________________
અંક ૧-૨ ]
જૈન તીર્થો
[ ૨૫ ]
નાગદા
અહી મૌર્ય સમ્રાટ સમિતિએ મન્દિર બનાવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી, લગભગ વીરનિર્વાણની દસમી સદીમાં તેને હડપ કરવા માટે પ્રયત્ન આદર્યો, પરંતુ
માણુ કુલમાં જન્મેલ રાજવંશી આચાર્ય સમુદ્રસૂરએ દિગને છતી એ તીર્થનું રક્ષણ કર્યું હતું.
પૂ૦ આ૦ મુનિસુંદરસૂરિએ સ્વતંત્ર સ્તોત્રધારા નાગહદ પાર્શ્વનાથનો સ્તુતિ કરેલ છે.
માંડવગઢના મંત્રી પેથડકુમારે અહીં તેમનાથ ભગવાનનું અને નવલખા ગોત્રીય સારંગશાહે સં૦ ૧૪૯૪ મ. શુ. ૧૧ દિને શ્રી શાન્તિનાથજીનું મંદિર બનાવેલ છે. જે પૈકીનું શાન્તિનાથનું મંદિર આજે વિદ્યમાન છે. જેના મૂળ નાયક સ્થાને શ્રી શાન્તિનાથજીની ૮ ફુટ ઊંચી પશાસનવાળી અભુત પ્રતિમા બિરાજમાન છે જેનું બીજું નામ અદબદઇ છે.
આ સ્થાન આજે પણ પ્રાચીન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે અને તેની મેવાડના પચ તીથમાં- કેસરિયાજી, કરેડા, અદબદઇ, દેલવાડા તથા દયાલશાહને કિલ્લે, એ રીતે ગણના થાય છે.
(પાવલી સમુચ્ચય, જન સત્ય પ્રકાશ વ૦ ૧, પૃ. ૩૫) આણંદપુર
અહીં ભમવાન રાષભદેવસ્વામીનું પ્રાચીન મંદિર હતું. તથા વીરનિ. સં૦ ૯૯૩માં અહીં શ્રી ચતુવિધ સંઘની વચ્ચે કલ્પસૂત્રના વ્યાખ્યાનને પ્રારંભ થયે છે. અત્યારે પણ આ તીર્થ “વડનગર ”ના નામથી પ્રાંસદ્ધ છેમહેસાણેથી તારંગા તીર્થ જતાં યાત્રિકો અહીંની પણ યાત્રા કરે છે. પ્રાંતે
ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછીના ૧૦૦૦ વર્ષમાં ઉપર પ્રમાણે જૈન તીર્થો સ્થપાયાં છે. આ પુનીત ભૂમિએ ભવ્ય જનો આભાને પવિત્ર કરી તારે એ ભાવના પૂર્વક આ લેખ સમાપ્ત કરું છું.
તીર્થયાત્રાનું ફળ आरम्भाणां निवृत्तिविणसफलता संघवात्सल्यमुश्चनैर्मल्यं दर्शनस्य प्रणयिजनहित जीर्णचैत्यादिकृत्यम् । तीर्थोन्नत्यं च सम्यग् जिनवचनकृतिस्तीर्थसत्कर्मकत्वं, सिद्धरासन्नभावः सुरनरपदवी तीर्थयात्रा फलानि ॥१॥
--૩રાતfort તીર્થયાત્રા કરવાથી અનેક પ્રકારના આરત્યેની નિવૃત્તિ, ધનની સફળતા, સંધન વાત્સલ્ય (ભક્તિ), સમકિતની નિર્મળતા, પ્રેમી લોકોનું હિત છણે ચિત્યને ઉદ્ધાર વગેરે કાર્ય થાય છે, તીર્થનો ઉન્નતિ થાય છે, સમ્યફ પ્રકારે જિનેશ્વરના વચનનું પાલત થાય છે, તીર્થંકર નામ કર્મ બંધ થાય છે, મેક્ષ સમીપે આવે છે, તથા દેવ અને મનુષ્યનું પદ એટલે ઉચ્ચ જન્મ પ્રાપ્ત થાય છે; આ સર્વ તીર્થયાત્રાનું ફળ છે.
(સુભાષિત પદ્ય રત્નાકર, ભાગ ૨)
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International