SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૪ ] શ્રી અવંતિસુકમલ [૨૭૧ ]. પછી “આવું મેં કયાંક અનુભવ્યું છે,' એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એ જ્ઞાનના પ્રતાપે તેને દેખાયું કે હું નલિની ગુલ્મ' નામના વિમાનમાં પૂર્વભવે દેવપણે હતે. અને એ દેવપણું માછીમારના ભવમાં દયાનું પાલન કરવાથી પામી શકયો હતો. વાચકવર્ગને જિજ્ઞાસા થશે કે માછીમાર છતાં દયાનું પાલન કેવી રીતે કર્યું, તે તે બીના ઉપદેશતરંગિણીના આધારે આ પ્રમાણે જાણવીઃ બહુ છે, તેથી મારી નીકળ્યો. ગામ એનાયોની શ્રીપુર નામના નગરમાં એક માછીમાર રહેતા હતા. તે એકદા પિતાની કર ભાર્યાની પ્રેરણાથી રાત્રિના ચેથા પહોરે જાલ લઈને માછલાં પકડવા નીકળ્યો. ગામ બહાર નીક વ્યા પછી તેને જણાયું કે હજી રાત્રિ બહુ છે. તેથી માર્ગમાં એક આંબાના વૃક્ષ નીચે આવીને બેઠે. એ વૃક્ષ નીચે મુનિએ પણ રાત્રિ રહ્યા હતા. જ્ઞાની મુનિઓએ વિચાર્યું કે આ માછીમાર માછલાં પકડવા જાય છે. આપણી ફરજ છે કે તેને અહિંસામય બનાવ. આવી સુંદર ભાવનાએ ઉપદેશ આપ્યો અને તેથી માછીમારે નલમાં આવેલ પહેલા માછલાને છોડી મૂકવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી સમુદ્ર કિનારે જઈ જાલ નાંખી અને જાલમાં આવેલ પહેલા માછલાને નિશાની કરી છોડી મૂકવું. હવે કોઈ દેવને તેની પ્રતિજ્ઞાની પરીક્ષા કરવાનું મન થયું અને તેથી માછીમારની જાળમાં ફરી ફરી તે જ માછલું આવવા લાગ્યું. આવી ઘટનાથી માછીમાર કંટાળીને ખાલી હાથે ઘેર આવ્યા. માછલાં નહિ જોવાથી તેની પત્નીએ કંકાસ કરી તેને ઘરમાંથી કાઢી મૂકો. પત્નીથી તીરસ્કાર પામેલે માછીમાર ફરીથી તે જ સાધુઓ પાસે ગયે અને ધર્મનું રહસ્ય પૂછયું. સાધુઓએ ધર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવતાં માછીમારે દયામૂળ ધર્મ અંગીકાર કરી ઉત્તમ રીતે તેની આરાધના કરી. અને શુભ ભાવમાં મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયું. ત્યાંથી ચ્યવી ભદ્રા શેઠાણીને પુત્ર અવંતિસુકમાલ થયે ૧ નલિની ગુલમ વિમાન કયા દેવલેકમાં છે એ માટે શાસ્ત્રોમાં ત્રણ વિચારો જોવામાં આવે છે: ઉતરાધ્યયન સત્રમાં પહેલું દેવલોક, સમવાય સૂત્રમાં નવમું લેક અને વસુદેવહિડિમાં બારમું દેવલોક કહ્યુ છે અને તે સૂત્રોના પાઠ નીચે પ્રમાણે જાણવા सौधर्म नलिनीगुल्मविमानेऽसौ सुरोजनि प्रयुक्तावधिरज्ञासीच्छिष्यानागाढयोगिन : ॥ (उत्तराध्ययन ) आणए कप्पे देवाणं अत्थेगइयाणं जहण्णेणं अठारस सागारोवमाइ ठिा प०, जे देवा कालं सुकालं महाकालं अंजणं रिट्ठ साल समाण दुम महामं विशाल सुसालं पउमं पउमगुम्म कुमुदं कुमुदगुम्म नलिणं नलिनगुम्म पुडरीयं पुंडरीयगुम्मं सहस्सारवडिंसर्ग विमाण देवत्ताए उवषण्णा तेसि ण देवाण अट्ठारस सागरोवमाइ ठिइ प०। (समवायंग) रयणमाला वि देवी संगहियवय-सील-रयणमाला कालगया अच्चुए चेवं कप्पे नलिणिगुम्मे विमाणे उक्कोसद्वितीओ देवो जातो (वसुदेवहिडि) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy