SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ અ'ક ૪ ] શ્રી જૈનશાસનમાં પ્રમાણુનું સ્થાન [૨૯] ભરેલા છે તેઓનાં વચનની તેલ આવી શકે તેમ નથી. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં ઐતિહાસિક પ્રમાણને એક સર્વોપરિ પ્રમાણુ તરીકે સ્થાપન કરવા પ્રયાસ કરો અને આગમ પ્રમાણને તેની દયા ઉપર જ જીવવાનો અધિકાર છે એવી જાતને પ્રચાર કરે એ કોઈ પણ રીતિએ ન્યાપ્ય નથી. આજે એક એવો વર્ગ ઉભો છે કે જે આગમ પ્રમાણુને ગૌણ બનાવવા અને ઐતિહાસિક કમાણને જ એક સર્વ શ્રેષ્ઠ પ્રમાણુ તરીકે રથાપન કરવા તનતોડ પ્રયાસ કરે છે. તે કેટલા અંશે વ્યાજબી છે તે અહીં જોવાનું છે. ચાર્વાક જેમ પ્રત્યક્ષને વિરોધ ન આવે તેવા આગમ પ્રમાણને માનવા તૈયાર છે તેમ કહેવાતા એતિહાસિક પ્રમાણુવાદીઓ પણ પિતે માનેલા ઇતિહાસને બાધ ન આવે તેટલા આગમ પ્રમાણને માનવા તૈયાર છે. ચાર્વાક જેમ પ્રત્યક્ષસિદ્ધ એવી વાતે પણ પિતાની બેગ લાલસાની તૃપ્તિમાં આડી આવતી હોય તે માનવા ના પાડે છે તેમ આજના ઐતિહાસિક પ્રમાણને પ્રમાણુ ભૂત કરનારાઓ પણ ઈતિહાસિથી સિદ્ધ થનારી વસ્તુઓ પિતાની ભેગલાલસા ઉપર કાપ મૂકનારી હોય તે તેને જૂના જમાનાની કહીને હસી કાઢવા તૈયાર છે. એ દષ્ટિએ ચાર્વાક કરતાં આજના ઐતિહાસિક પ્રમાણુવાદીઓમાં કાંઈ વિશેષતા નથી-કિન્તુ એક દષ્ટિએ ચાર્વાકે કરતાં પણ તેઓ બુદ્ધિમાં ઉતરતી પંક્તિના છે એમ કહેવામાં હરકત નથી. ભૂતકાળમાં થઈ ગયેલ ઇતિહાસકારે બધા સર્વજ્ઞ હતા કે કોઈ પણ પ્રકારના સ્વાર્થથી રહિત હતા એમ નથી તેથી તેઆની વાત ઉપર વિશ્વાસ રાખવાની ચાર્વાક ને પાડે છે, જ્યારે આજના ભણેલા ગણાતા પણ ઈતિહાસવાદીઓ ભૂતકાળમાં થયેલા ઇતિહાસકારોની બ્રાન્તિઓને ગળી જઈ તેઓને દેવવચનની માફક માનવા અને પૂજવા લલચાય છે. અને એના જ પરિણામે જમીનનાં ખોદકામોમાંથી નિકળતા પદાર્થો અને શિલાલેખ ઉપરથી ઘડી કાઢવામાં આવતાં અનિશ્ચિત અનુમાનોને આપ્ત વચને કરતાં પણ અધિક આદર આપવા તૈયાર થાય છે. ઐહિક સ્વાથ આથી કોઈ એ એમ માની લેવાની આવશ્યકતા નથી કે જૂની વસ્તુના ખોદકામો અને શિલાલેખ ઉપરથી કરાતાં અનુમાને એ સર્વથા અસત્ય જ હોય છે. એ અનુમાને સર્વથા ખેટાં નથી એ વાત માન્યા પછી પણ એ વાત કહ્યા વિના ચાલે તેમ નથી જ કે તેના ઉપર આગમ યાને આપ્ત વચનથી પણ અધિક અથવા તુલ્ય શ્રદ્ધા ધારણું કરવી એ કોઈ પણ રીતિએ ગ્ય નથી. આપ્ત વચનથી અવિરૂદ્ધપણે જે કોઈ અનુમાન જૂની શોધખોળ દ્વારા નક્કી થઈ શકતાં હોય તે સર્વ સત્ય છે એમ માનવામાં કોઈ પણ જાતને વિરોધ હોઈ શકે નહિ, કિન્તુ સત્ય શોધવા માટે તે જ એક પરમ આધાર છે એવી જાતને અંધ વિશ્વાસ કેળવાતે હોય તે તે શ્રી જૈનશાસનને કોઈ પણ પ્રકારે માન્ય નથી. આજના દેખતા કહેવાતા જમાનામાં પણ એવો અંધ વિશ્વાસ વધતો જતે હોય તે તેની પાછળ કોઈ હિક હેતુઓ હોવા જોઈએ એવી શંકા વિચક્ષણોને આવ્યા સિવાય રહે નહિ, એહિક સ્વાર્થોને જ પ્રધાન માનનાર લોક જ્યારે અતિહાસિક પ્રમાણે ઉપર આટલો બધો ભાર મૂકે ત્યારે તે દ્વારા તેઓના કોઈ પણ હિક વાર્થે સિધ્ધ થતા હોવા જોઈએ એ અનુમાન ઉપર આવવું, એ કોઈના માટે પણ સંભવિત છે. ( અપૂર્ણ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy