SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીનમસ્કાર મહામંત્ર-માહાભ્ય લેખક--શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી બી. એ, એલએલ. બી. રિટાયર્ડ મે. કો. જજ જમલ્હાર મંત્ર જેને આપણે નવકારના નામથી જાણીએ છીએ તે સૂત્ર જે સમાજમાં એટલું બધું પ્રસિદ્ધિ પામેલું છે કે એ નામથી કોઈ પણ જૈન ભાગ્યે જ અજ્ઞાત હેય. નવકારને ગણનાર અને જૈન એ બે શબ્દ જાણે એકાર્યવાચી હોય તેવા ભાસે છે. માત્ર વ્યવહારથી જ આમ દેખાય છે એમ નહિ, પરંતુ વસ્તુતઃ પણ આપણે ઊંડા ઉતરીને વિચાર કરીએ તે આપણી ખાત્રી થાય છે કે નવકારને ગણનાર અને જૈન એ જુદા હોઈ શકે જ નહિ. સામાન્ય રીતે અર્થ તપાસીએ તે જૈન શબ્દને અર્થ જિનેશ્વર ભગવાનના અનુયાયી એમ માલુમ પડે છે. અને નવકારને ગણનાર સૌથી પ્રથમ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરે છે, અને પછી આઠે કર્મને ક્ષય થયા પછી સિદ્ધને નામે ઓળખાતે તેમને અથવા સામાન્ય કેવલીને જે વિશિષ્ટ પર્યાય તેને નમસ્કાર કરે છે. અને ત્યારબાદ એ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંત પ્રમાણે પિતાને આચાર રાખનાર અને તે સિદ્ધાંતને અન્ય જીવોને ઉપદેશ કરનાર તથા શિષ્ય ગણને અધ્યયન કરાવનાર અને મોક્ષાભિલાષી છને મેક્ષ માર્ગમાં સહાય કરનાર સૂરિ ભગવંતે, ઉપાધ્યાય ભગવંતે અને મુનિ મહારાજાઓને નમસ્કાર કરે છે. આમ હોવાથી નમસ્કારને ગણનાર અને જન એ બન્ને વસ્તુતઃ એક જ હોવા જોઈએ એમ આપણે વિના સંકોચે નિર્ણય કરી શકીએ છીએ. આપણી અનેક પ્રકારની ધાર્મિક ક્રિયામાં નમસ્કાર મંત્ર સિવાય આપણે એક પગલું પણ ભરી શકીએ તેમ નથી. આપણે પ્રાતઃકાલે નિદ્રામાંથી જાગીએ ત્યારથી માંડીને રાત્રે નિદ્રાવશ થઈએ ત્યાં સુધીમાં આપણે જે જે ક્રિયાઓ કરવાની હોય છે તે બધામાં નમસ્કાર મંત્ર વિના ચાલી શકતું નથી. બીજા સૂવે ન આવડે છે તે અન્ય ભાઈ બેલે તે આપણે સાંભળીને આપણું ક્રિયાઓ કરીએ, પરંતુ નવકાર મંત્ર તે અવશ્ય આપણે જાણવો જ જોઈએ. કાઉસ્સગ્ન કરવાનું હોય ત્યારે જે સૂત્ર વગેરે તેમાં ચિંતવવાનાં હેય તે ન આવડે છે તે બદલ અમુક સંખ્યામાં નમસ્કાર મંત્ર ગણવા એમ જણાવવામાં આવે છે, અને તેમ કરાય છે. પણ નમસ્કાર મંત્ર ન આવડે તે ગાડું જરા પણ આગળ ચાલે નહિ. નમસ્કાર મંત્રને પ્રભાવ અસાધારણ માનવામાં આવે છે, અને તેથી જ કોઈ પણ આત્મોન્નતિનું શુભ કાર્ય કરવાનું હોય ત્યારે કે સંસાર વ્યવહારનું કાર્ય શરૂ કરવાનું હોય ત્યારે તેમજ જન્મ તથા મરણના પ્રસંગે વખતે નવકાર મંત્રનું સ્મરણ કરવાની પ્રથા આપણે રાખેલી છે. નમસ્કાર મંત્રને ચુદ પૂર્વ સાર કહેલો છે, એટલું જ નહિ પણ જુદાં જુદાં અંગપ્રવિષ્ટ સને શ્રુતસ્કંધ કહેવામાં આવે છે-જેમકે આચારંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy