SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩] દુલભ પંચક [૨૩૧] અને વિચારશય પ્રવૃત્તિ તે અભિસંધિ જ (અનાગિક) વીર્ય કહેવાય. સંસિ છોને જ પહેલું વીર્ય હોય. અને અનભિસંધિજ વીર્ય તમામ જીવોને હોય છે. આવા વયવાળા આત્માને જ્યારે કર્મલિકને ક્ષયે પશમ થાય, ત્યારે લબ્ધિ એટલે પશમ અને કરણ (ઈદ્રિયો)ને અનુસારે જ્ઞાન પ્રકટે છે. જ્યારે જ્યારે તે વીર્યન (ઓછા વધતા) પ્રમાણમાં) નાશ (ઘટાડો) થાય, ત્યારે ત્યારે તે જ કર્મ પુદ્ગલો ફરી આત્માને ઢાંકે છે. જેમ દૂર કરેલ સેવાળને જ પાણીને ઢાંકે, અને સ્વચ્છ ચાટલાને કાદવ ઢાંકે, (મલિન કરે) તેમ અહીં આત્માના સંબંધમાં પણ સમજી લેવું. આવાં અનેક કારણોને લઈને સંશય વગેરે થાય છે. પ્રશ્ન-જીવને શિવપુર કઈ રીતે મલે ? ઉત્તર-સંગનgrનવરિત્રાઉન મૌક્ષમા (તરવાર્થ સૂત્ર) પૂર્વે કહ્યા મુજબ અનાદિ જીવ અનાદિ કર્મોથી વીંટાયેલ હોય છે. તે જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ કારણને લઈને અનંતાનુબંધિ કપાય વગેરે સાત પ્રકૃતિના ક્ષપશમ કરે ત્યારે સમ્યગ (નિર્માલ' દર્શન ગુણ પામે છે. તેથી તેને એવી ખાત્રી થાય છે કે શ્રી જિનેશ્વર ભગવતે કહેલું પદાર્થ સ્વરૂપ સાચું છે. અને શ્રી જિનધર્મ એ જ મહાકલ્યાણકારિ વસ્તુ છે. બીજા સાંસારિક પદાર્થો દુ:ખદાયિ છે. ત્યારબાદ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થવાથી નિર્મલ જ્ઞાનગુણુ પ્રકટ થાય છે. એથી એમ સમજે છે કે હિંસા વગેરે ત્યાગ કરવા લાયક છે અને જીવાદિ પદાર્થો જાણવા લાયક છે. પવિત્ર ચારિત્રાદિ ગ્રહણ કરવા લાયક છે, પછી ‘જાણ્યું કે તે તે ખરું કે મોહે નવિ લેપાય આવી ભાવનાથી ચારિત્ર મેહના ક્ષપશમે જ્ઞાનનું ફલ વિરતિ ગુણ અંગીકારે. એમ નિર્મલ દર્શનાદિ ત્રણેની મદદથી આ જીવ શિવપુર પામે છે. ત્રણમાંથી એકલા દર્શનથી શિવપુર ન મળી શકે છે. જે તેમ હોય તે સમ્યગ્દષ્ટિ દેવાદિની મુતિ થવી જોઇએ તથા એ જ કારણથી એકલા જ્ઞાનથી પણ મુકિત થઈ શકે નહિ. માટે જ ત્રણેની ભેગી આરાધના કરનાર મનુષ્ય આઠે કર્મ દૂર કરી શિવપુર પામે. સિદ્ધ પરમાત્મા જ્ઞાનાદિ ભાવ પ્રાણેને ધારણ કરે છે. તેમને નિજગુણોમાં સ્થિરતા રૂપ ચારિત્ર હોય છે. સકલ કર્મના અભાવે તેમને શરીર વગેરે હોય નહિ. ભોજન વગેરે દ્વારા ક્ષણિક શાંતિ મળે છે. સિદ્ધ ભગવંતને સાદિ અનંત ભાગે કાયમ શાંતિ હોય છે. સિદ્ધના પંદર ભેદ વગેરે વિશાલ સ્વરૂપ લેકપ્રકાશ વગેરે ગ્રંથોથી જાણવું. પ્રબલ પુણ્યવંતને જ આ શિવપુરનો લાભ થાય, માટે તેને દુર્લભ કહ્યું છે. એ પ્રમાણે બીજા શિકાર (શિવપુર)નું ટુંકામાં સ્વરૂપ જણાવ્યું. - શત્રુંજયનદી-મહાપ્રભાવક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નજીક રહેલી પરમપાવન આ નદી છે. તેમાં સ્નાન કરવાને અપૂર્વ મહિમા શ્રી શત્રુંજય માહાભ્યાદિમાં વર્ણભે છેધણાં ભવ્ય જીવોના આ નદીના સ્પર્શથી વિકટ રેગો નાશ પામ્યા છે. અહીં આવનાર છે અપૂર્વ શાંતિનો અનુભવ કરી કર્મનિર્જરા વિશેષ લાભ મેળવે છે. તેમ અલ્પ સંસારિ ભવ્ય જીવો જ શેત્રુંજી નદીની સ્પર્શના કરી શકે છે. માટે ત્રીજો શકાર શત્રુંજય નદી દુર્લભ કહી છે. (અપૂર્ણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy