SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ શ્રુતસ્કંધ વગેરે, ત્યારે આ પવિત્ર નમસ્કાર મંત્રને પંચમંગલ મહાશ્રુતર ધ કહેવામાં આવે છે. એટલું જ નહિ પણ તેને સર્વ શ્રુતસ્કંધમાં વ્યાપક ગણવામાં આવેલા છે. નમસ્કાર મંત્રના કેટલા અચિંત્ય પ્રભાવ છે તેના આપણને ખ્યાલ આવે તેટલા માટે એ સૂત્રમાં જ સ્પષ્ટપણે જગાવી દીધું છે કે આ પંચ નમસ્કાર સર્વ પાપોના પ્રકૃષ્ટપણે તે સવમાં આ નમસ્કાર મંત્રનું સ્થાન નાશ કરનાર છે, અને જગતમાં જે મમલે પહેલું છે-મુખ્ય છે. જે વસ્તુમાં આપણાં સર્વ પાપાને પ્રચૂરપણે નાશ કરવાનું સામર્થ્ય હાય તે વસ્તુથી આપણને ઐહિક ઇચ્છિત વસ્તુ મળે એ તે સહેજે સમજાય તેમ છે. ડાંગરનો પાક જે વડે પેદા કરી શકાય તેવું હોય તે વડે ઘાસ તા આપેાઆપ મળી જાય એમાં તે વિચાવાનું જ શું? જે નમસ્કાર મંત્રના સ્મરણથી સર્વ પાપે નાશ થઈ છેવટે મેાક્ષની પ્રપ્તિ થઇ શકે તેમ છે તે નમસ્કાર મંત્રના પ્રભાવથી ઐહિક ઈચ્છાઓ પૂર્ણ થાય અને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય શું ? પરંતુ એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ શુભ ક્રિયા સમજીને તેમાં અંતરંગ શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી ઉપયોગ અને વિધિ સહિત કરવામાં આવે તે જ તે શ્રેષ્ઠ ળ આપનારી થાય છે. શ્રદ્ધા હોય પણ તે સમજપૂર્વકની ન હોય, અથવા તે હોવા છતાં પણ ક્રિયા કરતી વખતે તેમાં યથાર્થ ઉપયોગ ન હોય, અથવા તે તે વિધિસહિત કરાતી ન હાય, તેને માટે જે આદર અને બહુમાન રાખવું જોઇએ તે રાખવામાં આવતું ન હોય, ક્રિયા કરતી વખતે શૂન્યચિત્ત હાય તો તે ક્રિયા જો કે તદ્દન નિષ્ફળ જતી નથી, છતાં પણ તે યથા રીતિએ કરવામાં આવે અને આપણે જેવું ફળ મેળવવા ભાગ્યશાળી થઇએ, તેવું ફળ આપનાર તેા થઈ શકતી નથી જ. તેથી આપણે માટે ખાસ જરૂરનું છે કે આપણે નમસ્કારમંત્રનું પઠન જાપ કે ધ્યાન કરીએ તે વખતે, પાંચે પરમેષ્ટિ ભગવાન પ્રત્યે સંપૂર્ણ આદર્ અને બહુમાન રાખી, સ પાપને નાશ કરનાર પરમેષ્ઠિમંત્રના જાપ કરવાનો, તેનું સ્મરણ કરવાના, તેનું ઉચ્ચારણ કરવાના આપણને પ્રસંગ પ્રાપ્ત થયા તે માટે હૃદયમાં ખરેખરા આલ્હાદ લાવી અને અહાભાગ્ય સમજી તીવ્ર ઉપયોગ સહિત આપણે આપણું કાર્ય કરવું. પણ આ પ્રમાણે થાય કયારે ? આ મહત્ત્વના પ્રશ્ન છે. એ પ્રશ્નનો વિચાર કરતાં આપણુને સમજાય છે કે જો નમસ્કારમંત્રના દરેક શબ્દની અને દરેક પદની વ્યાખ્યા આપણી સમાજમાં સારી રીતે આવે અને એ નમસ્કાર મંત્રના પાઠથી જેઓને આગળ અહિક અને આમુષ્મિક લાભ મળ્યે હોય તેવાં દૃષ્ટાંત આપણી સમક્ષ ખડાં હોય, તો આપણી શ્રદ્ધા પરિપકવ થાય, અને આપણા ઉપયોગ સતેજ રહે, તેમજ આપણા આદર અને બહુમાન પણ અત્યંત વૃદ્ધિ પામે. આથી એ તરફ્ આપણું લક્ષ દોડાવીએ. આ નમસ્કારસૂત્રમાં આપણે ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાય, ૪ ઉપાધ્યાય અને ૫ સાધુ-એ પાંચને નમસ્કાર કરીએ છીએ, આપણે સર્વ ઈચ્છીએ છીએ કે આપણા આત્મા જે અનાદિ કાળથી આઠ પ્રકારનાં કર્માંના કાંસામાં ફસાઈ જઈ પેાતાનું અનન્તજ્ઞાન દર્શન ચારિત્ર વીય વગેરે ધન ખાઇ બેઠેલા છે તે તે ફ્રાંસામાંથી છુટે અને પેાતાનું ખરૂં સ્વરૂપ પ્રગટ કરવા સમર્થ થાય. આપણે ચ્છિીએ છીએ કે આપણું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy