SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ તક્ષશિલા [ તક્ષશિલા સંબંધી જૈન શાસ્ત્રોના ઉલ્લેખોની ટુંકી ધ ] લેખકઃ મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી “ શ્રી. પર્યુષણ પર્વ વિશેષાંક”માં પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજે લખેલા જૈન તીર્થો' શીર્ષક લેખમાં તક્ષશિલા સંબંધી ઉલેખ કર્યો છે. કેટલાક સજજને તરફથી આ લેખ નિરાધાર હોવાની સૂચના મળતાં અમે આ માટે પૂ. મુ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજને પૂછાવતાં, તેઓશ્રી તરફથી અમને ખબર મળે છે કે તેઓશ્રીએ તક્ષશિલા સંબંધી એક આખું પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં તક્ષશિલાને જેને સાથે સંબંધ વિશદ રીતે ચર્યો છે. બની શકે તે તક્ષશિલા સુધી વિહાર કરીને જાતે એ બધું જોયા પછી એ પુસ્તક પ્રગટ કરવાને તેમને વિચાર હોવાથી એ પુસ્તક પ્રસિદ્ધ થવામાં વિલંબ લાગશે. દરમ્યાન પ્રસ્તુત ચર્ચાનું સમાધાન થઈ શકે એ આશયથી જૈન ગ્રંથોમાં જ્યાં તક્ષશિલા સંબંધી હકીકત આવે છે એની સંક્ષિપ્ત નોંધ તેઓશ્રીએ લખી મોકલી છે, જે અમે અહી પ્રગટ કરીએ છીએ. તંત્રી. તક્ષશિલા જૈનનું સૌથી પ્રાચીન તીર્થસ્થાન છે. ભલે ત્યાં કોઈ તીર્થંકર મહારાજનું પાંચમાંથી એક પણ કલ્યાણક ન થયું હોય, છતાં આ સ્થાન આ યુગનું મહત્ત્વનું તીર્થસ્થાન છે. ભગવાન શ્રીકષભદેવજીને સે પુત્રો હતા. તેમાં ભારત અને બાહુબલિ બે મુખ્ય હતા. ભરતને અયોધ્યા (વિનીતા)નું રાજ્ય મળ્યું હતું. અને બાહુબલિ તક્ષશિલા અને હસ્તિનાપુરના રાજા થયા હતા. “વસુદેવહિંડી' જેવા પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કે “વાદુવત્રિ હથિTI-તવનિરાણામ” (વસુદેવહિંડી; પૃ. ૧૮૬) આવી જ રીતે “વિવિધ તીર્થકલ્પ'માં શ્રીહસ્તિનાપુર કલ્પમાં ઉલ્લેખ મળે છે કે “વહુવત્રિો તરિસ્ટા four'' આવી જ રીતે “નવપદ બહવૃત્તિ’ અને ‘ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧માં પણ ઉલ્લેખ છે કે બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. હવે તક્ષશિલા તીર્થ કયારથી બન્યું તે જોઈએ. બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. પ્રભુ શ્રી ઋષભદેવજીએ દીક્ષા લીધી અને છદ્મસ્થ દશામાં વિહાર કરતા કરતા તે તક્ષશિલાના ઉદ્યાનમાં પધાર્યા, બાહુબલિને વનપાલે સમાચાર આપ્યા. બાહુબલિ પિતાજીનું આગમન સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને બીજે દિવસે પ્રાતઃકાલે પિતાની સમસ્ત રાજ્યાદ્ધિ સહિત વંદના કરવા જવાનો વિચાર કર્યો. પરંતુ તેમને આ મનોરથ મનમાં જ રહ્યો અને પ્રભુ તે પ્રાતઃકાલમાં અન્યત્ર વિહાર કરી ગયા. બાહુબલિ પિતાની રાજઋદ્ધિ સહિત મોડા મોડા પ્રભુજીને વંદના કરવા ઉધાનમાં આવ્યા. ત્યાં પ્રભુજીને ન જોવાથી ઉદ્યાન પાલકને પૂછયું. તેણે કહ્યું, પ્રભુ તે હમણું જ વિહાર કરી ગયા. આ સાંભળી બાહુબલિને અતીવ દુઃખ થયું; પિતાની બેદરકારી કે કમાદ માટે અતીવ ખેદ થયો. આ www.ainelibrary. For Private & Personal Use Only Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy