SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અ'ક ૩] વરાટનગરીને શિલાલેખ [૨૪] આ સાથે ગ્રંથકાર ઈદ્રરાજના વૈભવનું પણ સુંદર ખ્યાન આપે છે. ઈન્દ્રરાજ પાંચ ગામોને ઉપરી અધિપતિ હતા, હાથી અને ઘોડાને ઉપરી હતું અને વેરાટ નગરની તાંબાની ખાણેને પણ તે ઉપરી હતો. ગ્રંથકાર મહાત્માજી તે ઈન્દ્રરાજને એક સામન્તની ઉપમા આપે છે. અર્થાત ઇન્દ્રરાજ એક ઉચ્ચ અધિકારી હતા. આ જ વસ્તુને ઉલ્લેખ તેના શિલાલેખમાં પણ છે એટલે આ વસ્તુના લખાણના મહત્ત્વમાં ઓર વધારે થાય છે. આ જ વસ્તુ થોડા જ ફેરફાર સાથે મહાકવિ અભદાસજી પોતાના હીરવિજયરિરાસમાં આ પ્રમાણે રજુ કરે છેઃ “ કરી ચોમાસું ગુરૂજી ચાલે, પિંપાડ નગરે આવે; તાલે પુષ્કરણો ધન ખર્ચ, સેવન કૂલ વધાવે છે. વડનગરમાંહીં નર વસત, સંધવી ભારમલ નામ; ઇન્દ્રરાજ બેટે તસ કહીએ, આ વંદન કામ. કહિં ગુરૂ માહારે નગરે પધારે, બિંબ પ્રતિષ્ઠા કરસ્યું; હીર કહે નવિ આવ્યું જાયે, સિનેહીએ સંચરસ્યું છે. કલ્યાણવિજય વાચક મેકલીઓ, પાગવંસ મુખચંદે; બિંબ પ્રતિષ્ઠા તિહાંકણિ કીધી, હીર નામે આનંદે. ચાલીસ હજાર રૂપિયા ખરચ્યા, સફલ કર્યો અવતારે; હીરના શ્રાવક ઈન્દ્ર સરીખા, એક એકપે સારો. હીરગુરૂ સીરોહીએ આવે, વિજયસેન ત્યાં આવી; ચંદસર એક થાઉં દેખી, સંધ મનોરથ ફળીઆ. વિજયસેન ગુજરાતે પુહુતા, ત્રબાવતીમાં આવે, રાજઆ વાજી કરે પ્રતિષ્ઠા, નરહ્મવલહી તે ફાવે.” (હીરસૂરિરાસ ૫. ૧૫૨ ) આ જ વસ્તુ ટુંકમાં “સૂરીશ્વર અને સંગ્રાષ્ટ્રના સુવિખ્યાત લેખક મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તે પુસ્તકમાં નીચે પ્રમાણે જણાવે છે: “વૈરાટમાં સંધવી ભારમલ અને ઇન્દ્રરાજ વગેરે હતા. હીરવિજયસૂરિ અકબર બાદશાહ પાસેથી વિદાય થઈને જ્યારે ગુજરાતમાં આવતા હતા ત્યારે પીપાનગરમાં સરિ ને વંદન કરવા વિરાટના સંઘવી ભારમલને પુત્ર ઇન્દ્રરાજ આવ્યા હતા. અને તેણે સૂરિજીને પિતાના નગરમાં પધારવા માટે ખૂબ વિનંતિ કરી હતી. પરનું સુરિજીને જલ્દી સિનેહી જવાનું હોવાથી પિતે ન પધારતાં કલ્યાણુવિજયજી ઉપાધ્યાયને મોક૯યા હતા. કલ્યાણુવિજય ઉપાધ્યાય પાસે ઇન્દ્રરાજે ચાલીસ હજારને વ્યય કરી મહેકી ધામધુમથી પ્રતિષ્ઠા કરાવી હતી. ” (સૂરીશ્વર અને સમ્રા ૫-૨૫૬) સુજ્ઞ વાચક આ ઉપરથી સમજી શકશે કે વૈરાટનગરના ઈન્દ્રરાજ સંઘવીએ ખૂબ મહે સવ પૂર્વક પ્રતિષ્ઠા કરી હતી. મહાકવિ ઋષભદાસજી પિતાને શ્રી હીરસૂરિરાસમાં લખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy