________________
જ્ઞાનપંચમી
[ જ્ઞાનપંચમીનું, શ્રતજ્ઞાનના આરાધનની દૃષ્ટિએ, મહત્ત્વ ]
લેખત–શ્રીયુત કેસરીચંદ હીરાચંદ ઝવેરી, સુરત
પ્રશ્ન-જ્ઞાનપંચમીનું આરાધન શું કરશો ? ઉત્તર–પ્રાચીન જીણું પુસ્તકોનો ઉદ્ધાર વગેરે.
જ્ઞાનપંચમીના માહામ્ય સંબંધમાં અનેક ગ્રંથે અને અનેક પૂજાઓમાં હિપદેશનાં પદે પૂર્વાચાર્યોએ આપણને અર્યા છે. ચાલુ વર્તમાન કાળમાં પણ શ્રુતજ્ઞાનની આરાધના જે અનેક રીતે થઈ રહી છે તે પૂર્વાચાર્યોના પ્રતાપ અને તેમના ઉપદેશનું પરિણામ છે.
શ્રુતજ્ઞાનની આરાધના
શ્રુતજ્ઞાનના, શાસ્ત્ર–સિદ્ધાંતમાં અનેક પ્રકારે વર્ણવેલા છે, અને એના આરાધનના પણ અનેક પ્રકારો છે, પણ આ લેખ ખાસ કરીને પુસ્તકોના ઉદ્ધારને ઉદેશીને લખાયેલ છે જેથી તત્સંબંધી વિચારીએ.
પુસ્તકોહારના મુખ્યત્વે કરીને ત્રણ ભેદ સંભવી શકે છે :
(૧) સંગ્રહ (૨) પ્રચાર (૩) રક્ષણ. (૧) સંગ્રહ-આ સંબંધમાં ભંડારની આવશ્યકતા છે કે કેમ ? તે વિચારવાનું રહે છે. છેલ્લાં પચ્ચીસ પચાસ વર્ષને ઈતિહાસ જોતાં, પહેલાં ઘણાં ઓછો ભંડાર હતા. પ્રાય જુના ભંડારો હસ્તલિખિત પ્રતેના જ હતા. આજે તેમાં કેટલેક અંશે પરિવર્તન થયું છે. પ્રાય: ઘણાખરાં ગામોમાં આજે જ્ઞાનભંડાર છે અને તેમાં મુખ્યત્વે કરીને ઘણા મુનિરાજેના (મુદ્રિત) ગ્રંથને સંગ્રહ જોવામાં આવે છે. આ સર્વે ભંડારોના પ્રેરકે, સ્થાપક વહીવટદાર વગેરે પિતાના વિચારે વિશાળ કરી જાહેરને લાભ આપવા તૈયારી બતાવે છે તે પણ શ્રતજ્ઞાનની આરાધના જ છે.
૨) પ્રચાર-સંગૃહીત ગ્રંથો જાહેર વાચન માટે મુકવી, એને સમાવેશ પ્રચારમાં આ છે, કારણકે વાચન વધવાથી અનેક આત્માઓ જ્ઞાન સંપાદન કરશે. વળી મુદ્રણકળા ભારફતે પણ આજે સારો લાભ લઈ શકાય. અનેક પુસ્તકો છપાયાં છે અને છપાય છે.
(૩) રક્ષણ–જુના નવા બધા ગ્રંથનું રક્ષણ એ મુખ્ય પ્રશ્ન છે. એક વસ્તુ મેળવવી દુર્લભ છે, મળ્યા પછી સાચવવી-સુરક્ષિત રાખવી અને તેને ગ્ય લાભ લેવો એ તે અતિ દુર્લભ છે. અનેક પૂર્વાચાર્યો અને વર્તમાન આચાર્યો પિકાર કરીને કહે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org