SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ – સમ્યકત્વ એટલે શું રાગદ્વેષને છતી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી કાલેકના ભાવને જોનારા, ચોત્રીશ અતિશયથી યુક્ત, ઇન્દ્રાદિ દેવતાઓથી લેવાયેલા જે હોય તે જિનેશ્વરને દેવ તરીકે માનવા; વીતરાગની આજ્ઞાનું પાલન કરનારા, સંસાર થકી પિતાના આત્માને મુક્ત કરવાની ઇચ્છાવાલા જે મુમુક્ષુ (સાધુઓ) તેમને જ ગુરૂ તરીકે માનવા અને સંસારરૂપ મહાસાગરમાં ડુબતા જીવોને બચાવવામાં વહાણ સમાન જે જિનેશ્વરેએ પ્રરૂપેલો ધર્મ તેને જ ધર્મ તરીકે સ્વીકાર કરવો–આવા પ્રકારની જે નિર્મલ શ્રદ્ધા તેને જ સમ્યકત્વ કહેવાય. ભગવાન પાર્શ્વનાથન સમ્યકત્વની પ્રાપ્તિથી દશભવ શાસ્ત્રકારો તીર્થકર દેવોનાં ભવની ગણના સમ્યકત્વ રત્નની પ્રાપ્તિથી કરે છે. ભગવાન પાર્શ્વનાથ પણ ભરૂભૂતિના ભવમાં સમ્યકત્વ પામ્યા અને તેથી જ તેમના દશ ભ ગણાય છે. તે દશ ભાવનો ક્રમ આ પ્રમાણે છે – પહેલા ભવમાં પુરોહિતનાં પુત્ર મરૂભૂતિ, બીજા ભવમાં હાથી, ત્રીજા ભવમાં સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવ, ચોથા ભવમાં વિદ્યાધરના પુત્ર કિરણગ, પાંચમા ભવમાં અશ્રુત નામના બારમા દેવલોકમાં દેવ, છઠ્ઠા ભાવમાં વજીવીય રાજાના પુત્ર વજનાભ, સાતમા ભવમાં મધ્યમ પ્રવેયકમાં લલિતાંગદેવ, આઠમા ભાવમાં જંબુકીપના પૂર્વ મહા વિદેહમાં સુવર્ણબાહુ નામે ચક્રવતિ થયા, અને ત્યાં ચારિત્ર લઈ વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાચિત કર્યું, નવમાં ભવમાં પ્રાણી નામના દશમાં દેવ લોકમાં દેવ થયા અને દશમા ભવમા અલકાપુરી સમાન વાણુરશી (બનારસ) નગરીમાં વિશ્વવિખ્યાત અશ્વસેન રાજાની શીલ રૂ૫ અલંકારોથી સુશોભિત વામાદેવી નામની પટ્ટરાણીના પાર્શ્વ નામે પુત્ર થયા. ભગવાન પાર્શ્વનાથનાં પાંચ કલ્યાણક (૧) ચ્યવન કલ્યાણક-વિશાખા નક્ષત્રમાં ચિત્ર વદી ૪ ગુજરાતી ગણતરી મુજબ ફાગણ વદી ૪. (૨) જન્મ કલ્યાણક-વિશાખા નક્ષત્રમાં પિષ વદ ૧૦, ગુજરાતી માગશર વદ ૧૦. (૩) દીક્ષા કલ્યાણક-વિશાખા નક્ષત્રમાં પિષ વદી ૧૧, ગુજરાતી માગશર વદી ૧૧. (૪) કેવલજ્ઞાન કલ્યાણક–વિશાખા નક્ષત્રમાં ચૈત્ર વદી ૪, ગુજરાતી ફાગણ વદી ૪. (૫) નિર્વાણ કલ્યાણક–વિશાખા નક્ષત્રમાં શ્રાવણ સુદી ૮. કર્મોની નિર્જરા માટે પર્વોની જના જ્ઞાની ભગવતેએ કર્મની નિર્જનાં ચાર કારણ કહ્યાં છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ. આ પ્રમાણે પર્વોને સમાવેશ ત્રીજા-કાલ નામના-ભેદમાં થયો. અહિં. સાના સિદ્ધાંતોથી ઓતપ્રેત બનેલા અને “સવિ જીવ કરૂં શાસન રસિક' એવી સુંદર ભાવનાથી પ્રેરાયેલા જ્ઞાની પુરૂષોએ મહામંગલકારી લોકોત્તર એની યોજના, સંસાર રૂપ દાવાનળથી દગ્ધ બનેલા, આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી પીડા પામેલા, જિમ જરા અને મૃત્યુથી ભય પામેલા ભવ્ય જીવોના કલ્યાણ માટે પૂર્વ કા નથી કરી છે.. www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy