________________
અંક ૧-૨]
જૈન તીર્થો
[૧૭]
જિનાલયનું પ્રાચીન અને ભવ્ય મંદિર છે. આ પ્રાચીન મંદિરને વિ. સં. ૧૯૩૦ માં જીર્ણોદ્ધાર થશે ત્યારે એક તામ્રપત્ર મળ્યું હતું જેમાં પ્રાચીન લિપિમાં અક્ષરે લખેલા હતા. આ તામ્રપત્ર છે. એ. ડબલ્યુ. રૂડોલ્ફ હોર્નલ ઉપર મોકલવામાં આવ્યું હતું. એ પાશ્ચાત્ય વિદ્વાને જણાવ્યું કે આ લેખ પ્રાચીન ખરેષ્ટ્રી લિપિમાં લખાયેલું છે જેને આપણે દેવલિપિ-ભાષામાં લખેલું માનીએ છીએ. તેમાં નીચેના શબ્દો સ્પષ્ટ વચાય છે, બાકીના શબ્દો ઘસાઈ ગયા છે.
“? તેવી શ્રી ઘર્શ્વનાથવા રરૂ” બીજા છૂટક અક્ષરોના આધારે આને અર્થ એમ કરવામાં આવ્યું છે કે-વણિક દેવચં બનાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર, જે પહેલાં ૨૩ વર્ષે ભગવાન મહાવીર હતા.
સુબ્રસિદ્ધ જગવિખ્યાત પૂ. પા. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ લખે છે કે આ મંદિરના છણખનેધરૂપ પુસ્તકમાં અને કચ્છની ભૂગળમાં લખ્યું છે કે “વરાત ૨૨ વર્ષ દુર્વ ચૈત્ય સંગતિમિતિ” અસલ તામ્રપત્ર અત્યારે તેની પાસે છે તે ચોકકસ નથી, પરંતુ ભૂજ પરના યતિ (સુંદરછ કે તેમના શિષ્ય ) પાસે હોવાનું સંભળાય છે, અને તેને સંસ્કૃત અનુવાદ મદિરની દીવાલમાં લગાવેલ છે એવી નોંધ મળે છે.
આ બધા ઉપરથી એમ નિર્ણય કરવામાં આવે છે કે ભગવાન સુધર્માસ્વામીએ વોર સં. ૨૩ માં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. આ મૂર્તિ પ્રાચીન અને ભવ્ય છે અને સામાન્ય દર્શકે પણ આ મૂર્તિ મહારાજા સંપ્રતિના સમયની છે એમ સમજી શકે તેમ છે. આ મંદિરને જીર્ણોદ્ધાર મહારાજા કુમારપાળે કરાવ્યું છે અને ત્યારપછી જગડુશાહે જીર્ણોદ્ધાર કરાવ્યો છે એમ ત્યાંના શિલાલેખે ઉપરથી સમજાય છે.
કેટલાક લેખ મંદિરના ખંભા–મજબૂત સ્થંભ ઉપર કોતરેલા છે, જેમાં નીચેની સાલેના ઉલ્લેખ મળે છે. “સં. ૧૧૩૪ વૈશાખ સુ. ૧૫. શ્રીમાળી... દેહરૂ...સમરાવ્યું. આ સિવાય, સં. ૧૨૨૩, ૧૨ ૩૨, ૧૨ ૩૫ ૧૩૫૩, અને ૧૩૫૮ના લેખો મળ્યા છે અને તેની યાદિ 3. બર્જેસ અને રાવ સાહેબ દલપતરામ ખખ્ખરે આપી છે.
કાળક્રમે આ મંદિર જીર્ણ થયું અને ત્યાંની ચમકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ એક બાવાના હાથમાં ગઈ. સ. ૧૬૬રના જીર્ણોદ્ધાર સમયે આ પ્રાચીન મૂર્તિ બાવાન હાથમાં હતી. તેણે એ મૂર્તિ મંદિરમાં મૂળનાયક તરીકે પધરાવવાને ન આપી એટલે શ્રાવકોએ વીરપ્રભુની મૂર્તિ મૂળનાયક તરીકે પધરાવી. આ મૂર્તિ પણ પ્રાચીન અને ભવ્ય છે. તેની સં. ૬૨૨માં અંજનશલાકા થયેલી છે. પાછળથી બાવાએ સમજી જઈ મૂર્તિ આપી દીધી જે પાછળની દેરીમાં બિરાજમાન કરી છે અને જે અવાવધિ વિદ્યમાન છે.
વીસમી સદીમાં વિ. સ. ૧૮૨ ભાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયું હતું અને ત્યારપછી વિ. સં૧૯૩૮માં મહા સુદ ૧૦ મે માંડવીવાસી મેણસી તેજસીની ધર્મપત્ની મીઠીબાઈએ સમારકામ કરાવ્યું છે. સોનેરી રંગરોગાનનું કામ તે ઘણો સમય ચાલ્યું હતું.
અત્યારે આ મંદિર ૪૫૦ ફૂટ લાંબા, ૩૦૦ ફૂટ પહોળા કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં છે. તેની લંબાઈ ૧૫૦ ફૂટ, પહોળાઈ ૮૦ ફૂટ, ઉંચાઈ ૩૮ ફૂટ છે. મંદિરમાં ૨૧૮
www.jainelibrary.or
For Private & Personal Use Only
Jain Education International