SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાટનગરીનો પ્રાચીન શિલાલેખ [ ભૂતકાળના પડમાં સમાઈ ગયેલી એક પ્રાચીન નગરીને ઐતિહાસિક પરિચય ] લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી વૈરાટનગરને ઇતિહાસ ઘણો જ પ્રાચીન છે. મહાભારતયુગમાં આ સ્થાન એક * મહત્ત્વનું સ્થાન ગણાતું હતું. પાંડે, કૌરવો સાથે ધૂતમાં હાર્યા અને તેમાં તેમણે રાજપાટ અને છેવટે સતીશિરોમણી દ્રૌપદીને પણ મુકી. પરિણામે તેમને બાર વર્ષને વનવાસ અને એક વર્ષને ગુપ્તવાસ સ્વીકારવો પડે. પાંડવોના ગુપ્તવાસનું સ્થાન વિરાટનગર હતું એમ મહાભારત કહે છે. આજે પણ વૈરાટની ચેતની પહાડીએ અને જંગલો આપણને વિશ્વાસ કરાવે છે કે અહીં પાડવો ગુપ્તવાસ રહ્યા હશે—હતા. હમણાં નવી બનેલી જયપુરથી અવર થઇને દિલ્હી જતી સડક ઉપર આ ગામ આવ્યું છે. જયપુરથી આ રસ્તે આવતાં પ્રથમ આમેર આવે છે. આમ તે જયપુરથી જ પહાડી શકે થાય છે, પરંતુ આમેર તે પહાડોમાં જ વસ્યું છે. પહાડ ઉપરને કિલ્લે અને મકાને જોવા ગ્ય છે. અહીં જંગલે પણ ઘણાં છે. તેમાં વાઘ, ચિત્તા આદિ દૂર પશુઓ ઘણાં રહે છે, ધોળે દિવસે પણું એકલા જંગલમાં જવું એ જીવને જોખમમાં મૂકવા જેવું છે. તેમાંયે હવામાં કે સાંજે તે કઈ રીતે આ રસ્તે નીકળવું ઉચિત જ નથી. આમેર–આમેરમાં સુંદર વિશાલ જિનમંદિર છે. જિનપ્રતિમાઓ ભવ્ય અને દર્શનીય છે. જે મહાનુભાવો એકાંત અને શાન્તિના ઇછુક હોય, જેમને ધ્યાન કરી આત્મકલ્યાણમાં મસ્ત બનવું હોય, નિરવ શાન્તિમાં આત્માનંદને સાક્ષાત્કાર કરવો હોય તે મુમુક્ષુઓ અહીં એકવાર જરૂર આવે. અહીં નથી જનરવનો કોલાહલ કે નથી ઘોંધાટ, નથી અશાન્તિ કે નથી ઉદ્વિગ્નતાનું વાતાવરણ. અહીં છે પરમ શાન્તિ અને વીતરાગપદનું ભાન કરાવે, અને આત્માની શુદ્ધ દશા પ્રગટાવે તેવું વાતાવરણ. આમેરમાં પ્રથમ તે જનની ઘણી વસ્તી હશે-હતી. જયપુર વસ્યા પહેલાં આ નગરનું મહત્ત્વ ઘણું હતું. બાદમાં રાજધાની બદલાઈ અને–આમેરનું મહત્ત્વ ધટયું. આજે ત્યાં એક પણ જનનુ ઘર નથી. માત્ર વિશાલ ભવ્ય જિનમંદિર અને સુંદર ધર્મશાળા છે જેની વ્યવસ્થા જયપુરને શ્રી સંધ સાચવે છે. હમણું ત્યાંના નાજર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન છે. ભાવિક અને શ્રધ્ધાલુ છે. જયપુરથી વર્ષમાં એકવાર ઘણું જેને યાત્રાએ આવે છે; મેળો ભરાય છે. અમે ગયા ત્યારે પણ જયપુરથી જેને આવ્યા હતા અને શેઠ સેહનલાલજી ગુલેચ્છાનાં માતાજીએ સ્વામિવાત્સલ્યક કર્યું હતું. આમેથી વિહાર કરતાં રસ્તામાં વિકટ પહાડી અને ઝાડી આવે છે. હમણાં જયપુરના અંગ્રેજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy