદિ માર્ગરૂપ કાર્યના કારણ છે. એ કારણમાં મર્યને ઉપચાર કરીએ તે એ કારણને મોક્ષનો હેતુ કહી શકાય. વળી લોકવ્યવહારમાં પણ આપણે અનુભવીએ છીએ કે કારણનું કારણ હોય તે પણ ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે પ્રથમ કારણની પેઠે જ ઉપાદેય છે. તેથી પણ અરિહંત ભગવાન પૂજ્ય ગણવવા જોઈએ. એક બીજી શંકા પણ આ પ્રસંગે ઉઠાવવામાં આવે તે એ છે કે માર્ગના ઉપદેશકપણથી અરિહંત ઉપકારી હોય, અને ઉપકારી હોવાથી મોક્ષના હેતુ કહેવાય તે મોક્ષમાર્ગના સાધનભૂત વસ્ત્ર, પાત્ર, આહાર, શ, આસન આદિના દાનથી ગૃહસ્થ પણ માર્ગના ઉપકારી ગણાવવા જોઈએ અને તેથી પરંપરાએ સર્વે પૂજ્ય ગણવવું જોઈએ. આ શંકા અસ્થાને છે, કારણ કે પરંપરાથી ત્રણે જગત ભલે માર્ગોપકારી ગણાય, પરંતુ જ્ઞાનાદિ ત્રય (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) વધારે પ્રયાસન્ન-નજદીકનું કારણ છે, તેમજ એકાન્તિક કારણ પણ છે, તેથી એ જ્ઞાનાદિ ત્રય મોક્ષમાર્ગ છે, અને તે માર્ગને ઉપદેશ આપનાર અરિહંત ભગવાનને મોક્ષમાર્ગના ઉપકારી ગણવામાં આવે છે, અને ગૃહસ્થને તેવા ગણવામાં આવતા નથી. તેમજ વસ્ત્ર, આહાર, શય્યા, આસન આદિ સાધનોને પણ ગણવામાં આવતા નથી. વળી વિશેષ એ પણ સમજી લેવાનું છે કે અરિહંત ભગવાનના દર્શન માત્રથી જ ભવ્ય જીને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી પણ તેમને મોક્ષમાર્ગ સંબોધી શકાય. આમ બે રીતે એક તે જ્ઞાનાદિ માર્ગને દાતપણુથી, અને બીજી પોતે જ મોક્ષમાર્ગ ભૂત હેવાથી–અરિહંત જ પૂજ્ય છે, પરંતુ ગૃહસ્થાદિ પૂજ્ય હેઈ શકે જ નહિ. અરિહંત ભગવાનના સંબંધમાં હાલ આટલી વિચારણા કરી. હવે સિદ્ધ ભગવાન ૧ જુઓ વિ. આ. ગા. ૨૯૪૫-૧૯૪૬. Jain Education P લિ આ, ગા. ૧૯ - ૮૦ .rivate & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy